SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૭૧ પદેશ્ય, અવ્યભિચારી અને નિશ્ચયાત્મક જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ” કહેવામાં આવે છે. અથવા ઈન્દ્રિયના સન્નિકર્ષથી ઉત્પન્ન થતા અવ્યભિચારી (બ્રાન્તિ હિત) એવા નિર્વિકલ્પક અને સવિક૯૫ક એમ બે જાતના જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આ દર્શન પ્રમાણે પ્રથમ આત્મા મન સાથે જોડાય છે, ત્યાર પછી મન ઈન્દ્રિય સાથે અને ઈન્દ્રિય પદાર્થ સાથે જોડાય છે. આમ થતાં પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. આથી જોઈ શકાય છે કે પદાર્થનું આત્માને પ્રત્યક્ષ જ્ઞાન થવામાં ઈન્દ્રિય અને મન વ્યવધાનરૂપ છે. એટલે કે આત્માને સાક્ષાત્ જ્ઞાન થતું નથી, પરંતુ તેને તેવું જ્ઞાન આ બેની મારફતે થાય છે. એટલે વસ્તુતઃ આ પક્ષ જ્ઞાન જ છે. સાંની પ્રત્યક્ષ પ્રમાણ પરત્વે એવી માન્યતા છે કે અચેતન બુદ્ધિરૂપ તરવ પિતે જ ઈન્દ્રિ દ્વારા ગમન કરી વિષયાકાર પરિણતિને ધારણ કરે છે. એટલે કે બુદ્ધિની શ્રોત્રાદિ ઈન્દ્રિ થવાથી ઉત્પન્ન થતું જ્ઞાન પ્રત્યક્ષ નહિ પણ શાબ્દિક છે, કેમકે જે આ જ્ઞાનમાં ઈન્દ્રિય અને શબ્દ ઉભય કારણ છે, છતાં શબ્દનું પ્રાધાન્ય છે. ૧ અવિપરીત, વિપર્યયથી રહિત. ૨ નિયાયિક દશનમાં પ્રત્યક્ષના અગિ-પ્રત્યક્ષ અને યોગિ-પ્રત્યક્ષ એવા બે ભેદ માનવામાં આવ્યા છે. આપણા જેવાનું પ્રત્યક્ષ જ્ઞાન તે “ અગિ પ્રત્યક્ષ' છે. આના વળી બે ભેદ છે. નિર્વિકલ્પક અને સવિકલ્પક. વસ્તુનો સામાન્ય પરિચય કરાવનારૂં આ કંઈક છે એવું સામાન્ય જ્ઞાન તે “ નિર્વિકલ્પક ' છે, જ્યારે તેને વિશેષ પરિચય કરાવનારું આ પુરૂષ છે એવું ચેકસ જ્ઞાન તે “ સવિકલ્પક' છે, કાળ સ્વભાવથી દૂર રહેલા અર્થનું પ્રત્યક્ષ જ્ઞાન તે “ગિ-પ્રત્યક્ષ ' છે. એના વળી યુક્ત-ગિપ્રત્યક્ષ અને મુંજાન-યોગિ-પ્રત્યક્ષ એવા બે અવાંતર ભેદ છે. ગ-ધર્મ વગેરેની મદદથી પરંતુ બાહ્ય પદાર્થના સંયોગની અપેક્ષા રાખ્યા વિના આત્મા અને અંતઃકરણના સંગથી સમાધિમાં એકતાન બનેલા પરૂષને જે જ્ઞાન થાય તે “ યુક્ત ગિ-પ્રત્યક્ષ' કહેવાય છે. આ જ્ઞાન નિર્વિકલ્પક છે, કેમકે વિકલ્પક દશામાં સમાધિની એકાગ્રતા માટે સ્થાન નથી. આ જ્ઞાનના અધિકારી ઉત્કૃષ્ટ યોગિ-જનો છે. સમાધિ અવસ્થામાં આત્મા, મન વગેરેના સંગથી ઉત્પન્ન થતું રૂપ વગેરેનું જ્ઞાન “યુંજાન–ગિ–પ્રત્યક્ષ” કહેવાય છે. યુક્ત યોગીઓને વિચાર કર્યા વિના સર્વદા સર્વ વસ્તુઓનું જ્ઞાન થાય છે, જ્યારે મુંજાન ગીઓને વિચાર કરવાથી તેનું જ્ઞાન ઉદ્દભવે છે; એથી આ બેની ભિન્નતા જણાય છે. મુંજાન-ગિ - પ્રત્યક્ષ જ્ઞાન સવિકલ્પક તેમજ નિર્વિકલ્પક એમ બંને જાતનું છે ( જુઓ ન્યાયસારની ટીકા અથવા તરહસ્યદીપિકાના ૨૪ મા અને ૨૫ માં પત્ર છે. આ સમગ્ર પ્રકારની સંકલના નીચે મુજબ છે – પ્રત્યક્ષ અગિપ્રત્યક્ષ ગિપ્રત્યક્ષ નિવિકલ્પક સવિકલ્પક યુજન સવિકલ્પક નિર્વિકલ્પક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy