SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ જીવ-અધિકાર. [ પ્રથમ પરિણામિકી મતિનું લક્ષણ प्रतिज्ञाहेतुमात्रेण साध्यसाधिका वयःपरिपाकेण पुष्टोभूताऽभ्युदयमोक्षदायिनी या बुद्धिस्तद्रूपत्वं पारिणामिक्या लक्षणम् । (३६) અર્થાત્ પ્રતિજ્ઞા અને હેતુ એ બે અવયવે દ્વારા સાધ્યને સિદ્ધ કરનારી, વયની પરિપક્વતાથી પુષ્ટ થયેલી (એટલે કે અનુભવ દ્વારા ખલેલી) અને સંપત્તિ તેમજ મુકિતને આપનારી એવી મતિને પરિણામિકી મતિ કહેવામાં આવે છે.' આ ઉપર્યુક્ત લક્ષણને સ્પષ્ટ બંધ થાય તેટલા માટે તે લક્ષણોને છુટ શબ્દમાં રજુ કરવામાં આવે છે. જે અર્થ પૂર્વે દષ્ટિગોચર થ ન હાય શ્રવણપથ પર પણ આવ્યા ન હોય તેમજ જેનું મન દ્વારા ચિન્તન પણ કર્યું ન હોય તેવા અને તત્ક્ષણ જ જે બુદ્ધિ દ્વારા ગ્રહણ કરી શકાય તેવા પદાર્થ વિષયક, બન્ને લેકમાં વિધ વિનાની અને અવશ્ય ફળને આપવાવાળી મતિને “ ત્પાતિકી” મતિ કહેવામાં આવે છે. આને માટે (૧) કરેહક, ૧ સરખા નન્દીસૂત્રની નિમ્નલિખિત ગાથા – femનિલેસના “ grifમગા' નામ || દૂર છે ” [ अनुमान हेतु दृष्टान्तसाधिका वयोविपाकपरिणामा। हितनिःश्रेयसफलवती बुद्धिः पारिणामिका नाम ॥ ૨ સરખા નન્દીસૂત્રની નિમ્નલિખિત ગાથા – " पुरुवं अदिट्ठमस्सुअमवेक्ष्य तक्खण विसुद्धगहिअत्या।। અથવાદાનો ૩ “રત્તિકા' નામ | દૂર !” [पूर्वम दृष्टमथुतमवेदितं तत्क्षण विशुद्धगृहीतार्था । - ૩ “ ઉજજયિની” નગરીની પાસેના ગામમાં એક નટ રહેતો હતો. તેનું નામ ભરત હતું. તેની સ્ત્રી પોતાના હક નામના પુત્રને બાલ્યાવસ્થામાં મા વિનાને કરી પરલોક ચાલતી થઈ. આથી તેની સાર સંભાળ લેવા માટે ભારતે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યું. આ સ્ત્રી રેહકની સાથે સારી રીતે વર્તતી હતી નહિ, તેથી એક દિવસે તેણે તેને કહ્યું કે હે મા ! હું આ દુષ્ટ વર્તનનું તને ફળ ચખાડીશ, અપર માતાએ કહ્યું કે અરે નાદાન ! તું શું કરી શકવાનો હતો ? રેહકે કહ્યું કે મારે પગે તને લગાડું ત્યારે હું ખરે. આ સ્ત્રીએ પિતાની વર્તણુક તેવી છે તેવી ચાલુ રાખી એથી પ્રસંગ મળતાં રેહકે એકદમ રાત્રિએ અચાનક જાગી ઊઠવાને ડોળ કરી પિતાના પિતાને કહ્યું કે હે તાત : જુઓ આ કોઈ પુરૂષ આપણા ઘરમાંથી ચાલ્યો જાય છે. આથી ભારતને શક ગયે કે એની નવીન ભાય દુરાચારિણી હોવી જોઈએ. આવા વહેમથી તેણે તેનો સત્કાર કરે છેડી દીધું. આથી તે સ્ત્રીએ રેહકને વિનવી કહ્યું કે બેટા ! તારા પિતા મારી સાથે બરાબર બોલતા પણ નથી, તેમાં શું તારે હાથ છે ? જે એમ હોય તે હે પુત્ર ! મારે ગુન્હો માફ કર, હવેથી હું તારી સાથે સારી રીતે વર્તીશ. હકે તે વાત કબુલ રાખી અને અપર માતા પણ તેને પ્રીતિ પૂર્વક પાળવા લાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy