SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા જન્મ્યા છતાં મરે નહિ એમને જાણવામાં આવે તે જન્મ-મરણના કારણ-કાર્યરૂપ સંબંધ ઊડી જાય છે. આ ‘ વ્યભિચાર ’ કહેવાય છે. જ્યાં ઉપર્યુક્ત દૃષ્ટાન્તમાં સહચાર ઉપરાંત વ્યભિચારના અભાવ હાવાની પ્રતીતિ થતાં જે સિદ્ધાન્ત ફલિત થાય છે? નિયમ સ્ફુરે છે, તેને ‘ વ્યાપ્તિ ’ કહેવામાં આવે છે. જેમકે જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે જ એ સહચાર અને જ્યાં અગ્નિ નથી ત્યાં ધૂમ નથી જ એ વ્યભિચારના અભાવ એ બે સિદ્ધ થવાથી જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે' એવા પવ્યાપ્તિનિયમ ઘડી શકાય છે. ૧૨૫ કહેવાની મતલબ એ છે કે બે વસ્તુઓ અનેક સ્થળે સાથે રહેલી દેખાવાથી તેના વ્યાપ્તિરૂપ નિયમ સિદ્ધ થતું નથી. એ માટે તે એ એને જુદી પાડવામાં કંઇ વાંધા આવે છે કે નહિ તે વિચારવુ જોઇએ, જો વાંધે આવતા હોય તે વ્યાપ્તિ બની શકશે નહિ. આ પ્રમાણે બે વસ્તુના ૧-૨ આ એને અનુક્રમે ‘અન્વય-વ્યાપ્તિ' અને ‘વ્યતિરેક-વ્યાપ્તિ' કહેવામાં આવે છે. ૩ જ્યાં જ્યાં ' ને બદલે જે જે અને એવી રીતે ‘ત્યાં ત્યાં’ ને બદલે ‘તે તે' મૂકી શકાય. ‘જ્યાં જ્યાં’ એ પ્રસંગ દર્શાવવા માટે યોજેલ સ્થલવાચક અવ્યય છે, જ્યારે જે જે એ વ્યક્તિવાચક વિશેષણ છે. 4 ૪ આમાં ધૂમ કા' છે અને અગ્નિ એનું કારણ છે. આવા કાર્ય-કારણરૂપ સંબંધમાં જેને પ્રદેશ મેટા હાય—જેનું ક્ષેત્ર વિશાળ હોય તે વ્યાપક ' કહેવાય છે, જ્યારે જેને પ્રદેશ નાના હાય- જેનુ ક્ષેત્ર સંકુચિત હાય તે ‘વ્યાપ્ય’ કહેવાય છે. કાય વ્યાપ્ય ગણાય છે, જ્યારે કારણ વ્યાપક ગણાય છે, જોકે કેટલીક વાર કાય અને કારણના પ્રદેશ સમાન પણ હોય. પ્રસ્તુતમાં ધૂમરૂપ કાર્ટીનું ક્ષેત્ર અગ્નિરૂપ કારણ જેટલું વિશાળ નથી, કેમકે ત્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધૂમ હોવા જોઇએ એવા નિયમ નથી, જેમકે લાખડને તપાવેલા ગેળા. આ ગાળામાં અગ્નિ છે, પરંતુ ધૂમ નથી. અર્થાત્ તપાવેલા ગાળારૂપ પ્રદેશમાં અગ્નિ છે, પરંતુ ત્યાં ધૂમનું અસ્તિત્વ નથી. જ્યાં વ્યાપ્ય અને વ્યાપકના પ્રદેશ સરખા ન હોય ત્યાં વ્યતિરેક-વ્યાપ્તિ ઉલટાવીને કરવી પડે છે. જેમકે જ્યાં જ્યાં ધૂમ નથી ત્યાં ત્યાં અગ્નિ નથી એવી વ્યાપ્તિ ન કરતાં જ્યાં જ્યાં અગ્નિ નથી, ત્યાં ત્યાં ધૂમ નથી એવી વ્યાપ્તિ સંગત ગણાય છે. પરંતુ જ્યાં વ્યાપ્ય અને વ્યાપકનાં ક્ષેત્રે સરખાં હોય, ત્યાં આમ ઉલટાવવાની જરૂર નથી. જેમકે જ્યાં જ્યાં જ્ઞાન થવાપણું ( જ્ઞેયત્વ) છે, ત્યાં ત્યાં નામ હવાપણ છે એ અન્વય-વ્યાપ્તિ ઉપરથી જ્યાં જ્યાં જ્ઞેયત્વ નથી, ત્યાં ત્યાં નામ હોવાપણું નથી એવી તિરેક વ્યાપ્તિ કરવામાં કઇ જાતને ખાધ નથી. એવી રીતે જ્યાં જ્યાં પ્રાણ વગેરે છે ત્યાં ત્યાં ચેતનપણુ છે એ અન્વય-વ્યાપ્તિનું ઉદાહરણ છે, જ્યારે જ્યાં જ્યાં પ્રાણ વગેરે નથી ત્યાં ત્યાં ચેતનપણું નથી એ વ્યતિરેક-વ્યાપ્તિનુ' ઉદાહરણ છે. ૫ આથી એમ સમજવાનુ` નથી કે અગ્નિ સ્થૂળ રીતે ધૂમ ઉપર વ્યાપ્ત થયા છે અથવા તેા ધૂમ માત્ર અગ્નિના વર્ગમાં સમાઇ ગયા છે. ખરી વાત તે એ છે કે ધૂમના વિચાર ઉપર અગ્નિના વિચાર વ્યાપ્ત થયા છે. ધૃમ અને અગ્નિ એ શબ્દોમાં શબ્દવાચ્ય વ્યક્તિત્વ પ્રધાન નથી પણ શબ્દવાચ્ય ધર્મ કે ઉપાધિ કે સામાન્ય પ્રધાન છે. તાત્પ` એ છે કે ધૂમ અને અગ્નિ એ એના સામાન્ય ધર્મોના સમન્વય વ્યાપ્ય-વ્યાપક ભાવની મુદ્ધિએ કર્યો છે. જીએ વસતર્જતમહેૉત્સવ સ્મારક ગ્રન્થ (પૃ. ૧૧૫). 24 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy