________________
૧૫૬ છવ-અધિકાર.
[ પ્રથમ જો કે દૂધ, દહીં અને છાશમાં ગેરસપણું, સફેતાશ વગેરે સમાન છે, પરંતુ તેના સ્વાદમાં
તફાવત છે અને એથી તેને પરસ્પર ભિન્ન ગણવામાં આવે છે, તેમ નામની સ્થાપના અને નામાદિમાં અભિધાનાદિ સમાનતા હોવા છતાં તેમાં ઉપર્યુક્ત
દ્રવ્યથી ભિન્નતા ભિન્નતા રહેલી હોવાથી તેને પરસ્પર ભિન્ન ગણવા તે ન્યાચ્ય છે. નામાદિનું પ્રજન–
આ સમગ્ર નિરૂપણ ઉપરથી એવી શંકા ઉદ્દભવે છે કે નામાદિમાં ભાવ જ તાત્વિક-વાસ્તવિક–ખરી રીતે વસ્તુ છે, તે નામ, સ્થાપના અને દ્રવ્યનું શું પ્રયોજન છે? કેમકે ભાવ-ઈન્દ્ર જ દાનને દમન કરવારૂપ કાર્ય કરી શકે છે, પરંતુ નામ-ઇન્દ્રાદિ તેમ કરવા સમર્થ નથી. આને ઉત્તર એ છે કે સામાન્યથી ભાવને વસ્તુરૂપે માનવે તેમાં કંઈ દેષ નથી. અનામ, સ્થાપના અને દ્રવ્ય એ પણ વસ્તુના પર્યાય-ધર્મો હોવાથી ભાવની અવસ્થાઓ જ છે, કેમકે પર્યાય, ધમ, ભેદ, ભાવ એ બધા સમાન અર્થવાળા શબ્દ છે. કેઈએ સામાન્યથી “ઇન્દ્ર” એમ કહ્યું, તે શું તે સાંભળનારાને નામ-ઈન્દ્રાદિ ચારેની પ્રતીતિ થતી નથી કે તેને જરૂર એવી શંકા થાય છે કે આ શું નામઇન્દ્રની, સ્થાપના-ઇન્દ્રની, દ્રવ્ય-ઇન્દ્રની કે ભાવ-ઈન્દ્રની વાત કરે છે ? અર્થાત્ નામાદિ ઇન્દ્રરૂપ વસ્તુના પર્યા–ભાવ-વિશેષે છે અને પર્યાય અને દ્રવ્ય વચ્ચે કથંચિત્ અભિન્નતા છે જ, નામાદિ નિક્ષેપની વ્યાપકતા
વસ્તુનું જે નામ તે “નામ, તેને આકાર તે “સ્થાપના ”, પરિણામી કાર્યની કારણુતા એ વ્ય અને કાર્યરૂપ પરિણામ તે “ભાવ” એ નામાદિ-નિક્ષેપરૂપ ચતુષ્ટય સર્વ વસ્તુઓ પરત્વે ઘટે છે કે નહિ? આને ઉત્તર શાસ્ત્રકાર એમ આપે છે કે ઘટ, પટ આદિ સમગ્ર વસ્તુઓ નામાદિ ચતુષ્પર્યાયાત્મક છે. જેમકે ઘટ એવું નામ યા એવી સંજ્ઞા તે “નામ-ઘટ”, ઘટને આકાર તે “સ્થાપના-ઘટ, ઘટની મૃત્તિકા (માટી) તે “દ્રવ્ય-ઘટ” અને જળાદિ લાવવામાં ઉપયોગી ઘટે તે ભાવ-ઘટ છે. અત્ર કોઈ શંકા કરે કે આવી હકીકત જીવને લાગુ પડતી નથી, કેમકે દ્રવ્ય-જીવ જેવું કંઈ છે જ નહિ. કહેવાની મતલબ એ છે કે કેઈ સચેતન કે અચેતન પદાર્થનું જીવ એવું નામ પાડવામાં આવે તે તે “નામ-જીવ છે. કાષ્ટ, પુસ્ત, ચિત્ર, અક્ષ વગેરેમાં જીવની સ્થાપના કરવી તે “સ્થાપના-જીવ છે, જેમકે જિન, રૂદ્ર, સ્કન્દ, વિષ્ણુની પ્રતિમાઓ. ગુણ-પર્યાયથી રહિત, બુદ્ધિ દ્વારા કપેલે અને અનાદિ પારિણમિક ભાવથી યુક્ત તે દ્રવ્ય-જીવે છે. આ ભાગે
૧ નામ એ વસ્તુના પ્રત્યયનું કારણ છે. એ ઈતર વસ્તુને વ્યવચ્છેદ કરાવવામાં હેતુભૂત છે. ૨ અનુગદ્વાર ( પત્રાંક ૧૦)માં કહ્યું છે કે
" जत्थ य जं जाणेजा निक्खेत्र निक्खिवे निरवसेस । जत्थ वि अ न जाणेजा च उक्कगं निक्खिवे तत्थ ।।।।"
૨ ૪ નાનીવાત નિક્ષi (ત) નિશ્ચિત નિtats | - यत्रापि च न जानीयात् चतुष्कं निक्षिपेत् तत्र ॥]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org