SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ જીવઅધિકાર. [ પ્રથમ એમ ચારને, પ્રભાકર આ ચાર ઉપરાંત અર્થાપત્તિ એમ પાંચને અને ભાટ્ટ એ અભાવ (અનુપલબ્ધિ) સહિત આ પાંચને એટલે એક દર છને પ્રમાણ માને છે, જ્યારે જૈન તે પ્રત્યક્ષ અને પરાક્ષ એમ એ પ્રમાણા માને છે. વિશેષમાં ભટ્ટે સ્વીકારેલ છ પ્રમાણા ઉપરાંત પૌરાણિક ઐતિશ્વને પ્રમાણ તરીકે ગણે છે, પરંતુ જો ઐતિહ્ય ( લેાક-પ્રવાદ ) સત્ય હૈ। તે તેને શાબ્દ પ્રમાણમાં સમાવેશ થાય છે અને જો તે અસત્ય હોય તે તેને પ્રમાણ—સમિતિના સભ્ય તરીકે સ્વીકારાય તેમ નથી. વળી કેટલાક પ્રાતિભજ્ઞાનને પણ પ્રમાણ તરીકે માને છે. આજે મારા ઉપર રાજાની કૃપા થશે એવા પ્રકારનું બાહ્ય ઇન્દ્રિયની અપેક્ષા વિનાનુ અને શબ્દ-લિગાદિ વગર જે જ્ઞાન હૃદયમાં સ્ફુરે છે તેને ‘ પ્રાતિભજ્ઞાન ’ કહેવામાં આવે છે. આ જ્ઞાન અનિન્દ્રિય-નિબન્ધનહાવાથી—તેનુ ઇન્દ્રિયાદિ નિમિત્ત ન હેાવાથી એને માનસ પ્રત્યક્ષાદિમાં અન્તર્ભાવ કરી શકાય. એવી રીતે સમુદાય વડે સમુદાયીનું જ્ઞાન તે ‘ સંભવ ’ છે. આ પ્રમાણ અનુમાન પ્રમાણમાં અન્તત થાય છે એટલે એને જુદું સ્વીકારવાની જરૂર જણાતી નથી. આ ઉપરથી એટલુ તે સ્પષ્ટ સમજી શકાય છે કે જૈનો પ્રત્યક્ષ અને પરોક્ષ એમ એ જ પ્રમાણા માને છે, પરંતુ એ એનાં લક્ષણ શુ છે તેમજ તેના કઇ અન્ય પ્રકાર-ભેદો છે કે નહિ એ જાણ્યા વિના વિવિધ દનકારાએ સ્વીકારેલાં પ્રમાણેા વાસ્તવિક પ્રમાણુ નહિ હાવાથી કે જૈનોએ સ્વીકારેલ પ્રમાણેામાં તેના અન્તર્ભાવ થતા હાવાથી જૈનોને તે માન્ય નથી તેને નિર્ણાય કરવા બાકી રહે છે. આથી પ્રથમ તે ગ્રન્થકારે નિમ્ન-લિખિત तच प्रमाणं द्विधा - प्रत्यक्ष-परोक्षभेदात् —ઉલ્લેખ પૂર્વક પ્રમાણના બે પ્રકારેને માન્ય કરી પરેક્ષ પ્રમાણનું જે લક્ષણ તેમણે રજી કર્યું" છે તે જોઇ લઇએ. ૧-૨ જેમ ન્યાયાદિ પ્રમાણ–વિચારને સમૃદ્ધ બનાવે છે, તેમ અવિચારને મીમાંસા પુષ્ટ કરે છે. સ્વર્ગસ્થ લેાકમાન્ય અળગગાધર ટિળકે શ્રીમદભગવદગીતારહસ્થ યાને કચે ગશાસ્ત્ર ( જીએ ગુજરાતી ભાષાંતર પૃ. ૨૧ )માં મીમાંસકાને પ્રકરણ કિવા વાકયનો અર્થ શૈાંધી કાઢવાના કામમાં અત્યંત કુશળ કથા છે એટલું જ નહિ, કિન્તુ તેમના નિમ્નલિખિત st ' उपक्रमोपसंहारो, अभ्यासोपूर्वता फलम् | अर्थवादोपपत्तीच, लिङ्ग तात्पर्यनिर्णये ॥ १॥” શ્લોક સમાન્ય થયેલા સૂચવ્યા છે. આ શ્લોકના ભાવા એ છે કે તાપને નિર્ણય કરવામાં (૧) ઉપક્રમ (ગ્રન્થના પ્રારંભ), (ર) ઉપસંહાર (ગ્રન્થને અત), (૩) અભ્યાસ (વારંવાર કરેલું કથન), (૪) અપૂર્વતા (નવીનતા), (૫) ફળ, (૬) અર્થવાદ અને ⟨૭) ઉપત્તિ એ સાત લિંગ (સાધન) છે. આ મીમાંસા-દર્શનના પ્રભાકર, કુમારિલભટ્ટ અને મુરારિમિશ્ર એ નામના ત્રણ ધુર ંધર આચાર્યો થ ગયા છે. પ્રભાકરના અનુયાયીઓ ‘ પ્રાભાકર મીમાંસક કહેવાય છે, જ્યારે બીજા એ * 6 ભાટ્ટ ' અને ‘ મિશ્ર ” મીમાંસક ગણાય છે. આ ત્રણે સામાન્ય રીતે મીમાંસા-શાસ્ત્રના સિદ્ધાન્તાને સ્વીકાર કરે છે, પરંતુ કેટલીક સૂક્ષ્મ બાબતમાં મત-ભેદ ધરાવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy