________________
ઉલ્લાસ ]
આહત દર્શન દીપિકા
૨૧૫
૩૩૬ ભેદો થાય છે. તેમાં અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ઔત્પાતિકી વગેરે ચાર બુદ્ધિરૂપ ચાર ભેદો ઉમેરતાં મતિજ્ઞાનના ૩૪૦ ભેદો થાય છે. એથી પણ વિશેષ ભેદો મતિજ્ઞાનના સભવે છે. કેમકે આપણે ૫૧મા પૃષ્ટમાં જોઇ ગયા તેમ પ્રકાશ, વિષય વગેરે મતિજ્ઞાનનાં બાહ્ય નિમિત્તેા છે, જ્યારે મતિજ્ઞાનાવરણને ક્ષયાપશમ-ઉપયોગ અને ઉપકરણેન્દ્રિય એ એનાં અભ્યન્તર નિમિત્તા છે. આ નિમિત્તોના અનેક ભેદ્દાને ધ્યાનમાં લેતાં અર્થાત્ વિષયાદિના સ્પષ્ટ, અવ્યક્ત, મધ્યમ, અલ્પ, અડું, નજીક, ક્રૂર વગેરે ભેદોને તેમજ ક્ષયે પશાહિના શુદ્ધ, અશુદ્ધ, મધ્યમ વગેરે ભેદોની તરતમતાને લક્ષ્યમાં લેતાં મતિજ્ઞાનના અનંત ભેદો સભવે છે, કેમકે સામાન્યથી મતિજ્ઞાનવાળા જીવા અનંત છે અને તેમના ક્ષયે પશમની ભિન્નતાને લઇને મતિજ્ઞાનના પણ તેટલા ભેદા પડે છે. આ હકીકત વિશેષાની નિમ્નલિખિત ગાથા ( અને તેની ગૃહવૃત્તિ )ને આભારી છે:~
<4
ऐवं बज्झ - अंतर निमित्तव चित्तओ महबहुत्तं । किंचित्तविसेसेण भिमाणं पुणोऽणतं ॥ २११ ॥
11
આ પ્રમાણે શ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે કેટલીક શંકાઓ અને તેના સમાધાના તરફ ઉડતી નજર કરીએ.
અવગ્રહમાં માર ભેદ્દાની ઘટના——
અવગ્રહ ( અર્થાવગ્રહ )ને કાલ જ્યારે નિશ્ચયનય પ્રમાણે એક સમયના છે, તે પછી બહુ, બહુવિધ ઇત્યાદિ ખાર પ્રકારનું જ્ઞાન વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ પરત્વે તેટલા ટુક વખતમાં કેવી રીતે થઇ શકે ? આનું સમાધાન એમ કરવામાં આવે છે કે આપણે ૨૧૨ મા પૃષ્ઠમાં જોઇ ગયા તેમ અર્થાવગ્રહના એ પ્રકારે છે: એક એક સમયના અને બીજો અન્તર્મુહૂતના છે. આમાં નૈશ્ચયિક અથવા પ્રથમ પ્રકારના અર્થાવગ્રહમાં આર ભેદે ઘટી શકતા નથી, એ વાત સત્ય છે. અત્ર જે બાર ભેદ આપ્યા છે તે વ્યાવહારિક અર્થાત્ ખીજા પ્રકારના અર્થાવગ્રહને ઉદ્દેશીને સમજવાના છે. આ સબંધમાં તત્ત્વાર્થની ગૃહવ્રુત્તિમાં (પૃ૦ ૮૪)માં કહ્યું છે કે વૈશ્ચિયિક અર્થાવગ્રહ થયા બાદ ઈહા અને અપાય થાય છે. આ અપાયને અવગ્રહ તરીકે ઉપચાર કરાય છે, કેમકે આગામી ભેદોને સ્વીકારીને આની મદદથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. જેમકે ૨૧૦ મા પૃષ્ઠમાં અવગ્રહાર્દિક સમજાવતાં વૃક્ષનું ઉદાહરણ લીધુ હતુ તેમાં આ વૃક્ષ જ છે એ પ્રકારના બેાધને અપાય તરીકે આળખાળ્યા છે, તે વાતને લક્ષ્યમાં રાખીને, આ વૃક્ષ આમ્રનુ હોવુ જોઇએ એ પ્રકારની ઈહા અને તે આમ્રતુ જ વૃક્ષ છે એ પ્રકારના અપાય કરી શકાય છે. વળી આ અપાયને ફરીથી પશુ અવગ્રહ તરીકે ઉપચાર થઇ શકે, કેમકે આ આમ્ર વૃક્ષ પર ફળ આવેલાં છે કે નહિ એવા પ્રશ્ન વિચારી શકાય. આ પ્રમાણે અપાયને અવગ્રહ તરીકે ઉપચાર થઇ શકે છે એ વાત આપણે જોઇ.
૧ છાયા
Jain Education International
एवं बाह्याऽभ्यन्तरनिमित्तवैचित्र्यतो मतिबहुत्वम | ક્રિશ્ચિમવિરોનેન મિયમાન ગુનનન્તમ્ II
For Private & Personal Use Only
www.jainelibrary.org