________________
આર્હત દર્શીન દીપિકા.
ઉલ્લાસ ]
અગપ્રવિષ્ટ શ્રુત અને અગમારું શ્રુત—
6
આચારાંગ વગેરે ખર અગા કે જેના પ્રણેતા ગીતમસ્વામી પ્રમુખ ગણધરો છે, તે ‘અંગપ્રવિષ્ટ શ્રુત ’ કહેવાય છે, જ્યારે શ્રીભદ્રબાહુસ્વામી જેવા સ્થવિરાએ રચેલું શ્રુત ( દાખલા તરીકે આવશ્યક નિયુક્તિ ) ‘ અંગમાહ્ય ' ( અનંગપ્રવિષ્ટ ) છે. અથવા ત્રણ વાર ગણધરના પૂછવાથી તીથંકરે કહેલ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રિપદીથી થયેલું દ્વાદશાંગીરૂપ શ્રુત ‘અંગપ્રવિષ્ટ’ છે, જ્યારે પ્રશ્ન પૂછ્યા વિના અ—પ્રતિપાદનરૂપે કહેવાયેલું આવશ્યકાદિ શ્રુત ‘અંગમાહ્ય’ શ્રુત છે. અથવા સર્વે તીર્થંકરોના તીર્થાંમાં અવશ્ય ઉત્પન્ન થનારૂ અને એથી કરીને નિયત તે ‘અંગપ્રવિષ્ટ શ્રુત' છે, જ્યારે જે શ્રુતના અન્યાન્ય તીર્થાંમાં સદ્ભાવ હાવા જ જોઇએ એમ નથી અર્થાત્ તન્દુલવૈચારિકાદિની જેમ જે શ્રુત અનિયત હોય તે ‘ અંગબાહ્ય શ્રુત ’ છે.
આ પ્રમાણે આપણે શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકારોનું સ્થૂળ સ્વરૂપ વિચાર્યું. પ્રસ ંગાપાત્ત ૨૩૦મા પૃષ્ઠમાં દર્શાવેલા એના વીસ પ્રકારાની સામાન્ય રૂપરેખા આલેખીએ.
પર્યાય—શ્રુત~~
પર્યાયનો અથ જ્ઞાનના અશ-વિભાગ થાય છે. પ્રસ્તુતમાં ઉત્પત્તિના પ્રથમ સમયમાં લબ્ધિ–અપર્યાપ્ત સૂક્ષ્મ નિગેાદના જીવને જે સર્વથા જઘન્ય શ્રુતમાત્રના અ’શ હેાય છે, એનાથી અન્ય સમયમાં જેટલે જ્ઞાનના અંશ વધે છે, તેને ‘ પર્યાય-શ્રુત ’ કહેવામાં આવે છે.
પર્યાય-સમાસ–શ્રુત—
:
ઉપયુ ક્ત પર્યાય-શ્રુતના સમુદાય · પર્યાય-સમાસ-શ્રુત ’ કહેવાય છે. અક્ષર શ્રુત
અકાર આદિ લખ્યક્ષરો પૈકી ગમે તે અક્ષરને ‘ અક્ષર-શ્રુત ’ કહેવામાં આવે છે. અક્ષર—સમાસ શ્રુત—
લન્ધ્યક્ષરા પૈકી બેના, ત્રણના ઇત્યાદિના સમૂહ ‘ અક્ષર-સમાસ-શ્રુત ’ છે.
૨૩૫
Jain Education International
દિવસ અને રાતની પ્રથમ અને ચરમ (ચતુર્થી) પૌરુષીમાં ભણાય તે ‘કાલિક’ કહેવાય છે. ( વ્હાલ્હેન નિવૃત્ત જાજિક્ષમ ) અને જે કાળનો સમય છેડીને સ` કાળ ભણાય તે ‘ઉત્કાલિક' છે. ઉત્તરાધ્યયન, દશાકલ્પ, વ્યવહાર, બૃહત્કલ્પ, નિશીથ, મહાનિશીથ, ઋષિભાષિત ગ્રન્થા, ખૂદ્દીપપ્રપ્તિ, અંગચૂલિકા, વગ ચૂલિકા, વિવાહચૂલિકા ઇત્યાદિ ગ્રન્થા ‘કાલિક મ્રુત’ છે. દશવૈકાલિક વગેરે ઉત્કાલિકના પણ અનેક પ્રકારા છે. જે જિનેશ્વરના જેટલા શિષ્યે મતિચતુષ્કથી મડિત હાય તેટલા હાર પ્રકીર્ણાંક ગ્રન્થા તે રચે ( પ્રત્યેક મુહની સંખ્યા પણ આટલી જ છે. મહાવીરસ્વામીના સમયમાં આવા ૧૪૦૦૦ અને ઋષભદેવના સમયમાં ૮૮૦૦૦ ગ્રન્થેા હતા. આ સંબંધમાં જે મતાંતર છે, તેના જિજ્ઞાસુએ ઉપર્યુક્ત ટીકાનું ૨૦૮ મું પત્ર જોવું).
૧ આનાં નામે વગેરે માટે જુએ સ્તુતિ-ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ ( પૃ૦ ૨૨ ).
For Private & Personal Use Only
www.jainelibrary.org