________________
૧૪૨
જીવ-અધિકાર.
A [ પ્રથમ
દુ:સાધ્ય રોગચાલે થવાથી કે દુકાળ પડવાથી જીવન-નિર્વાહ માટે મિથ્યાત્વનું સેવન, અને ( ૬ ) ગુરુ-નિગ્રહ એટલે માતાપિતાદિને કદાગ્રહ.
૬ ભાવના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ સ્વરૂપ શ્રાવક-ધમનું મૂળ સમ્ય
ત્વ છે. એ અર્થાત્ સમ્યકત્વને ધર્મનું મૂળ ગણવું એ પ્રથમ ધર્મનું મૂળ ભાવના છે. જેમ મૂળ વિનાનું ઝાડ પ્રચર્ડ પવનને સપાટ લાગતાં
પડી જાય છે, તેમ ધર્મ-વૃક્ષ પણ સમ્યકત્વરૂપ મજબૂત મૂળ વિના કુતીર્થિક મતરૂપે પવન ફૂંકાતાં અસ્ત-વ્યસ્ત થઈ જાય છે, એ આ ભાવનાને સારે છે.
ધર્મનું દ્વાર–
સમ્યક્ત્વ એ ધર્મનું દ્વાર છે એ બીજી ભાવના છે. જેમ કિલ્લા, કોટથી અલંકૃત નગરમાં મનુષ્યનું ગમનાગમન દ્વાર વિના શક્ય નથી, તેમ ધર્મરૂપ નગરમાં પ્રવેશ કરવા માટે સમ્યકત્વરૂપ દ્વાર આવશ્યક છે.
ધર્મની પીઠ–
સમ્યકત્વ એ ધર્મની પીઠ છે યાને એને પાયો છે. જેમ કોઈ પણ ઘર, મકાન કે કોટને પાયે ઊંડા દઢ ન હોય, તે તે ડગમગી જાય તેમ ધર્મરૂપ પ્રાસાદ પણ સમ્યકત્વરૂપ પીઠ વિના નિશ્ચળ ન રહી શકે. ધર્મને આધાર–
જેમ આ જગતુ પૃથ્વીરૂપ આધાર વિના રહી શકતું નથી, તેમ ધર્મરૂપ જગતું પણ સમ્યકત્વરૂપ આધાર વિના ટકી શકતું નથી. એટલે કે સમ્યકત્વ એ ધર્મને આધાર છે એમ ચથી ભાવના ભાવવી જોઈએ.
ધર્મનું ભાજન–
જેમ ક્ષીરાદિ રસને ધારણ કરવા માટે પાત્રની જરૂર છે, તેમ શ્રુત તથા શીલરૂપ ધમને રસ ઢળી ન જાય તે માટે સમ્યત્વરૂપ ભાજનની આવશ્યકતા છે. આ પ્રમાણે સમ્યત્વની ભાજનરૂપે ભાવના તે પાંચમી ભાવના છે.
૧ ગુરૂ એટલે કે તે નિમ્નલિખિત પદ્ય દ્વારા જાણી શકાય છેઃ—
" माता पिता कलाचार्या, एतेषां ज्ञातयस्तथा ।।
વૃદ્ધા ધમfvહેશર, ગુરુવઃ સતાં મત છે ? ” -- 4 આનું સ્વરૂપ તૃતીય ઉદ્યાસમાં વિચારાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org