________________
છવ-અધિકાર
[ પ્રથમ
પ્રતિબિંબ દેખાડવું જોઈએ. આ પ્રમાણે સામાન્યથી તેણે જોયું તે મતિચતુષ્કમાં અવગ્રહા- “અવગ્રહ’ નામને મતિને પ્રથમ ભેદ થયો. આ પછી તે એ દિ માટે અવકાશ વિચાર કરે કે તળાવમાંના જળમાં પડેલું પ્રતિબિંબ ઠીક પડશે
કે દર્પણમાં પડેલું? આ પ્રકારનું પ્રતિબિંબ સંબંધી વિશેષ અન્વેષણ તે “હા” છે. આવી ઈહા થયા પછી જળાદિમાં પહેલું પ્રતિબિંબ પ્રતિક્ષણે અસ્થિર અને અસ્પષ્ટ હોવાથી યુદ્ધ કરાવવા માટે ઠીક નહિ પડે, કિન્તુ આદશમાં પડેલું પ્રતિબિંબ સ્થિર અને સ્પષ્ટ હોવાથી તેનાથી બેડો પાર પી શકશે એ નિશ્ચય કરે તે અપાય છે. આ પ્રમાણે બુદ્ધિવિષયક બીજાં ઉદાહરણ માટે ઘટાવી લેવું. જાતિસ્મરણ જ્ઞાન
જાતિસ્મરણ જ્ઞાન એ કેવું જ્ઞાન છે? આને ઉત્તર એ છે કે એ એક પ્રકારનું સ્મરણ છે, એથી એને આભિનિધિક જ્ઞાન તરીકે ઓળખાવવામાં આવે છે. આ હકીકતની આચારાંગ (અ) ૧, ઉ૦ ૧, સૂ૦ ૪)ની શ્રીશીલાંકાચાર્યકુત ટીકાને ૨૦ માં પત્રગત નિમ્ન-લિખિત ઉલેખ સાક્ષી પૂરે છે –
“કાતિક્ષા યામિનિ થિવિશેષઃ ” જે વ્યક્તિને આ જ્ઞાન ઉદ્ભવે છે તે તેમ થતાં મૂચ્છ પામે છે એમ ચરિત્ર ઉપરથી જણાય છે, પરંતુ એમ થવું જ જોઈએ એવા નિયમસૂચક કેઈ ઉલ્લેખ મારા જોવામાં આવ્યો નથી. આ જ્ઞાનથી વિભૂષિત મનુષ્ય પૂર્વ ભવ વિષયક શરીરને નાશ થયેલ હોવા છતાં તે ભવની વાત સંભારે છે. આમાં કંઈ આશ્ચર્ય જેવું નથી, કેમકે શું વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ પિતાની બાલ્યાવસ્થાની વાતે યાદ કરી શકતું નથી? અથવા તે શું પરદેશ ગયેલી વ્યક્તિ સ્વદેશમાં બનેલા બનાવે સંભારી શકતી નથી? વિશેષમાં આ જ્ઞાનનું પ્રાબલ્ય તો એટલું બધું છે કે એક બે ભવની વાત નહિ, કિન્તુ નવ ભ સુધીની હકીકત તેને તાજી થઈ જાય છે. શ્રીસમયસુન્દર ઉપાધ્યાયે વિચારશતકમાં કહ્યું પણ છે કે"जातिस्मरणो मनुष्यो नव भवान् पश्यति, न त्वधिकान् , इदं च मतिज्ञानभेदः" આ વાતને રત્નસારની નિમ્નલિખિત ગાથા પુષ્ટિ આપે છે –
"पुव्वभवा सो पीछइ, एक दो तिन्नि जाव नवगं वा।
उवरिं तस्स अविसओ, सभावओ जाइसरणस्स ॥" ૧ સમરચકહા, તરંગવતી, જ્ઞાનપંચમીથા ઈત્યાદિમાં જાતિસ્મરણ થતાં તે વ્યક્તિ મૂચ્છ પામે છે એમ જોવાય છે. ૨ છાયા
પૂર્વવાન ર પરાતિ પર્વ રૌ ગ્રીન રાવત નવજાર વા | उपरि तस्य अविषयः स्वभावतो जातिस्मरणस्य ॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org