________________
ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત, નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત; મીઠી મનોહર વાડી આ હારી નંદનવન શી અમલ, રસ ફુલડાં વીણતા વીણતાં ત્યાં કરીએ નિત્ય કલોલ, અમારી સન્ત મહન્ત અનન્ત વીરોની વહાલી અમારી માત, જય જય કરવા હારી જગતમાં અર્પણ કરીએ જાત.
અમારી ગુણવંતી ગુજરાત.”
એ જ કવિ ખબરદારની રસભરી કવિતાની માનીતી રસવંતી ગુજરાત અને આજની પિતાના નવકુસુમ જેવા કે મળ બાળકોની સામે મુખેની કુરબાનીઓથી શૌર્યવંતી બનેલી ગુજરાત' જેનાં સંતાનો એક વખત નમાલાં, સુકોમળ અને ભીરુ ગણાતાં હતાં એ જ ગુજરાત. અને આજે સમયધર્મની હાકલ પડતાં અનેક મેંઘા પુત્રોની કુરબાની આપનાર પણ એ જ ગુજરાત કે જેના ખોળામાં જેનાં સંતાનોએ તલવારના ખેલે પણ ખેલ્યાં છે-હજારો વિલાસ પણ ભેગવ્યાં છે; અરે જેનાં કેટલાંક બાળકો નિરક્ષર ભટ્ટાચાર્યો પણ થયાં છે, જ્યારે કેટલાંકે તે વિદ્યાના ક્ષેત્રમાં અદ્વિતીય કાર્યો કર્યા છે, કેટલાંકે જર, જમીન અને જેરૂને માટે માથાં પણ મેલ્યાં છે અને કેટલાંકે તેને તૃણવત્ ત્યાગ પણ કીધે છે, કેટલાંક વિલાસમાં લપટાયા પણ છે અને કેટલાંક સાધુતાની શ્રેષ્ઠતાએ પણ પહોંચ્યાં છે. આવી વિચિત્ર સ્વરૂપી ગુજરાતના એક ત્યાગી અને વિદ્વાન મહાજનની આ રેખામાં જીવનકથા છે.
વડોદરા રાજયમાં “હેસાણા’ ગામની પાસે એક “લીંચ' નામનું ગામડું છે. એની વસ્તી ત્રણ હજારથી વધારે નહિ હોય. એની સુંદરતામાં પ્રાકૃતિક સુંદરતા સિવાય માનવકૃત સુંદરતા કાંઈ જ નથી એમ કહેવાય. હિંદુસ્તાનનાં ગામડાં એટલે કાંઈ સુવડ, સ્વચ્છ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org