SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત્ જાતિર મરણજ્ઞાનવાનું છવ પાછલા એક, બે, ત્રણ એમ ન ભ સુધી દેખે. આથી વધારે દેખવાને તેને સ્વભાવ નથી. આચારાંગની ટીકા (પત્રાંક ૨૧)માં શ્રીશીલાં કાચાર્ય તે સંખેય ભો દેખે એમ કહે છે. આ રહ્યો તે ઉલેખ – " जातिस्मरणं तु नियमतः सङ्ख्येयानिति " આ પ્રમાણે આપણે મતિજ્ઞાનનું દિગ્દર્શન કર્યું; હવે શ્રુતજ્ઞાન પરત્વે વિચાર કરીશું. શ્રુતજ્ઞાનનું લક્ષણ श्रुतज्ञानावरणक्षयोपशमप्रभवत्वे सति द्रव्यश्रुतानुसारिणी याssમસ્તરાર્થવરિરારિના વારિતદ્રારવું, શાત્ર-મનોનિમિત્તાવે सति श्रुतग्रन्थानुसारिबोधरूपत्वं वा, मतिज्ञानपूर्वकत्वे सत्याप्तोपदेशापेक्षया जायमानबोधरूपत्वं वा, वाच्यवाचकभावपुरस्कारेण शब्दसंसृष्टार्थग्रहणहेतुभूतोपलब्धिविशेषरूपत्वं वा श्रुतज्ञानस्य लक्षणम्। (३७) અર્થાત્ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ દ્વારા ઉત્પન્ન થનારે તથા દ્રવ્યકૃત (એટલે કે શબ્દ, લિપિ, લિંગ, ચેષ્ટા ઈત્યાદિક)ને અનુસરનાર અને પદાર્થોનું જ્ઞાન કરાવનારો એ આત્માને પરિણામ તે “શ્રુતજ્ઞાન” કહેવાય છે. શ્રોત્ર અને નેત્રરૂપ નિમિત્તે વડે ઉત્પન્ન થત એ તથા કૃતગ્રન્થને અનુસરનારે જે બેધ તે “શ્રુતજ્ઞાન સમજવું. મતિજ્ઞાન થયા પછી ઉત્પન્ન થનાર તેમજ આપ્તના ઉપદેશની અપેક્ષા રાખનાર એ બેધ તે “શ્રુતજ્ઞાન” જાણવું. વાચ્ચ-વાચક ભાવ દ્વારા, શબ્દ સાથે સંબંધ ધરાવનારા પદાર્થને ગ્રહણ કરવામાં કારણભૂત એવી ઉપલબ્ધિને પણ શ્રુતજ્ઞાન” કહેવામાં આવે છે. આ ઉપરાંત શ્રુતજ્ઞાનની અન્ય વ્યાખ્યા થઈ શકે છે, જેમકે આત્મા જે શ્રવણ કરે છે, તે ' શ્રુત” છે એમ પણ શ્રુતજ્ઞાનનું લક્ષણ આપી શકાય. આથી પ્રથમ વ્યાખ્યા સાથે વિરે દેખાય છે, પરંતુ તે વિધાભાસ છે, વસ્તુતઃ વિરોધ નથી. કહેવાની મતલબ એ છે કે જીવ શબ્દ સાંભળે છે, તેથી ઉપર્યુક્ત વ્યાખ્યા પ્રમાણે તે શબ્દ એ શ્રુતરૂપ જ્ઞાન થયો અને એથી કરીને આત્માને પરિણામ શુતજ્ઞાનરૂપ ન કર્યો, કેમકે શબ્દ તે પદ્ગલિક હોવાથી મૂત છે, જ્યારે આત્મા તે અમૂર્ત છે, તેમજ વળી મૂર્ત પદાર્થ અમૂર્તરૂપે પરિણત પણ થઈ શકતું નથી. આ પ્રકારે જે વિરોધ દષ્ટિગોચર થાય છે, તેનું નિરાકરણ એ છે કે શબ્દ એ વાસ્તવિક શ્રુતજ્ઞાનનું કારણ છે અને કારણમાં કાર્યને ઉપચાર કરવાથી તે શબ્દને પણ શ્રુતજ્ઞાન” કહેલું છે. અર્થાત્ શબ્દ એ “દ્રવ્યકૃત છે અને આત્માને પરિણામ તે “ભાવકૃત” છે. આથી પ્રથમ વ્યાખ્યા ભાવકૃતને ઉદ્દેશીને આપેલી છે એમ સમજાય છે. કણું અને મન તે મતિજ્ઞાનના પણ નિમિત્ત હોવાથી, એ સાધન દ્વારા ઉત્પન્ન થતા ૧ આ નિમિત્તોને અવધિજ્ઞાન, મનઃપયયજ્ઞાન અને કેવલજ્ઞાનમાં અભાવ છે, કેમકે તે ઇન્દ્રિય અને મનની અપેક્ષા રાખતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy