________________
ઉલ્લાસ ]
આહત દર્શન દીપિકા.
૧૭૯
સ્મરણ
પક્ષ પ્રમાણના સ્મરણાદિ જે પાંચ ભેદે જેને ન્યાયના ગ્રન્થમાં દષ્ટિગોચર થાય છે, તે પૈકી અત્ર સ્મરણને વિચાર કરીએ. અમુક વસ્તુને અનુભવ થવાથી તેના સંસ્કારે આપણું હૃદયમાં
સ્થાપિત થાય છે. આ સંસ્કારે જ્યારે જાગૃત થાય છે ત્યારે તે વસ્તુ યાદ આવે છે. આનું નામ “મૃતિ” યાને “સ્મરણ” છે. આનું લક્ષણ તે આગળ ઉપર ગ્રન્થકાર સ્વયં વિચારે છે (જુઓ. ૨૬ મું લક્ષણ), તેમ છતાં આપણે આ વિષય સમજવામાં સહાયકારી પ્રમાણન (પરિ૦ ૩, સૂ૦૩)ગત નિમ્નલિખિત લક્ષણ જોઈ લઈએ – . " तत्र संस्कारप्रबोधसम्भूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं स्मरणम् " અર્થાત (એક પ્રકારની આત્મ-શક્તિરૂ૫) સંસ્કારની જાગૃતિ થવાથી ઉત્પન્ન થતું, અનુભવ કરેલા (ચેતન કે અચેતન) પદાર્થરૂપ વિષયવાળું અને “” એવા આકારવાળું જ્ઞાન તે ‘રમરણ છે. અત્ર જે તે” એવા પ્રયોગને ઉલ્લેખ કર્યો છે તે અધ્યાહાર પણ હોઈ શકે. જેમકે હે ચૈત્ર! તને યાદ છે કે આપણે કાશ્મીરમાં રહીશું અને દ્રાક્ષ ખાઈશું? આ કથન સમૃતિને આભારી છે, જોકે અત્ર કાશ્મીર અને દ્રાક્ષને ઉદ્દેશીને તે શબ્દનો ઉલ્લેખ નથી. આથી “મરણમાં ‘તેને પ્રવેગ સાક્ષાત્ હેય અથવા અધ્યાહાર પણ હેય એમ સમજી શકાય છે. સ્મરણનું પ્રામાણ્ય
અજૈન દર્શનકારે મરણને પ્રમાણરૂપ માનતા નથી. તેમની એવી દલીલ છે કે સ્મૃતિ અનુભવજન્ય હોવાથી-અનુભવને અધીન હોવાથી તેને પૃથક પ્રમાણ તરીકે ગણવી ન્યાપ્ય નથી. આને ઉત્તર એ છે કે આપણે આગળ ઉપર જોઈશું તેમ અનુમાન પ્રમાણ પણ પરતંત્ર
છે, કેમકે તે વ્યાપ્તિજ્ઞાન અને પક્ષમાં હેતુનું દર્શન એ બેને સ્કૃતિની પરતંત્રતા અધીન છે. આ પ્રમાણે સ્મૃતિ તેમજ અનુમાન એ બંને પરત–
છે, તે પછી પરતત્વતા હોવા છતાં અનુમાનને પ્રમાણ માનવું અને રકૃતિને ન માનવી એ ક્યાંને ન્યાય ? અનુમાન તે ઉત્પત્તિમાં વ્યાપ્તિ વગેરેની અપેક્ષા રાખે છે, તેને વિષય સ્વતંત્ર છે, જ્યારે અનુભવજન્ય સ્મૃતિને વિષય અનુભવગત હોવાથી પર
તંત્ર છે, તેથી સ્મૃતિને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવતી નથી વિષયની સ્વતંત્રતા એમ કહેવું અસંગત છે, કેમકે વ્યાપ્તિ દ્વારા પ્રતિપાદિત વસ્તુના
ઉપર જ અનુમાન પ્રકાશ પાડે છે. જે એમ કહેવામાં આવે કે વ્યાપ્તિ દ્વારા તે સામાન્ય સંબંધ જ દર્શાવાય છે (દાખલા તરીકે જ્યાં ધૂમાડે છે, ત્યાં આગ છે) જ્યારે અનુમાન તે અમુક વિશિષ્ટ પદાર્થનું (દાખલા તરીકે અમુક પર્વતના ઉપર અગ્નિ છે ) એવું ભાન કરાવે છે, તે એ વાત સ્મૃતિને પણ લાગુ પડે છે, કેમકે અનુભવ તે અનેક વસ્તુઓ
૧ આ અનુભવ કઈ વસ્તુના પૂર્વ કાલીન પ્રત્યક્ષ દર્શન, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન કે આખું વચનરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org