SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્હુત દૃશન દીપિકા, C અને યાગના ( મન, વચન અને કાયારૂપ ) વ્યાપારાને શાન્ત કરનારા એવા આત્માના પરિણામને ‘ સમ્યકચારિત્ર ’ કહેવામાં આવે છે. સંસારમાં પરિભ્રમણ કરાવનારા સવ હેતુઓના નાશ કરનારા અને અનન્તર મેાક્ષને પ્રાપ્ત કરાવનારે આત્માના પરિણામ પણ · સમ્યકચારિત્ર ' કહેવાય છે. આની વળી એમ પણ વ્યાખ્યા થઇ શકે છે કે સ` સાવદ્ય ( પાપયુક્ત ) વ્યાપારીને દૂર કરનારા આત્માના પરિણામ તે ‘ સમ્યક્ચારિત્ર ’ છે. આમાંની પ્રથમ વ્યાખ્યા તેરમા ગુણસ્થાનની અંતિમ અવસ્થાને પ્રાપ્ત થયેલા જીવમાં, દ્વિતીય વ્યાખ્યા ચૌદમા ગુણસ્થાનની છેવટની અવસ્થાને સંપાદન કરેલામાં અને તૃતીય વ્યાખ્યા છઠ્ઠાથી તે ચૌદમા ગુણસ્થાનમાંના ગમે તે ગુણસ્થાનમાં રહેલા જીવમાં ઘટી શકે છે. નિક્ષેપનુ લક્ષણ અને તેના પ્રકારા— આપણે જોઇ ગયા તેમ જ્ઞાન પણ મુક્તિ પ્રાપ્ત કરાવનારાં સાધનામાંનુ એક છે, કેમકે જીવ, અજીવ ઇત્યાદિ તત્ત્વાના યથાર્થ ખાધ થવાથી મુક્તિ મળી શકે છે. પરંતુ જ્યાં સુધી કોઇ પણ પદાનું અન્ય અન્ય અપેક્ષાપૂર્વક–જુદા જુદા દૃષ્ટિ-બિન્દુથી અવલેાકન ન કરાય, ત્યાં સુધી તેનુ’ યથા સ્વરૂપ ધ્યાનમાં આવે નહિ. આ વાસ્તુ શાસ્ત્રકારોએ જીવાદિ તત્ત્વાનુ` સચાટ તેમજ વિશાળ જ્ઞાન પ્રાપ્ત કરવાનાં જે વિવિધ દ્વારા અનુયાગદ્વારા સૂચવ્યાં છે, તે પૈકી નિક્ષેપને આપણે પ્રથમ વિચાર કરીશુ. નિક્ષેપ કહા કે ન્યાસ કહેા એ એક છે. જૈનતર્કપરિભાષાગત નિક્ષેપ-પરિચ્છેદમાં એનું લક્ષણ સ્મારિતશ્રુતકેવલી શ્રીયશાવિજયગણિ નીચે મુજબ દર્શાવે છે:-- " प्रकरणादिवशेनाप्रतिपत्यादिव्यवच्छेदकयथास्थानविनियोगाय शब्दार्थरचनाविशेषा निक्षेपाः " ૧૪૭ અર્થાત્ પ્રકરણ ઇત્યાદિ લઈને પ્રતિપત્તિ વગેરે (એટલે કે અજ્ઞાન, સંશય વિપય કે અનધ્યવસાય) દૂર કરવા પૂર્વક યથાસ્થાન સંસ્થાપન કરવા માટે શબ્દના અર્થની રચના કરવી તે ‘ નિક્ષેપ ’ છે. અપ્રસ્તુત અને દૂર કરવા રૂપ અને પ્રસ્તુત અને સ્ફુટ કરવા રૂપ ફળવાળા આ નિક્ષેપના (૧ ) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય અને (૪) ભાવ એમ ચાર પ્રકારો છે. નામનું લક્ષણ ગ્રન્થકારના શબ્દોમાં નીચે મુજબ છેઃ— अन्यार्थे स्थितमर्थनिरपेक्षं पर्यायानभिधेयं वस्तुनोऽभिधानम्, पर्यायानभिधेयत्वे सति अन्यार्थेऽन्वर्थे वा स्थितं નામ એટલે શુ? सत् तदर्थनिरपेक्षसापेक्षान्यतररूपं वस्तुनोऽभिधानम्, स्वेच्छानुरूपं वस्तुनोऽभिधानं वा नाम्नो लक्षणम् । (८) અર્થાત્ ( મૂળ શબ્દના અથથી ) અન્ય અર્થમાં રહેલું, ( મૂળ ) અથથી નિરપેક્ષ, ( અસલ વસ્તુના ) પર્યાયાથી જેના વ્યવહાર ન થાય એવું વસ્તુનું નામ તે નામ ’નું લક્ષણ છે. અથવા 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy