SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ જીવ–અધિકાર. [ પ્રથમ મંગળ પદાર્થના જ્ઞાનરૂપ આગમનુ કારણ છે અને કારણ તે કાના એક દેશમાં રહેલું જ હાય છે એવા જૈન સિદ્ધાન્ત છે તેથી સચેતન કે અચેતન દેહ ‘નેાઆગમથી દ્રવ્ય-મંગલ’ છે. આગમથી દ્રવ્યમ ંગલની વ્યાખ્યા કરતાં પણ આગમનું કારણ આત્મા, દ્વેષ, શબ્દ છે એમ કહી શરીરને ‘ દ્રવ્યમગલ ' કહ્યું હતુ અને અહિંયા પણ એ શરીરને જ · નેઆગમથી દ્રવ્ય-મંગલ ’ કહ્યું છે તે તે એમાં શે। તફાવત છે, એ જાણવુ બાકી રહે છે. આના ઉત્તર એ છે કે આગમથી દ્રવ્ય-મંગલ તરીકે દર્શાવેલ શરીરમાં ઉપયાગરૂપ આગમ નથી, પરંતુ લબ્ધિરૂપ આગમ છે અને અત્રે તે। આ બેમાંથી એક પણ પ્રકારના આગમને સદ્ભાવ નથી; કિન્તુ ફક્ત તે જ્ઞાનના કારણરૂપ શરીર માત્ર છે. તવ્યતિરિક્ત— જિનપ્રણીત આગમ અને જિનપ્રણીત પ્રતિલેખનાદિ માંગલ્ય-ક્રિયા એમ મંગળના પરમાંથી બે ભેદો છે. પૂર્વે આગમથી અને નાઆગમથી જે દ્રવ્ય-મગલ કહ્યુ છે તે સર્વે આગમની અપેક્ષાએ સમજવું. એથી ઉપર્યુક્ત બે પ્રકાર પૈકી પ્રથમ આગમથી અને જ્ઞશરીર તથા ભવ્ય શરીર આશ્રીને એમ ત્રણ ભેદવાળા છે, જ્યારે દ્વિતીય પ્રકાર જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્ય-મંગળ સંબંધી છે. એટલે કે જિનપ્રણીત પ્રતિલેખનાદિ માંગલ્ય-ક્રિયા ઉપયાગ વિના કરનાર તે તવ્યતિરિક્ત દ્રવ્ય-મંગલ' છે. આ સંબંધમાં બીજી રીતે પણ વિચાર થઇ શકે છે. જેમકે ચરણસિત્તરી અને રકરણ૧ ચરણસિત્તરી કે જેને સસ્કૃતમાં ચરણસપ્તતિ કહેવામાં આવે છે એ ચરણુ યાને ચારિત્રના ૭૦ પ્રકારના સમૂહ છે. આ ૭૦ પ્રકારા પ્રવચનના ૬૬ મા દ્વારમાંની નિમ્ન-લિખિત આદ્ય ગાથા દ્વારા જાણી શકાય છે: .. ', वय ५ समणधम्म १० संगम १७ - वेयावचं १० च बंभगुत्तोओ । નાળાતિયં રૂ તથ ૨૨ જોદ-નિનટ્ઠા ? ૪ સરળમેકં ॥ ૨ ॥ અર્થાત્ અહિંસાદિ પાંચ મહાવ્રત, ક્ષાત્યાદિ દશ શ્રમણ-ધર્મ, સત્તર પ્રકારના સંયમ, દશ પ્રકારનાં વૈયાનૃત્ય, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ, મતિ આદિ ત્રણ જ્ઞાન, બાર પ્રકારની તપશ્ચર્યા, ક્રોધાદિ ચાર કષાયાને ય એ પ્રકારે ચારિત્રના ૫+૧૦+૧+૧૦+૯+૩+૧૨+૪ = ૭૦ ભેદો જાણવા. આ બધા ભેદોનું સ્વરૂપ પ્રસંગાનુસાર આલેખવા વિચાર છે, છતાં તેના જિજ્ઞાસુને પ્રવચનની વૃત્તિ (પત્રાંક ૧૩૩ −૧૩૬) જોવા ભલામણ કરવી નિરર્થીક નહિ લેખાય. ૨ કરસત્તરીનુ કરણુસપ્તતિ એ પ્રતિસ ́સ્કૃત છે. એ ૭૦ ક્રિયાના સમુદાયનું નામ છે. એના ૭૦ ભેદો પ્રચન૦ના ૬૭ મા દ્વારમાંની નીચે મુજબની પ્રથમ ગાથા ઉપરથી જોઇ શકાય છે: पिंडविसोही ४ समिई ५ भावण १२ पडिमा १२ य इंदियनिरोहो ५ | पडिलेहण २५ गुत्तीओ ३ अभिग्गहा ४ चैत्र करणं तु ॥ ५६३ ॥ k અર્થાત્ ચાર પ્રકારની પિણ્ડ–વિશુદ્ધિ, અર્થાત્ આહાર, ઉપાશ્રય, વસ્ત્ર અને પાત્રની ગવેષણા ઇત્યાદિ, પાંચ સમિતિએ, અનિત્યત્યાદિ ખાર ભાવનાઓ, માસિકી આદિ ખાર પ્રતિમા, સ્પશનાદિ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, પચીસ પ્રકારની પ્રતિલેખના, ત્રણ પ્રકારની ગુપ્તિ અને ચાર જાતના અભિગ્રહ એ કરણના ૪૫+1૨+ ૧૨+૫+૨૫+૩+૪ = ૭૦ ભેદો છે, આ વાત અન્ય રીતે પણ ઘટાવવામાં આવે છે. જેમકે ૪૨ પ્રકારની પિવિશુદ્ધિ, ૫ સમિતિ, ૧ર ભાવના, ૧ મુનિરાજની પ્રતિમા, ૫ ઇન્દ્રિયાના નિરાધ, ૧ પ્રતિલેખન, ૩ ગુપ્તિ અને ૧ અભિગ્રહ. વિશેષ માહિતી માટે જીએ પત્રાંક ૧૩૭–૧૬૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy