________________
ઉલ્લાસ ]
આહુત દાન દીપિકા.
૧૯૯
(૮) આ વ્યક્તિને તત્ત્વનો નિશ્ચય થયા નથી, તેમાં સદેડ હોવાથી. અત્ર સ ંદેહ અનિશ્ચયથી વ્યાપ્ત છે.
(૯) આ વ્યક્તિને ક્રોધ શમ્યા નથી, તેના વદનમાં વિકાર હોવાથી. અત્ર વદનના વિકાર એ અનુપશમનું કાય છે.
(૧૦) આ વ્યક્તિનું વચન અસત્ય નથી, તેનુ જ્ઞાન રાગ-દ્વેષાદિ કલ`કથી રહિત હોવાને લીધે. અસત્યનુ કારણુ રાગ-દ્વેષાદિ કલંક છે એટલે આ કારણ-હેતુ છે.
(૧૧) મુ પછી પુષ્પતારાના ઉદય થશે નહિ, રાહિણીના અત્યારે ઉદય થયેલા હેાવાથી. (૧૨) મુત પૂર્વે મૃગશિરના ઉદય થયા હતા નહિ, અત્યારે પૂર્વ ફલ્ગુનીના ઉદય હોવાથી, (૧૩) આ મહાનુભાવનુ જ્ઞાન મિથ્યાજ્ઞાન નથી, સમ્યગ્દશ ંનથી તે વાસિત હોવાથી. અત્ર સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની સહચરતા છે,
પ્રતિષેધઘાતક અવિરૂદ્ધ અનુપલબ્ધિરૂપ હેતુનાં દૃષ્ટાન્તા—
(૧૪) આ સ્થળે ઘડા નથી, નેત્રાદિ સામગ્રી હોવા છતાં તેનું દર્શન નહિ થતુ હોવાથી. (૧૫) આ પ્રદેશમાં કેરીનુ ઝાડ નથી, કેઇ પણ વૃક્ષની ઉપલબ્ધિ નહિ હોવાથી. (૧૬) અહીં અપ્રતિહત સામર્થ્યવાળું બીજ નથી, અંકુરના દર્શન નહિ થતા હોવાથી. (૧૭) આ વ્યક્તિમાં પ્રશમ, સ ંવેગ, ઇત્યાદિ ભાવા નથી, સમ્યગ્દર્શનના અભાવ હોવાથી. (૧૮) મુહૂત પછી સ્વાતિ નક્ષત્રના ઉદય થશે નહિ, અત્યારે ચિત્રા નક્ષત્રના ઉદય નહિ જોવાતા હોવાથી.
(૧૯) મુહૂ પૂર્વે ભરણીના ઉદય થયા હતા નહિ, અત્યારે કૃત્તિકાના ઉચ નહિ થયેલે
હોવાથી.
(૨૦) આ વ્યક્તિનું જ્ઞાન સમ્યજ્ઞાન નથી, તેનામાં સમ્યગ્દર્શનની અનુપલબ્ધ હોવાથી, વિધિસાધક વિરૂદ્ધ અનુપલબ્ધિરૂપ હેતુનાં દૃષ્ટાન્તા—
(૨૧) આ વ્યક્તિમાં રાગના અતિશય છે, આરોગ્યના વ્યાપારના ચિહ્નોની અનુપમ્પિં
હોવાથી.
(૨૨) આ પ્રાણીને કષ્ટ છે, ઇષ્ટ સંચાગના અભાવ હોવાથી.
(૨૩) સમસ્ત વસ્તુઓ અનેકાન્ત-સ્વભાવવાળી છે, એકાન્ત-સ્વભાવની અનુપલબ્ધિ હોવાથી. (૨૪) અહીં છાયા છે, ઉષ્ણતાની અનુપલબ્ધિ હોવાથી.
(૨૫) આનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે, સમ્યગ્દર્શનની અનુપલબ્ધ હોવાથી.
હેત્વાભાસ—
હેતુના સ્થાનમાં યેજાયેલા હોવાથી હેતુ જેવા જણાય, પરંતુ ખરી રીતે સત્ય નિ`ય કરવામાં જે કામ ન લાગે તે ‘ હેત્વાભાસ ’ કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે હેતુનું અવિનાભાવરૂપ લક્ષણ જે હેતુમાં ન હોય તે ‘ હેત્વાભાસ ’ કહેવાય છે. એટલે કે અન્યથાનુપત્તિરૂપ સક્ષણની પ્રતીતિ ન હોય કે તેમાં સંશય રહેતા હોય કે તેના ચા` વિપર્યાસ જણાતા હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org