________________
૨૨૪ જીવ–અધિકાર.
[ પ્રથમ આચાર્યના ઉપદેશથી જે પ્રાપ્ત થાય તે શિલ્પ” કહેવાય, અથવા તો જે નિત્ય વ્યાપારરૂપ હેય તે “શિલ્પ” જાણવું. સ્વતઃ જે પ્રાપ્ત કર્યું હોય તે “કમ' કહેવાય અથવા તે કઈ કઈ દિવસે જે કરવામાં આવે તે “કર્મ” સમજવું. કર્મોના અભિનિવેશથી પરમાર્થને બંધ કરાવનારી તથા કર્મના અભ્યાસ અને વિચારથી પલ્લવિત થયેલી અને કીતિરૂપ ફળને આપનારી અને તે તે જાતનાં કર્મો કરવામાં નિપુણ એવી મતિને “કામિકી” મતિ સમજવી. આ સંબંધમાં નન્દી(ગા૬૮)માં (૧) સેન, (૨) ખેડુત, (૩) વણકર, (૪) ઝવેરી, (૫) ઘી વેચનાર, (૬)
મને લાગ્યું. ઊભા થઈને ચાલતી વેળા પ્રથમ જમણે પગ ભારથી મૂકેલો જે તે પ્રસૂતિની પીડા ભોગવી રહી છે અને આજ કાલમાં તેને પુત્ર આવશે એમ મેં જાણ્યું.
એવી રીતે વૃદ્ધાએ પ્રશ્ન પૂછયો તે જ વખતે ઘડો પડીને ભાગી ગયે, તેથી મેં એમ વિચાર્યું કે જેમ ઘડે જ્યાંથી ઉત્પન્ન થયા હતા ત્યાં જ ફરી મળી શકે તેવી રીતે આનો પુત્ર અને અત્યારે મળવો જ જોઈએ.
આ પ્રમાણે વિનીત શિષ્યના કથનથી પ્રસન્ન થઈ ગુરુએ તેની પ્રશંસા કરી અને બીજા શિષ્યને કહ્યું કે ભાઈ ! આમાં દેષ તારે જ છે, કેમકે તું જે શીખે તેનું તેં મનને ન કર્યું; એમાં અમારો લેશ પણ દેષ નથી; કેમકે અમારું કામ તે શાસ્ત્રના અર્થને ઉપદેશ જ આપવાનું છે, જ્યારે એનો પરામર્શ કરવો એ તમારું કામ છે. આ દૃષ્ટાન્તમાં વિનયશાળી શિષ્યની બુદ્ધિ ‘વૈનાયિકી' જાણવી. ૧ સરખાવો નન્દીસૂત્રની નીચે મુજબની ૬૭ મી ગાથા–
" उव भोगदिट्ठसारा कम्मपसंगपरिघोलण विप्ताला । __साहुक्कारफलबई कम्मसमुत्था हवइ बुद्धी ॥" [ કાણોદૃષ્ટિકા મતરિણાવિશારા |
साधुकारफलवती कर्मसमुत्था भवति बुद्धिः ॥ ૨ કાઈક ચોરે રાત્રે એક વણિકને ઘેર પદ્મના આકારવાળું ખાતર પાડી ચોરી કરી. સવારે કઈ ન જાણે કેમ તે જ ઘર આગળ ગુપચુપ આવીને ખાતર સંબંધી સમાચાર જાણવા માટે એકઠા મળેલા લોકોની વાત સાંભળવા લાગ્યા. તેવામાં એક ખેડુત ત્યાં આવી ચડ્યું. તે આ ખાતરને જોઈને બે કે એમાં શી નવાઈ છે? જેણે જેનો પૂરેપૂરો અભ્યાસ કર્યો હોય, તેના કાર્યમાં કચાસ રહે શાની ? ખેડૂતનું આ કથન સાંભળીને ચોરને ઘણી રીસ ચડી. આથી બીજા લોકોને તેણે પૂછયું કે આ કોણ છે અને ક્યાં રહે છે ? તેને પત્તે મેળવી ચેર ચાલતે થયે.
એક દિવસે લાગ જોઈ તે છરી લઈને પેલે ખેડુત ખેતરમાં કામ કરતે હતા ત્યાં જઈ પહોંચે. ત્યાં જઈને તેણે ખેડુતને કહી સંભળાવ્યું કે તે દિવસે તેં મારા ખાતરના વખાણું ન ર્યા તેથી આજે તારું હું ખુન કરવા આવ્યો છું. ખેડુતે કહ્યું કે તે વેળા મેં સાચું જ કહ્યું હતું કે જે કાર્ય કરવાને જેને રાજને મહાવરો હોય છે તેને હાથે તે સર્વોત્તમ થાય એમાં શું અચંબે ? દાખલા તરીકે મારી જ કુશળતા છે. આ મારા હાથમાં મગના દાણું છે. તે જો તું કહે તે સઘળા અધે-મુખે (અવળા) પાડું, કહે તો ઊર્ધ્વમુખે (ચત્તા ) પાવું અને કહે તે એક બાજુ પડતા પાડું. આ સાંભળીને ચેરને આશ્રય થયું અને તેણે કહ્યું કે અધોમુખે પાડ. ખેડુતે વસ્ત્ર પહોળું કરી બધા દાણા કહ્યા પ્રમાણે પાડી બતાવ્યા. આથી વિસ્મય પામેલા ચારે તેની પ્રશંસા કરી અને તેને મારી નાંખવાનો વિચાર માંડી વાળ્ય. અત્ર ખેડૂત અને ચેર એ બંનેની બુદ્ધિ “કામિકી’ જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org