________________
૨૨૦
જીવ-અધિકાર
[ પ્રથમ
- ફરી બીજી વખત રાજાએ તે ગામમાં એક કુકડો મોકલાવી આજ્ઞા કરી કે બીજો કૂકડે પાસે રાખ્યા વિના આને યુદ્ધ કરા. આ વેળા ગામના લોકોએ રોહુકની સલાહ લઈ એક દર્પણ (આરસ) મંગાવ્યો. તેમાં પોતાનું પ્રતિબિંબ જોઈને તેને પ્રતિસ્પદ્ધિ અન્ય કૂકડો ધારી આ કુકડો તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. ગુપ્તચરોએ આવી રાજાને આ વાત નિવેદન કરી, તેથી તે ખુશી થ
અન્યદા રાજાએ આ ગામના લોકોને કહેવડાવ્યું કે નદીની રેતીનાં દોરડાં વગી મોકલાવે. આવો અસંભવિત આદેશ સાંભળી લોકે ગભરાઇ ગયા. તેઓ રાહુકને શરણે ગયા એટલે તેણે તેમને ઉપાય સૂઝાડજો કે રાજાને કહેવડાવે કે મહારાજ ! આપના ભંડારમાં રેતીનાં જુનાં દોરડાં પડયાં હશે. તેમાંથી એક નમુના માટે મોકલાવો. તે જોઇને અમે દોરડાં તૈયાર કરી મોકલીએ. આ સાંભળી રાજા કંઈ ન બોલતાં મૌન ધારણ કરી રહ્યો.
ફરી એક વેળા રાજાએ ઘરડે, રોગી અને મરી જવાની અણી ઉપર એવો હાથી આ ગામમાં મોકલાવ્યો અને ફરમાન કર્યું કે આ હાથી મરી ગયે એમ કહ્યા વિના દરરોજ તેની ખબર કહાવવી. હાથી તે તે જ રીતે મરી ગયે. હવે સંદેશે કેમ પહોંચાડે તેને તેડ રેહકે કાઢી આપતાં કહ્યું કે જઈને રાજાને નિવેદન કરે કે હાથી બેસતું નથી, ઊઠતો નથી, આહાર-વિહાર કરતા નથી, શ્વાસ લેતા નથી કે મૂકતો નથી, કોઈ પણ જાતની સચેતન ચેષ્ટા કરતો નથી. આ સાંભળતાં રાજા બોલ્યા કે શું ત્યારે તે મરી ગયા છે ? ગામના મુખીએ જવાબ આપ્યો કે આપ એમ કહે છે, અમે એમ કહેતા નથી. આ વૃત્તાન્તથી રાજા ખુશી થયે.
કેટલાક સમય વીત્યા બાદ રાજાએ આ ગામના લોકોને ફરીથી આજ્ઞા કરી કે તમારા ગામના કવાનું પાણી બહુ મીઠું છે, વાસ્તે તે કો અહીં મેકલા. શિહેકની સલાહ અનુસાર લેકેએ ઉત્તર દીધા કે ગામડાના લોકોની પેઠે આ અમારે કુ સ્વાભાવિક રીતે બીકણ છે, વાસ્તે આપના નગરના માર્ગથી પરિચિત એક કથાને અહીં મોકલશે કે જેની સાથે અમે આ કુવાને આપને ત્યાં મોકલીએ. આથી રાજા નિરુત્તર થયા.
વળી ડા દિવસ પસાર થયા એટલે રાજાએ હુકમ કર્યો કે ગામની પૂર્વ દિશામાં વન છે તે -પશ્ચિમમાં થાય તેમ કરે. હકની સૂચનાથી ગામના લોકોએ વનની પૂર્વ દિશામાં વસવાટ કર્યો એટલે વને પશ્ચિમમાં થઈ ગયું. આ વૃત્તાન્તથી રોજાને અતિશય આનંદ થયો.
ફરી બીજી વાર રાજાએ કહાવ્યું કે અગ્નિના સંબંધ વિના ખીર રાંધીને મોકલો. અજ્ઞાનું પાલન કરવા માટે ગામના લોકોએ રાહુકની બુદ્ધિને ઉપયોગ કર્યો તેની સલાહ મુજબ તેમણે ચેખાને ઘણા પાણીમાં પલાળ્યા અને પછી ચોખાની તપેલીમાં દૂધ રેડી તેને સૂર્યના કિરણોથી તપેલાં છાણાં વગેરેના બાકમાં મૂકી. આમ કરવાથી ખીર તૈયાર થઈ એટલે રાજાને તે મોકલાવી.
આ પ્રમાણે ઉત્તરોત્તર પરીક્ષામાં રોહકને ઉત્તીર્ણ થતો જોઈ તેને પ્રધાન પદ આપવાની અભિલાષાથી રાજાએ તેને પિતાની પાસે બોલાવ્યા, પરંતુ સાથે સાથે કહેવડાવ્યું કે તારે શુકલ પક્ષમાં કે કૃષ્ણ પક્ષમાં ન આવવું, રાતે કે દહાડે ન આવવું, ખુલ્લામાં, છાંયડામાં કે તડકામાં ન આવવું, પગે ચાલીને ન આવવું, માગે કે ઉન્માર્ગે ન અડવવું તેમજ સ્નાન કરીને કે કર્યા વિના પણ ન આવવું. આ પ્રમાણેની નૃપતિની આજ્ઞા સાંભળી રહ્યું કે કંઠ સુધી સ્નાન કર્યું અને ગાડાના ચીલાના મધ્ય ભાગને માર્ગે ઘેટા ઉપર બેસીને માથે ચાલણીનું છત્ર ધારણ કરીને સયાસમયે અમાસના ઉપર પડ થતો હતો તે દિવસે તે રાજા પાસે જવા નીકળે. ખાલી હાથે રાજા, દેવ કે ગુરુનું દર્શન ન કરવું એ લોકોક્તિને ધ્યાનમાં લઈ તે પૃથ્વીને પિંડ લઈ પૃથ્વી પતિ પાસે આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org