SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ–અધિકાર. [ પ્રથમ છે; સજ્ઞને થતુ નથી.આ અને જ્ઞાના પુદ્દગલા ઉપર જ પ્રકાશ પાડનારાં હોવાથી વિષયની અપેક્ષાએ પણ એ એમાં તુલ્યપણુ રહેલુ છે. ઉભય જ્ઞાના ક્ષચાપશમ ભાવમાં વતતાં હોવાથી ભાવની દૃષ્ટિએ પણ તે એમાં સમાનતા રહેલી છે. આ પ્રમાણેની આ બે જ્ઞાનાની સમાનતા ધ્યાનમાં લેતાં સમાન ધર્મીના સાથે સમન્વય કરવા સમુચિત સમજાય છે. મનઃ૫ વજ્ઞાન અને કેવલજ્ઞાનની સમાનતા—— જેમ મન:પર્યાવજ્ઞાનના અધિકારી અપ્રમત્ત મુનિરાજ છે, તેમ કેવલજ્ઞાન પણ અપ્રમત્ત મુનિવર્યને જ થાય છે એટલે કે અધિકારિ--સ્વામિત્વની દ્રષ્ટિએ આ બેમાં સમાનતા છે. એથી કેવલજ્ઞાનને મન:પર્યાવ પછી ઉલ્લેખ કરવામાં આવે છે તે ન્યાય્ય છે. આ પ્રમાણે કેવલજ્ઞાનને અ ંતિમ પદ મળે છે. બીજા બધાં જ્ઞાનાના અંતમાં જ કેવલજ્ઞાનના લાભ થાય છે, તેથી તેને અન્તમાં સ્થાન આપ્યું તે રથાને છે. વિશેષમાં આ જ્ઞાન સમસ્ત દ્રવ્ય તેમજ તેના પર્યાયા ઉપર પ્રકાશ પાડનાર હેાવાથી તે સમગ્ર જ્ઞાનામાં ઉચ્ચ છે, શ્રેષ્ઠ છે; અથી અને અન્તમાં ઉલ્લેખ કર્યા તે વ્યાજખી છે. મતિજ્ઞાનાદિમાં ભિન્નતા--- ૨૫ર ઉપર્યુ ક્ત નિરૂપણથી કેાઇને એમ શંકા થાય કે મતિજ્ઞાનાદિમાં પરસ્પર સમાનતા છે એટલે જ્ઞાનના પાંચ પ્રકારો ન માનતાં તેને એકજ જાતનું માનવુ જોઇએ, તે આનુ સમાધાન એ છે કે કોઇ એ પદાર્થમાં અમુક ધર્મની સમાનતા જણાય, તેથી શુ તેને એક જ માનવા એ વ્યાજબી છે? એમ જ હાય તે આ બ્રહ્માણ્ડમાં એવી કઇ વસ્તુ છે કે જે બીજી વસ્તુએ સાથે અમુક અંશમાં અમુક ધર્મો વડે સમાનતા નહિ ધરાવતી હોય ? આમ છતાં વિશ્વની સમગ્ર વસ્તુઆને એકરૂપ જ ન માનતાં તેને વિવિધ ગણવામાં આવે છે તેમ પ્રસ્તૃતમાં સમજવું. આ વાતની પુષ્ટિ અર્થ એ નિવેદન કરવુ જરૂરી જણાય છે કે જેમ ઘટાકાશ, પટાકાશ, વગેરેમાં સત્ત્વ, પ્રમેયત્વ, અકિયાકારિત્વ ઇત્યાદિ ધર્મો સમાન છે, છતાં લક્ષણાદિ ભેદથી તેમાં ભિન્નતા સ્વીકારવામાં આવે છે, તેમ અત્રે મતિજ્ઞાનાદ્રિમાં લક્ષણ, કાય આદિથી ભિન્નતા માનવી ન્યાયસ ંગત છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં તફાવત મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એક બીજાથી પૃથક છે—એ એમાં ભેદ છે એ વાતને પ્રથમ તે એ એનાં લક્ષણા જ કહી આપે છે, કેમકે “ મન્યતે યોગ્યોોડનચેતિ મતિ: ” એ અતિ જ્ઞાનનુ લક્ષણ છે, જ્યારે “ અવળું શ્રુતમિસ્યાઽવ્ ’” શ્રુતજ્ઞાનનુ લક્ષણ છે. વળી મતિજ્ઞાન શ્રુતનું કારણ છે, જ્યારે શ્રુતજ્ઞાન એનું કાર્યાં છે. આ પ્રમાણે મતિ અને શ્રુતમાં વલ્ક ( છાલ ) અને શુખ ( દોરડા )ની પેઠે કારણ—કાય—ભાવ હેાવાથી તે એ ભિન્ન સિદ્ધ થાય છે. વિશેષમાં ઇન્દ્રિયાના વિભાગથી પણ આ એમાં અંતર છે. પૂર્વમાં કહ્યુ` છે કે— ૧ આદ્ય કર્મગ્રન્થની સ્વાપન્ન વૃત્તિના સાંતમા પત્રમાં इयं पूर्वान्तर्गता गाथा એમ નિવેદન કરવામાં આવ્યું છે. તેમજ વિશેષાની આ ૧૧૭ મી ગાથાનું વિવરણ કરતાં શ્રીહેમચન્દ્રાચાર્યે પણ એવા જ નિર્દેશ કર્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy