________________
૨૩૮
છવ-અધિકાર.
[ પ્રથમ
વિકલના (૧) અવધિજ્ઞાન અને (૨) મન ૫ર્યાયજ્ઞાન એ બે ભેદે છે, જ્યારે સકલ પ્રમાણે કહે કે કેવલજ્ઞાન કહે તે એક જ છે અને એના ભેદ નથી, આ પ્રત્યેકને લક્ષણપૂર્વક વિચાર કરીએ.
અવધિજ્ઞાનનું લક્ષણ –
अवधिज्ञानावरणक्षयोपशमादिहे तुसान्निध्ये सति आत्मनः साक्षाद् रूपिपदार्थपरिच्छेद करूपत्वम्, आत्मनो रूपिपदार्थमात्रसाक्षात्कारकरण. व्यापारविशेषरूपत्वं वाऽवधिज्ञानस्य लक्षणम् । (३८) અર્થાત અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષેપમાદિ હેતુઓના ભાવમાં આત્માને જે રૂપી પદાર્થનો સાક્ષાત્કાર બંધ થાય છે તે બેધને “અવધિજ્ઞાન” કહેવામાં આવે છે અથવા કેવળ રૂપી પદાર્થોને સાક્ષાત્કાર કરવામાં સાધનભૂત આત્માને વ્યાપાર-વિશેષ “અવધિજ્ઞાન” છે. અવધિજ્ઞાનને શબ્દાર્થ –
___" अव-अघोऽधो विस्तृत वस्तु धोयते-परिच्छिद्यतेऽनेनेत्यवधिः। यदा अवधि:-मर्यादा रूपिष्वेव द्रव्येषु परिच्छेदकता प्रवृत्तिरूपा, तदुपलक्षितं ज्ञानमप्यवधि, 'अवधि च तज्ज्ञानं च अवधिज्ञानम्।" અર્થાત્ “અવ એટલે “નીચે, નીચે વિસ્તાર પામેલ વસ્તુને પરિચછેદ તે અવધિ અથવા “અવધિ એટલે મર્યાદા: રૂપી જ પદાર્થોને વિષે પરિચછેદકપણે પ્રવૃત્તિરૂપ આ અવધિ છે. એ સંબંધી જ્ઞાન તે “અવધિજ્ઞાન” છે. અવધિજ્ઞાનના પ્રકારે
ક્ષેત્ર અને કાળરૂપ વિષયની અપેક્ષાએ અવધિજ્ઞાનના અસંખ્ય ભેદે પડે છે, જ્યારે દ્રવ્ય અને ભાવને વિચાર કરતાં તેના અનન્ન પ્રકારે સંભવે છે. આમ છતાં (૧) ભવ-પ્રત્યય અને (૨) ગુણ–પ્રત્યય એમ બે પ્રકારમાં આને સમાવેશ કરી શકાય છે. જેમ પક્ષીઓને આકાશમાં ઉડવામાં પક્ષી તરીકે જન્મ કારણરૂપ છે તેમ દેવેને અને નારકીઓને દેવ અને નારકી તરીકે ઉત્પન્ન થવાથી, આ જ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે. આ જ્ઞાનની પ્રાપ્તિમાં ભવ કારણ હેવાથી, તેમનું અવધિજ્ઞાન “ભવ-પ્રત્યય” કહેવાય છે. મનુષ્ય તથા તિર્થને તે તપ વગેરેના પરિણામથી ઉ૬
૧ આ પ્રમાણે મતિજ્ઞાનાદિને સમાસ-વિગ્રહ થાય છે. જેમકે મનિષ at જ્ઞાનં મતજ્ઞાનમ , ગુર્ત જ ત૬ જ્ઞાનં ૪ થતજ્ઞાન , મનઃvય ર જ્ઞાનં મન votવજ્ઞાન, केवलं च तद ज्ञानं च केवलज्ञानम.
૨-૩ આ વાત આગળ ઉપર સમજાવવામાં આવનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org