________________
ઉલ્લાસ ] આત દર્શન દીપિકા.
૨૪૭ એ છે કે એક વખતે બે, ત્રણ કે ચાર જાતનાં જ્ઞાનને સહભાવ કહ્યો તેથી એમ ન સમજવું કે એક જ સમયમાં એક કરતાં વધારે પ્રકારના જ્ઞાન વિષે ઉપગ હોઈ શકે.
આ પ્રમાણે ઉપગના સ્વરૂપ દ્વારા પ્રમાણુના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું. હવે અજ્ઞાનનું– અપ્રામાણિક જ્ઞાનનું દિગ્દર્શન કરી લઈએ. આને ઉપકમ કરતાં ગ્રન્થકાર કર્થ છે કે –
દૂર જુથોનો ઉલ્લવિત, વાજા-નિરાશામેલાતા તત્ર રાજા सविकल्परूपः, निराकारो निर्विकल्परूपः । साकारश्चाष्टविधः, पूर्वोक्तज्ञानपञ्चका-ऽज्ञानत्रयभेदात् । तत्र ज्ञानपञ्चकं प्रतिपादितम् । अथाज्ञानं प्रतिपाद्यते
આપણે પર મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ ઉપગના (૧) સાકાર અને (૨) નિરાકાર એમ બે પ્રકારે છે. તેમાં સાકાર અર્થાત્ સવિકલ્પક ઉપગને આઠ પ્રકારે છે-પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન. તેમાં પાંચ પ્રકારનાં જ્ઞાન સંબંધી તે આપણે વિચાર કર્યો. એટલે અજ્ઞાન પરત્વે વિચાર કરીશું. અજ્ઞાનને અર્થ અને તેના પ્રકારો
कुत्सितं ज्ञानमज्ञानम् , मिथ्यादृष्टेज्ञानमित्यर्थः। तच्च त्रिविधम्मत्यज्ञान-श्रुताज्ञान विभङ्गज्ञानभेदात् । અર્થાત ગ્રન્થકાર સૂચવે છે તેમ “અજ્ઞાન” એટલે “કુત્સિત જ્ઞાન” એટલે કે મિથ્યાષ્ટિનું જ્ઞાન તે “ અજ્ઞાન” જાણવું. આ અજ્ઞાનના (૧) મત-અજ્ઞાન, (૨) શ્રુત-અજ્ઞાન અને (૩) વિર્ભાગજ્ઞાન એમ ત્રણ ભેદ છે.
જેમ નીચ માણસની સોબત કરવાથી ઉત્તમ માણસ પણ નીચ ગણાય છે અને કુસંગથી બટ્ટો લાગે છે તેમ જ્ઞાન પણ મિથ્યાત્વના વેગથી “ અજ્ઞાન” કહેવાય છે. શું એ સુવિદિત હકીકત નથી કે–
" गुणा गुणज्ञेषु गुणीभवन्ति, ते निर्गुणं प्राप्य भवन्ति दोषाः।
सुस्वादुतोयाः प्रवहन्ति नद्यः, समुद्रमासाद्य भवन्त्यपेयाः ॥" અર્થાત્ ગુણના જાણકારેને વિષે ગુણ ગુણરૂપે પરિણમે છે, જ્યારે નિર્ગુણ ( દૂષિત)ની સંગતિથી તે દેષરૂપ બને છે. અત્યંત સ્વાદિષ્ટ જળવાળી નદીઓ વહે છે, પરંતુ સમુદ્રને સમાગમ થતાં તેનું જળ પીવા લાયક રહેતું નથી.
મિથ્યાત્વરૂપ વિષથી મૂચ્છિત છે સર્વજ્ઞદષ્ટ અથાસ્થિત વસ્તુને સ્વીકાર કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org