SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૧૬૧ સમ્યગ્દર્શનના કારણરૂપ હોય તેને પણ અત્ર સ્વીકાર થઈ શકે તેમ નથી, કેમકે અહીં જેનામાં સમ્યગ્દર્શન ઉદ્દભવ્યું છે તે આત્માને બહિષ્કાર છે. (૨) કોઈ એક પ્રતિમા–અજીવ પદાર્થ જેવાથી યથાર્થ દ્વાન ઉદ્ભવ્યું હોય તો તે વિકલ્પ માટે પણ અત્ર સ્થાન નથી, કેમકે તેમાં ઉભયના સંગને અભાવ છે. (૩) બે જ સમ્યકત્વના સ્વામી છે એ ભંગ પણ ઘટી શકતું નથી, કેમકે આ બે તે સમ્યગ્દર્શન સાથે સમવાય–સંબંધથી યુક્ત બે જીવે છે અને તે ઉત્પન્ન થવામાં અન્ય કેઈ નિમિત્ત નથી એટલે ઉભય સંગને અત્ર અવકાશ નથી. (૪) એવી રીતે બે અજી સમ્યકત્વના સ્વામી છે એ પ્રકાર પણ અત્ર અસ્થાને છે, કારણ કે આ તે નિમિત્ત-કારણ છે, જ્યારે જેનામાં એથી સમ્યકત્વ ઉદ્ભવ્યું છે તેને અત્ર સમાવેશ કરવામાં આવ્યો નથી. આવી રીતે ૧૬૦ મા પૃષ્ઠમાં સૂચવેલા (૫) અને (૬) એ બે પ્રકારે કે જેમાં બે કરતાં વધારેની વિવક્ષા છે તે પણ ઘટી શકતા નથી. જેમ આ પ્રમાણે છે વિકલ્પ ઘટતા નથી તેને વિચાર કર્યો તેમ જે છ વિકલ્પ ઉભય સંગરૂપ સ્વામિત્વ આશ્રીને ઘટે છે તેને વિચાર કરીશું તો જણાશે કે જે જીવમાં - સમ્યકત્વ ઉત્પન્ન થયું હોય તે જે પરનિમિત્તિક હોય તે તે વિકલ્પ સ્થાને છે. આમાં જે પર નિમિત્ત જીવ હેય તે તે એક પ્રકાર અને અજીવ હોય તે બીજો પ્રકાર સમજ (નીવચ્છ ગીવા, જીવથ એનીવથ). ઉપર્યુક્ત વિકલ્પમાં પરનિમિત્તક તરીકે બે જ હોય અથવા બે અજીવ પ્રતિમાદિ પદાર્થો હોય તે વળી જે બે પ્રકારે પડે છે તેને માટે અત્ર સ્થાન છે (જ્ઞવસ્થ જીવશો, જીવ@ નીવો ). એવી રીતે ઉપલા વિકલ્પમાં પર નિમિત્ત તરીકે ત્રણ જ હોય અથવા ત્રણ અજીવ પદાર્થો હોય તે તે રીતે વિચારતાં જે બે પ્રકારો પડે છે તેને માટે પણ બત્ર અવકાશ છે (નાવસ્થ નીવાનાં, વા રવાના). (૩) સમ્યગ્દર્શનનું સાધન શું છે અર્થાત તે કેવી રીતે ઉદ્ભવે છે? આપણે ૬૮ મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ તે નિસર્ગ કે અધિગમથી ઉત્પન્ન થાય છે. તેમજ વળી આ બંને પ્રકારનું સમ્યકત્વ તે દર્શનમેહનીયરૂપ આવરણના ક્ષય, ઉપશમ કે પશમથી થાય છે. (૪) સમ્યગ્દર્શનના અધિકરણને તેના સ્વામિત્વની જેમ ત્રણ રીતે વિચાર કરી શકાય છે. આત્મસિન્નિધાને યાને અભ્યન્તર સનિધાને જીવને વિષે સમ્યગ્દર્શન છે, જ્યારે પર સન્નિધાને યાને બાહ્ય સન્નિધાને તેમજ ઉભય સનિધને તે સ્વામિત્વ આશ્રીને કહેલા વિક ઘટાવી લેવા. (૫) સમ્યગદર્શનની કેટલી સ્થિતિ છે અર્થાત તે કેટલે કાળ રહે છે તેનો તેમજ (૬) તેના વિધાનને ઉત્તર આપણે પૂર્વે વિચારી ગયા છીએ. જુઓ પૃ. ૧૦૮. સમ્યગ્દર્શન અને આદિ દ્વારે (૧) સમ્યગ્દર્શન છે કે નહિ? છે; તે અજીવને વિષે નથી, પરંતુ કેટલાક જીને વિષે છે. 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy