________________
ઉલ્લાસ 1 આહંત દર્શન દીપિકા
૧૬૫ પ્રમાણમાં છે. પ્રથમ લક્ષણ તે “નય એટલે શું ? તે જાણ્યા વિના સમજાય તેમ નથી એટલે પ્રસ્તુતમાં દ્વિતીય લક્ષણનું નિરીક્ષણ કરીશું. આ માટે આ લક્ષણગત પદે વિચારીએ. “સ્વ” એટલે આત્મા, જ્ઞાનનું સ્વરૂપ; “પર” એટલે જ્ઞાનથી અન્ય અર્થ–પદાર્થ. અત્ર “સ્વ” પદથી જ્ઞાનને અચેતન (પ્રકૃતિના ધર્મરૂપે) સ્વીકારનારા સાંખ્યના મતનું, જ્ઞાનને સર્વદા પક્ષ માનનારા મીમાંસકેના મતનું અને એકાત્મ સમવાયિ જ્ઞાનાન્તર પ્રત્યક્ષજ્ઞાનને કથનારા યૌગેના મતનું નિરાકારણ સૂચવ્યું છે.
પર” પદના પ્રયોગથી બાહા પદાર્થોને અપલાપ કરનાર જ્ઞાનાતવાદી વગેરેને નિરાસ સૂચવ્યું છે. “જ્ઞાન” પદથી અજ્ઞાનને, અનાકાર ધરૂપ દશનને તેમજ જડ સન્નિકર્ષને બહિકાર સૂચવ્યો છે. વ્યવસાયી અર્થવાળા “અવબોધક પદથી નિર્વિકલ્પક જ્ઞાનનું તેમજ વિપર્યય, અનધ્યવસાય અને સંશયનું નિરાકરણ સૂચવવામાં આવ્યું છે.
જેમ કોઈ દરિદ્રી હોય તે અન્યને ધનવાન બનાવવા અસમર્થ છે, તેમ જે પોતાનો નિશ્ચય કરવામાં અન્યની અપેક્ષા રાખે તે પરનો નિશ્ચય કેવી રીતે કરાવી શકે ? આથી સમજાય છે કે જે જ્ઞાન પોતાના પર પ્રકાશ પાડવામાં સમર્થ હોય- પોતે ઉત્પન્ન થતાં સ્વતઃ જણાઇ જતું હોય તે જ તે અન્ય - પર પ્રકાશ પાડી શકે–અન્ય વસ્તુનો બંધ કરાવી શકે. પરંતુ જ્ઞાન સ્વપ્રકાશક ન હોય, તો તે જ્ઞાન પિતાના પર પ્રકાશ પાડવા માટે અર્થાત પિતાના સ્વરૂપને બંધ કરવાને માટે અન્ય જ્ઞાનની અપેક્ષા રાખે, અને વળી તે જ્ઞાન અન્યની અપેક્ષા રાખે. આ પ્રમાણે થતાં અનવસ્થા માં આવે છે. વળી આવું એ જ્ઞાન પોતાના વરૂપને જાણવાની ચિન્તામાં ડૂબેલું હોવાથી અને અન્ય પદાર્થ સ્વયં જડ હોવાથી તેવા પદાર્થને પ્રકાશ કેમ થશે ?
આ ઉપરથી જ્ઞાનને પર નિયામક જ માનવું યુકિત-યુક્ત છે. આવા સ્વ અને પર ઉપર અનયહ કરનારા પદાર્થો છે. જેમકે સૂર્ય, પ્રદીપ, લવણ ઈત્યાદિ, અર્થાત સૂર્ય અને પ્રદીપ પરપ્રકાશક છે, ત્યારે લવણ પિતે સરસ હોઈ અન્યને તેમ કરે છે.
૧ વિષયનો ઈદ્રિય સાથે સંબંધ તે ‘સનિક ' કહેવાય છે. આને આ પ્રકારે માટે જુઓ પૃ૦ ૧૭૦.
૨ શ્રીવાદિદેવસૂરિગીત પ્રમાણનાતવાલીકાલકારના પ્રથમ પરિચછેદ ( સૂત્ર ૯ )માં વિપર્યયનું લક્ષણ નીચે મુજબ છે –
‘’ વાતોટિનિg facર્યા ત ” અર્થાત વિપરીત એટલે જેવી વસ્તુ-સ્થિતિ હોય તેથી ઉલટી રીતે એક કટિ (વસ્તુના અંશ)ના નિશ્ચય તે વિપર્યય' છે. જેમકે છીપને ચળકાટ જોઈ તેને ચાંદી તરીકે નિર્ણય કરે તે વિપર્યય' છે.
૩ અનધ્યવસાયનું લક્ષણ ત્યાં ( પ૦ ૧, સુદ ૧૩ ) એ છે કે –
- “ કિfમસ્યાનમા કમનશઘસાય તિ ” અર્થત કંઈક એવું કેવળ આલોચનાત્મક જ્ઞાન તે “અધ્યવસાય” છે. જેમકે કોઈ માર્ગે જનારાને તેનું ચિત્ત અન્યત્ર પરોવાયું હોવાથી તૃણને સ્પર્શ થવા છતાં મને કેઇક વસ્તુને સ્પર્શ થયો પરંતુ શેના થશે તેને ખ્યાલ ન હોય એવું જે જ્ઞાન તે “અનવ્યવસાય” છે.
૪ સંશયનું લક્ષણ ( પત્ર ૧, સૂ૦ ૧૧ ) એ છે કે – * Rાષામાં માનમિયાન થતાને રિપંwf મેં લંડ fan
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org