SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-અધિકાર. [ પ્રથમ જ્ઞાન અતાતીત છે. શ્રુતજ્ઞાન ક્ષાપશમિક છે અને કેવલજ્ઞાન ક્ષાચિક છે. એથી જેમ સર્વથા શુદ્ધ પટમાં થી શુદ્ધિ છે એમ કહેવું યોગ્ય નથી તેમ કેવલજ્ઞાન છતે શ્રુતજ્ઞાન છે એમ કહેવું વ્યાજબી નથી. આથી કરીને કેવલજ્ઞાન વડે જણાયેલા અર્થને વ્યક્ત કરનારે શબ્દોને સમૂહ કેવલજ્ઞાની પ્રભુને ભાષા-પર્યાપ્તિ વગેરે નામકર્મના ઉદયથી ઉત્પન્ન થતું હોવાથી વચન-યોગ જ છે, નહિ કે શ્રત. આ શબ્દો છેતૃ -વગને ભાવ-તનું કારણ હેવાથી તેમને માટે તે દ્રવ્ય-શ્રત છે. છવાસ્થ ગણધરાદિનું શ્રત-ગ્રન્થાનુસારી જ્ઞાન જ કેવલીના જ્ઞાનની અપેક્ષાએ ભાવ--શ્રત છે, પરંતુ કેવલીનું જ્ઞાન તે ભાવકૃત નથી, કેમકે તેમનું જ્ઞાન ક્ષાયિક છે, જ્યારે ભાવ--શ્રુત તે ક્ષાપશમિક છે. વળી કેવલીના શબ્દો બોલાતી વખતે કૃતરૂપ નથી, પરંતુ એ સાંભળનારાઓને શ્રવણ બાદ ભાવ--શ્રતનું કારણ બને છે; એથી ઉપચારથી એને દ્રવ્ય-કૃત કહેવામાં આવે છે. અથવા કેવલી સંબંધી વચન–ગ ઔપચારિક હોવાથી ગૌણભૂત શ્રત છે, કેમકે તે ભાવ--શ્રુતનું કારણ છેવાથી અપ્રધાન શ્રત છે. જ્ઞાનેને સહભાવ એક જીવને એક વખતે કેટલાં જ્ઞાન હોઈ શકે તે પ્રશ્ન વિષે હવે ઉલ્લેખ કરવામાં આવે છે. એક જ જીવને વિષે એક, બે, ત્રણ અથવા ચાર જ્ઞાને એક વખતે હેઈ શકે. જે જીવને સ્વભાવથી જ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તેને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વિના પણ ફક્ત મતિજ્ઞાન હોય છે. આ પ્રકારનું કથન જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોવું જ જોઈએ એ નિયમ નથી એ માન્યતાનુસાર સમજવાનું છે. પરંતુ જો એમ માનવામાં આવે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એક બીજા વિના રહી શકતાં નથી–સાહચર્યરૂપ સંબંધથી બદ્ધ છે તો પછી કઈ પણ જીવને ફક્ત એક જ પ્રકારનું જ્ઞાન સંભવી શકે નહિ એમ મનાય. અર્થાત્ છમસ્થને ઓછામાં ઓછાં મતિ અને શ્રત એમ બે જ્ઞાને હોવાં જ જોઇએ. અહીં એ પણ પ્રશ્ન વિચારો આવશ્યક છે કે કેવલીને પાંચ જ્ઞાનને સહભાવ છે કે કેમ? આમાં બે મત છે. કેટલાકેનું માનવું એમ છે કે કેવલજ્ઞાન થતાં છાર્મસ્થિક જ્ઞાને સંભવતા નથી અર્થાત કેવલીને ફકત એક જ જ્ઞાન-કેવલજ્ઞાન હોય છે. આ મત પ્રમાણે એક જ પ્રકારના જ્ઞાનવાળો જીવ પણ હોઈ શકે, કેમકે તે જીવ તેમની માન્યતા પ્રમાણે કેવલી છે. પરંતુ જે બીજો મત અંગીકાર કરવામાં આવે અર્થાત્ જેમ સૂર્યના ઉદય દરમ્યાન પણ ચંદ્ર, તારા, નક્ષત્ર હોય છે, જો કે તેને પ્રકાશ દષ્ટિગોચર થતું નથી, તેમ કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં અન્ય જ્ઞાન સંભવી શકે છે, તે તે મત પ્રમાણે એ કઈ પણ જીવ નથી કે જેને એકલું કેવલજ્ઞાન હેય. કેઈ પણ જીવને બે જ્ઞાન હોય તે તે મતિ અને શ્રત હોવાં જોઈએ. એવી રીતે કેઈને ત્રણ હોય તો તે મતિ, ભુત અને અવધિ અથવા મતિ, શ્રત અને મન:પર્યાય હોઈ શકે. જે કઈ પણ જીવને ચાર જ્ઞાન હોય તો તેને કેવલજ્ઞાન સિવાયનાં બીજાં બધાં જ્ઞાન હોવાં જોઈએ. કઈ પણ જીવને પાંચ જ્ઞાને હેઈ શકે કે કેમ તે વાત તે આપણે ઉપર જોઈ ગયા. એટલે એ સંબંધમાં કંઈ વિશેષ કહેવાનું રહેતું નથી. આ વિષયની સમાપ્તિ કરીએ તે પૂર્વે એક વાત લક્ષ્યમાં રાખવાની ૧ જુઓ આ ગ્રન્થકારે નિદેશેલું શ્રુતજ્ઞાનનું ત્રીજું લક્ષણ તેમજ તેનું વિવરણ (૫૧ ૨૨૭-૨૨૯). For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy