________________
જીવ–અધિકાર.
[ પ્રથમ
સાહચય ની-સાથે રહેવાના સંબંધની પરીક્ષા કરવાને અધ્યવસાય તે · તક ” છે. આ તર્કનું કા વ્યાપ્તિના નિશ્ચય કરી આપવાનુ છે. જ્યાં સુધી વ્યાપ્તિના તર્ક ની ઉપયેાગિતા નિશ્ચય ન થાય ત્યાં સુધી અનુમાન ન થઇ શકે. જેમકે જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે એવા નિ ય થયા વિના કોઇ સ્થળે ધૂમ જોવામાં આવે તે ત્યાં શું અગ્નિ હોવાનું અનુમાન કરી શકાય ? જેણે ધૂમમાં અગ્નિની વ્યાપ્તિના નિશ્ચય કર્યાં છે જ માનવ જે સ્થળે ધૂમ દેખે ત્યાં અગ્નિ હોવાનું ચાક્કસ અનુમાન કરી શકે, આ ઉપરથી સમજી શકાય છે કે તર્ક વિના વ્યાપ્તિ-નિશ્ચય નથી અને વ્યાપ્તિના નિશ્ચય વિના અનુમાન નથી. અર્થાત્ અનુમાનને માટે વ્યાપ્તિના નિર્ણય થવાની આવશ્યકતા છે અને એ નિર્ણય માટે તર્કની જરૂરીઆત છે'
૧૮
વળી જેમ વ્યાપ્તિ જ્ઞાન કરાવવામાં તર્ક સહાયકારી છે, તેમ વાચ્ય-વાચક ભાવનું જ્ઞાન કરાવવામાં તર્ક ઉપયેગી છે. અમુક શબ્દ અમુક અને વાચક છે, જ્યારે અમુક અથ તેના વાચ્ય છે એ જાતનું જ્ઞાન થવામાં તર્ક સાધનભૂત છે.
તર્ક નુ પ્રામાણ્ય——
આપણે જોઇ ગયા તેમ તર્કની મદદથી વ્યાપ્તિ–જ્ઞાન થાય છે. આ તકને જો પ્રમાણુરૂપ ન ગણવામાં આવે, તે તેની સહાયતાથી ઉત્પન્ન થતા વ્યાપ્તિ–જ્ઞાનને કચેા વિદ્વાન પ્રમાણભૂત ગણે? કેમકે જેના કારણમાં વિસંવાદ છે–અપ્રમાણિકતા છે, તેનું કાર્ય પ્રમાણુરૂપ કાણુ ગણે ? એટલે કે જ્યારે વ્યાપ્તિ-જ્ઞાન આ પ્રમાણે અપ્રમાણુ ગણાય તે તેની મદદથી ઉત્પન્ન થતું અનુમાન-જ્ઞાન પણુ અપ્રમાણ જ લેખાય કે બીજું કઇ ? એટલે તને અપ્રમાણ માનનારને હાથે અનુમાનના પ્રાણનો પ્રધ્વંસ થવાના. વિશેષમાં તર્કને અપ્રમાણુ ગણનાર પ્રત્યક્ષ પ્રમાણુના ઘાતક બનવાના, કેમકે પદાનું પ્રત્યક્ષ અવલેાકન કર્યાં પછી આ સ્થળે પદાર્થ અવિસવાદી છે, જ્યારે આ અન્ય સ્થળે તે વિસ ંવાદી છે એટલે પ્રથમ સ્થળે તે પ્રમાણપુરસર છે અને દ્વિતીય સ્થળે અપ્રમાણ એવી જે વ્યવસ્થા તર્ક ને લઇને પ્રમાતા કરી શકે છે, તે તકને અપ્રમાણ માનતાં કેવી રીતે સંભવી શકે ? કહેવાનું તાત્પ એ છે કે પ્રત્યક્ષ જ્ઞાનથી જણાતા પદાર્થાની સત્યતા-અસત્યતાના નિચ અનુમાનથી થાય છે, પરંતુ જ્યાં અનુમાન જ્ઞાન જ અપ્રમાણે મની હવામાં ઊડી જાય, ત્યાં પ્રત્યક્ષના રામ રમી ગયા વિના કેમ રહે ? અને જ્યારે આ પ્રમાણે પ્રમાણેાના લેપ થવાના એટલે પ્રમેયની વ્યવસ્થા માટે ક્યાંથી અવકાશ રહેશે ? એટલે શૂન્યવાદનું સામ્રાજ્ય સ્થપાવાનું,
૧ તર્કની ઉપયોગિતા સ`શયના ઉચ્છેદક તરીકે જાણીતી છે. એને માટે નિમ્ન-લિખિત પ્રસિદ્ધ ઉદાહરણ આપીશુઃ
""
अरण्यमेतत्सविताऽस्तमागतो, न चाधुना सम्भवतीह मानवः । ध्रुवं तदेतेन खगादिभाजा, भाव्यं स्मरारातिसमाननाम्ना ॥ १ ॥
""
અર્થાત્ આ જંગલ છે, સૂર્ય આથમી ગયા છે, હાલ અહીં’આ માનવનેા સંભવ નથી તેથી નક્કી પક્ષી વિગેરેથી યુક્ત એવું આ કામદેવના શત્રુ ( મહાદેવ )ના સમાન
નામધારી હાવું જોઇએ એટલે કે આ
સ્થાણુ
' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org