________________
ઉલ્લાસ ] આહત દશને દીપિકા
૧૮૧ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનમાં તફાવત
પ્રત્યભિજ્ઞાનને સ્મરણમાં અન્તર્ભાવ થાય છે એમ કહેવું યોગ્ય નથી, કેમકે સ્મરણ થવામાં પૂર્વે થયેલ અનુભવ જ કારણરૂપ છે, જ્યારે પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને મરણ એ બને કારણ છે. દાખલા તરીકે સ્મરણમાં “તે વિદ્યા–ગુરૂ” એ બોધ થાય છે, જ્યારે પ્રત્યભિજ્ઞાનમાં
તે આ વિદ્યા–ગુરૂ” એવું ભાન થાય છે. કહેવાનો મતલબ એ છે કે પૂર્વે દેખેલ વ્યકિતનું દર્શન થવાથી કે બેવાયેલી વસ્તુ જેવાથી “તે જ આ એવું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેમાં તે જ” ભાગ સ્મરણરૂપ છે, જ્યારે ‘આ’ એ ભાગ ઉપસ્થિત વ્યક્તિ કે પદાર્થને દેખવા રૂપ અનુભવ છે. આ પ્રમાણે અનુભવ અને સ્મરણથી ઉદ્દભવતું તે જ આ એવું અખંડ જ્ઞાન “પ્રત્યભિજ્ઞાન” છે. સામાન્યના પ્રકારો
જૈન દર્શનમાં સામાન્યના (૧) તિર્યકસામાન્ય અને (૨) ઊર્ધ્વતા-સામાન્ય એમ બે ભેદ પાડેલા છે. દરેક વ્યક્તિમાં જે સમાન ભાવ–સદશ પરિણામ રહેલે છે, તેને “તિર્યસામાન્ય ” કહેવામાં આવે છે. જેમકે કાળી, ધોળી અને રાતી ગાયમાં રહેલે ગત્વ ધર્મ તિર્યસામાન્ય છે. અન્યાજ પર્યાયામાં રહેલ જે મૂળ દ્રવ્ય–અનુગત પદાર્થ તે “ઊર્ધ્વતા–સામાન્ય છે. દાખલા તરીકે સેનામાંથી બનાવેલ વીંટી, કરો, કડું વગેરે પર્યાયમાં અન્વયીરૂપ-મૂળ દ્રવ્ય સ્વરૂપી જે સુવર્ણ છે, તે “ઊર્વતા–સામાન્ય છે ( જ્યારે સુવર્ણત્વ એ તિર્ય–સામાન્ય છે).
અન્ય શબ્દોમાં કહીએ તે કેઈ એક વસ્તુને તેની સમગ્ર જાતિની અન્યાન્ય વસ્તુઓ સાથેને સમાનતાને જે સંબંધ તે “તિય–સામાન્ય છે, જ્યારે કઈ પણ વસ્તુના અનેક પર્યાયમાં પણ જે દ્રવ્ય આબાદ રહે છે, પર્યાની ઉત્પત્તિ કે વિનાશ થવા છતાં જેનું અસ્તિત્વ કાયમ રહે. છે, તે દ્રવ્ય “ઊર્ધ્વતા–સામાન્ય છે. જેમકે સ્થાસક, કેશ, કુલ, શિવક, કાલા ઈત્યાદિમાં રહેલી મૃત્તિકા. પર્યાયને “વિશેષ” કહેવામાં આવે છે, પરંતુ જૈન દર્શનમાં સામાન્ય અને વિશેષને પરસ્પર સાપેક્ષ તેમજ વસ્તુથી કથંચિત્ અભિન્ન માન્યાં છે અર્થાત પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષસ્વરૂપી–ઉભયાત્મક છે. પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણે–
આ ઉપરથી તિર્ય–સામાન્યાદિનું સ્વરૂપ સમજાયું હશે એટલે પ્રત્યભિજ્ઞાનનાં નિમ્નલિખિત ઉદાહરણને બેધ સહેલાઈથી થશે
૧-૪ ઘટની ઉત્પત્તિ પૂર્વેની માટીની જુદી જુદી અવસ્થાઓનાં આ નામે છે. જેમકે સ્થાસક” એ દર્પણના જેવા આકારનું પાત્ર છે. આવી આકૃતિવાળા, ચાક ઉપર ચડાવેલા માટીના પિઠને “સ્થાનક' કહેવામાં આવે છે. “કેશ ” પણ એક જાતનું પાત્ર છે અને એના જેવા આકારવાળા માટીને “કેશ ' કહેવામાં આવે છે. અનાજ રાખવાને માટે બનાવવામાં આવેલા પાત્રને “ કુશલ ' કહેવામાં આવે છે. આવી આકતિવાળી માટી “ કુશલ ' કહેવાય છે. મહાદેવના લિંગને મળતો આવતે માટીનો પિs • શિવક ' કહેવાય છે. આ બધી માટીની ઉત્તરોત્તર અવસ્થામાં હોય એમ સૂચવાય છે.
૫ જેમ અનેક ઘડાઓમાં ઘટવરૂપ સામાન્ય ધર્મ-એકરૂપતા રહેલ છે, તેમ આ તમામ ઘડાઓમાંથી પિતતાને ઘડે દરેક જણ એળખી શકે છે. એ ઉપરથી તમામ ઘડાઓમાં એક બીજાથી પ્રયતા-ભિન્નતા-વિશેષતા સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org