SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જીવ-અધિકાર. [ પ્રથમ જીવના કેટલા પ્રકારો છે? "જ્ઞાનની જેમ અપેક્ષાનુસાર તેના એક, બે, ત્રણ એમ અનેક વિધાન –અગણિત ભેદો છે. નિર્દેશાદિ દ્વારે અને સમ્યગ્દર્શન– (૧) સમ્યગ્દર્શન શું છે? તે દ્રવ્ય છે. (૨) સમ્યગ્દર્શનને કોણ સ્વામી છે? આ પ્રશ્નને ત્રણ રીતે વિચાર થાય છે, કેમકે અત્ર સમવાય–સંબંધથી જેમાં સમ્યગ્દર્શન છે તેને સ્વામી ગણ કે તેની ઉત્પત્તિમાં કારણભૂત એવા અન્યને પણ વ્યવહારથી સ્વામી ગણ એને અવલંબીને આ વાત રહેલી છે. આથી આત્મ-સંગથી, પર-સંગથી અને ઉભય-સંગથી સમ્યગ્દર્શન છે એમ ફલીભૂત થાય છે. જ્યારે ઉત્પન્ન થતા સમ્યગ્દર્શનનું જિનેશ્વર કે તેની પ્રતિમાદિ નિમિત્ત ન હોય ત્યારે આ પરિણામ આત્મામાં સમવાય-સંબંધથી રહેલે હોવાથી તે આત્મા તે પરિણામથી છવાદિ ત વિષે યથાર્થ રૂચિ રાખે છે. આ આત્મ-સંગથી જીવનું સમ્યગ્દર્શન છે. જે સાધુ, પ્રતિમા ઇત્યાદિ વસ્તુરૂપ નિમિત્તથી યથાર્થ શ્રદ્ધાન ઉદ્દભવે, તો તે પરિણામ અન્યસ્તંક હોવાથી તેને પસંગથી સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. અત્ર પરસંગ આશ્રીને છ ભાંગાઓ (ભંગ-પ્રકારે) પડે છે. (૧) કે જીવને એક ક્રિયાનુષ્ઠાનમાં ભાગ લેનાર મુનિને આશ્રીને આ સમ્યકત્વ ઉત્પન્ન થાય તે તે મુનિ તેને સ્વામી કહેવાય, પ્રતિમાદિ કે એક અજીવ પદાર્થના નિમિત્તથી યથાર્થ રૂચિ થાય તે તે અજીવ પદાર્થ સ્વામી ગણાય. (૩) બે મુનિઓ યથાગ્ય ક્ષપશમના કારણભૂત હોય તે તે બે મુનિઓ, (૪) બે અજીવ પદાર્થો નિમિત્ત હોય તો તે બે પદાર્થો, (૫) બે કરતાં વધારે મુનિ પ્રમુખ જી નિમિત્ત હોય તો તે છે અને (૬) બે કરતાં વધારે પ્રતિમાદિ અજીવ પદાર્થો કારણરૂપ હોય તે તે અજીવ પદાર્થો સમ્યગ્દર્શનના સ્વામી ગણાય. • અંતરંગ આત્મા તેમજ બહિરંગ મુનિરાજ કે અન્ય કોઈ અજીવ પદાર્થ પણ જે સમ્યકત્વની ઉત્પત્તિમાં કારણભૂત હોય તે ઉભયસંગથી સમ્યગ્દર્શન ગણાય છે. આથી અત્ર નીચે મુજબના ભાંગા (વિક) ઘટી શકતા નથી. (૧) આત્મા પિતે એકલે જ જે સમ્યગ્દર્શનને હેતુ હોય તેને અત્ર સમાવેશ થઈ શકતો નથી, કેમકે આમાં અન્યના નિમિત્તને અભાવ છે. એવી રીતે તીર્થકર કે પ્રભાવશાળી મુનિવર * | - ૧ સામાન્ય રીતે એક એવા જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદે, દ્રવ્ય, ગુણ અને પયાંયની અપેક્ષાએ ત્રણ, નામાદિ વિકલ્પ આશ્રીને ચાર, મતિ, શ્રત એ પ્રમાણે પાંચ અને થાકારરૂપે પરિણત થતું હોવાથી જ્ઞાનના સંખ્યય, અસંખ્યય અરે અનન્ત ભેદે છે. ર છના જુદા જુદા દૃષ્ટિ–કોણથી જે ભેદ પડે છેતે આ ઉલાસમાં આગળ ઉપર વિચારવામાં આવનાર છે. ૩ આ તો છવાદિ સાત તો પૈકી એકનું નિરૂપણ થયું. આવી રીતે અછવાદિ છે તના તેમજ રન-ત્રયીના નિરૂપણના અભિલાષીને તવાર્થરાજ ( પૃ૦ ૨૮-૨૯ ) જોવા ભલામણ કરવામાં માવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy