________________
૨૩૨ છવઅધિકાર.
[ પ્રથમ રૂપ વિશિષ્ટ સંજ્ઞા હેય-જેને મન હોય એના શ્રતને “ સંશ્રિત ” કહેવામાં આવે છે,
જ્યારે જે જીવેને મન નથી તે અસંસી છે અને તેનું જ્ઞાન અંસજ્ઞિકૃત ” છે. અત્ર નિર્દિષ્ટ સંજ્ઞાના ત્રણ પ્રકાર પડે છે–(૧) દીર્ઘકાલિકી, (૨) હેતુવાદ્યપદેશિકી અને (૩) દષ્ટિવાદે પદેશિકી. શું થઈ ગયું, શું થાય છે અને શું થશે, અમુક કામ મેં કર્યું, અમુક હુ કરું છું અને અમુક કામ કરીશ એ પ્રમાણે ભૂત, વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન-ચિન્તન જે દ્વારા થાય તેને “ દીર્ઘકાલિકી ” ચાને * કાલિકી ” સંજ્ઞા કહેવામાં આવે છે. આ સંજ્ઞાના અધિકારી ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય તેમજ દેવ અને નારક છે.
પિતાના શરીરને પાળવાને અર્થે ઈષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વસ્તુથી નિવૃત્તિ કરવામાં ઉપયોગી અને પ્રાયઃ વર્તમાનકાલિક સંજ્ઞા તે “ હેતુવાદ્યપદેશિકી” છે. આ સંજ્ઞા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને સંમૂર્છાિમ પંચેન્દ્રિયને હોય છે. પૂર્વોક્ત સંજ્ઞાની અપેક્ષાએ આ ઉતરતી છે.
દષ્ટિવાદોપદેશ-સંજ્ઞા વડે *ક્ષાપશમિક જ્ઞાનમાં વર્તનારા સમ્યગ્દષ્ટિની સંજ્ઞા તે અર્થાત ચૌદ પૂર્વધરની સંજ્ઞા તે “દૃષ્ટિવાદોપદેશિકી” છે. આ સર્વોત્તમ સંજ્ઞા છે.
સમ્યકુ-શ્રુત તથા મિથ્યા-શ્રુત
સમ્યગ્દષ્ટિ જીવનું શ્રુત “સમ્યક થત” છે, જ્યારે મિથ્યા-દષ્ટિ જીવોનું કૃત - મિથ્યા-થત ” છે. અંગપ્રવિષ્ટ તેમજ અંગબાહ્ય શ્રુત સ્વામીની અપેક્ષા વિના સ્વાભાવિક “સભ્યશ્રત છે, જ્યારે મહાભારત વગેરે લૌકિક વૃત “મિથ્યા-થત” છે. સ્વામીને વિચાર કરતાં તે સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ મહાભારતાદિ લૌકિક કૃત પણ સમ્યકશ્રત જાણવું. એવી રીતે મિથ્યાષ્ટિએ ગ્રહણ કરેલ આચારાદિ અંગગત શ્રત પણ મિથ્યા-ત
૧ પ્રજ્ઞાપનાદિસૂત્રમાં કહ્યું છે તેમ આહારાદિ દશ સંજ્ઞાઓ તો એકેન્દ્રિય જીવોને પણ છે, પરંતુ અન્ન તેને અધિકાર નથી. અહીં તે પંચેન્દ્રિય જીવો અને તેમાં પણ જેને મન હોય તેને ઉદેશીને આ કથન છે.
ર જ્ઞાનાવરણીય કર્મને આત્યન્તિક અત્ન આવતાં ઉદ્દભવતું જ્ઞાન “ક્ષાયિક' કહેવાય છે. આવું જ્ઞાન કેવલીને હોય છે. આ કેવલજ્ઞાનીઓને-જિનેશ્વરને સંશી કહેવાય તેમ નથી, કેમકે અતીત અર્થનું સ્મરણ અને અનાગત અર્થનું ચિન્તન તે “સંજ્ઞા’ કહેવાય છે. આવી સંજ્ઞા સર્વદા સર્વ અર્થને જાણનારાને ન સંભવે એ દેખીતી વાત છે. આથી તે ક્ષાયિક જ્ઞાનીને બદલે ‘ક્ષાપશમિક’ને અત્ર નિર્દેશ કરાયો છે.
, આ શ્રેષ્ઠ હોવા છતાં એને પ્રથમ પંક્તિમાં મૂકવામાં આવી નથી, અર્થાત વિશુદ્ધતા–અનુસારી ક્રમ પૂર્વક સંજ્ઞાઓ દર્શાવવામાં આવી નથી, તેનું કારણ એ છે કે સમગ્ર વ્યવહાર કાલિકી સંજ્ઞા વડે જ કરાય છે અને એથી કરીને તે એને આદ્ય સ્થાન આપવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org