SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ દ્રવ્યનું લક્ષણ— જીવ—અધિકાર. દ્રવ્યનું લક્ષણ ગ્રન્થકાર નીચે મુજબ સૂચવે છેઃ— अतीतानागतपरिणामकारणत्वम्, इदानीमसत्त्वेऽपि भूतभविष्यत्परिणामयोग्यत्वं वा द्रव्यस्य लक्षणम् । ( १० ) 6 અર્થાત્ અતીત (ભૃત) તેમજ અનાગત (ભવિષ્યત્) પરિણામના કારણને અથવા અત્યારે અવિદ્યમાન પર’તુ ભૂત કે ભવિષ્યત પરિણામની ચેાગ્યતાને ‘દ્રવ્ય’ કહેવામાં આવે છે. આ ભાવ ઉપરાંત એને વ્યુત્પત્તિ-અ પણ વિશેષાની નિમ્ન-લિખિત ગાથામાં દૃષ્ટિગોચર થાય છેઃ— [ પ્રથમ " 'दवए दुयए दोरवयवो विगारो गुणाण संदावो । दव्वं भव्यं भावस्स भूअभावं च जं जोगं ॥ २८ ॥ 95 ૐ દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તિ આના અક્ષરા તેમજ વ્યુત્પત્તિ-અથ તો ટિપ્પણુગત છાયા ઉપરથી જાણી શકાય છે. એટલે એને સવિસ્તર ભાવાર્થ વિચારીશું કે જેથી કરીને ગ્રન્થકારે સૂચવેલ લક્ષણ ધ્યાનમાં આવે. નૌ ” એ ધાતુ ઉપરથી જે દ્રવેજુદા જુદા નવા પર્યાચાને પામે અથવા પુરાણાને મૂકે તે ‘દ્રવ્ય’ છે. અન્ય રીતે વિચારતાં થનાર પર્યાયે વડે પમાય અને થયેલા પર્યાચેાથી મૂકાય તે ‘દ્રવ્ય’ છે. વળી ‘દ્ર’ એટલે સત્તા તેના જ અવયવ કે વિકારા તે પણ ‘દ્રવ્ય’ કહેવાય, કેમકે દ્રબ્યા જાતિરૂપ મહાસત્તાના અવાન્તર સત્તારૂપ અવયા અથવા વિકારા જ છે. રૂપ, રસ ઇત્યાદિ ગુણ્ણાના સદ્રાવ—સમુદાય તે ‘દ્રવ્ય’ છે. ભવિષ્યત્ પર્યાય તેમજ ભૂત પર્યાયને જે યેાગ્ય હોય તે ‘દ્રબ્ય’ છે, જેમકે ભવિષ્યમાં રાજા થનારાને—ભાવિ રાજ્ય-પર્યાય પામવાને ચેાગ્ય એવા રાજકુમારને ભાવિ રાજા’ એટલે કે ‘દ્રવ્ય-રાજા ’ કહેવામાં આવે છે. એવી રીતે પૂર્વે ઘીથી ભરેલા ઘડા અત્યારે ખાલી હૈાય તે પણ તે ઘીના ઘડા કહેવાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે જે ભૂત તથા ભાવિ ભાવાને ચાગ્ય ડાય તેને ‘દ્રવ્ય’ કહેવું ઉચિત છે. જો ભૂત અને ભાવિ ભાવાને જે ચેાગ્ય હાય તેને દ્રવ્ય ન કહેતાં ભૃત અને ભાવિ ભાવેને જ દ્રવ્ય કહેવામાં આવે, તે જગતમાં રહેલા સમસ્ત પર્યાયે અનુભવેલા અથવા અનુભવમાં આવનાર હેાવાથી સર્વાં પુદ્ગલાદિદ્રબ્યા ગણાય, પરંતુ એ કથન કચા સમીક્ષક સ્વીકારે ? " ચેાગ્ય’ કહેવાનું કારણુ ૧ છાયા द्रषति द्रूयते द्रोरवयवो विकारो (वा) गुणानां सन्द्रावः । द्रव्यं भव्यं भावस्य भूतभावं च यद् योग्यम् ॥ Jain Education International ૨ કહેવાની મતલબ એ છે કે દ્રવ્યની વાસ્તવિક વ્યાખ્યા પ્રમાણે તે માટી એ દ્રવ્ય-ઘટ છે, કેમકે માટીમાં ઘટ બનવાની અથવા અન્યાની લાયકાત રહેલી છે. દ્રવ્યના લક્ષણમાંથી યાગ્યતાને નિરાસ કરવામાં આવે તે સોનું, ચાંદી, ચાક, ગમે તે પુદ્ગલ ધટરૂપે કાઇ નહિ ને કાઇ વાર પરિણમેલુ હાવાથી અથવા પરિણમનશીલ હાવાથી તે સેનુ વગેરેને દ્રવ્ય ધટ કહેવાના અતિપ્રસ`ગ પ્રાપ્ત થાય. આવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy