SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ ઉલ્લાસ, 3 આહ તે દર્શન દીપિકા. તના અભ્યાસ વિના–એના સંસ્કાર વગર સ્વાભાવિક વિશિષ્ટ (અર્થાત્ મતિજ્ઞાનાવરણીય કર્મના ) ક્ષપશમથી ઉત્પન્ન થતી બુદ્ધિ તે “અશ્રુતનિશ્ચિત અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનનું મતિજ્ઞાન” છે. અન્ય શબ્દોમાં કહીએ તે સર્વથા શાસ્ત્રના લક્ષણ અર્થને જરા પણ સ્પર્શ કર્યા વિના ફક્ત મતિજ્ઞાનાવરણીય કમના ક્ષેપશમની મદદથી વરતુને યથાર્થ બોધ કરાવનારી મતિ તે “અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન” છે. આ ઉપરથી સમજાય છે કે પ્રથમ પ્રકારના મતિજ્ઞાનમાં સંકેત-કાલમાં શ્રુતાનુસારિત્વ રહેલું છે અર્થાત્ આ જ્ઞાન ઉત્પન્ન થયું તે પૂર્વે તે શ્રુતજ્ઞાનથી સંસ્કારિત થયેલું છે, કિન્તુ ઉત્પત્તિ-સમયે કૃત તેના ઉપર કશો પ્રભાવ પાડતું નથી; જ્યારે દ્વિતીય પ્રકારમાં તે સંકેત-કાલમાં પણ શ્રતને અનુસરવાપણું રહેલું નથી. એટલે સંકેત-કાલને આશ્રીને નહિ, કિન્તુ ઉત્પત્તિ-સમયને લક્ષ્યમાં રાખીને એમ કહી શકાય કે– " इन्द्रियमनोनिमित्तं श्रुताननुसारि ज्ञानं मतिज्ञानं, श्रुतानुसारि च श्रुतज्ञानम्” . અર્થાત્ ઇન્દ્રિય અને મનરૂપ નિમિત્તવાળું તેમજ શ્રતને નહિ અનુસરનારૂં જ્ઞાન તે “મતિશાન” છે, જ્યારે ઈન્દ્રિય અને મનરૂપ નિમિત્તવાળું અને શ્રુતને અનુસરનારૂં જ્ઞાન તે “શ્રુતજ્ઞાન છે. આ પ્રત્યેક પ્રકારના મતિજ્ઞાનના ચાર ચાર ભેદ છે, તેમાં શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના અવગ્રહ, “હા, અપાય અને ધારણા એ ચાર ભેદ છે એમ ગ્રન્થકાર નિમ્નલિખિત શબ્દો દ્વારા સૂચવે છે – श्रुतनिश्रितं चतुर्धा-अवग्रहे हाऽपायधारणाभेदात् આ પૈકી અવગ્રહનું લક્ષણ બાંધતાં ગ્રન્થકાર કર્થ છે કે– अनिर्दिश्यमानसामान्यमात्रार्थग्रहणरूपत्वमवग्रहस्य लक्षणम् । (१८) અર્થાત (અન્ય વ્યક્તિને ન દર્શાવી શકાય એવું અને ફક્ત (એટલે કે સત્તારૂપ નહિ પરંતુ એથી વિશિષ્ટ) સામાન્યને ગ્રહણ કરનારૂં જ્ઞાન અવગ્રહ” કહેવાય છે. અવગ્રહનું લક્ષણ કહેવાનું તાત્પર્ય એ છે કે રૂપ, રસ વગેરે વિશેષતાઓ વડે જેને નિર્દેશ થયો નથી એવા અને એથી કરીને અવ્યક્ત સ્વરૂપવાળા અર્થનું દર્શન થયા બાદ તેનું સામાન્યપણે આદ્ય ગ્રહણ–તેને સ્કૂલમાં સ્કૂલમાં બંધ તે “અવગ્રહ છે. આ સંબંધમાં તત્ત્વાર્થરાજ (પૃ૦૪૨)માં કહ્યું પણ છે કે— ' विषयविषयिसन्निपातसमन्तरमाद्यग्रहणमवग्रहः " ૧ જુઓ જૈનતર્ક પરિભાષાનું ૧૧૪ મું પત્ર. २ अवकृष्टो ग्रहोऽवग्रहः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy