________________
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા.
૧૪૩
ધમનું નિધાન
જેમ નિરવધિ નિધિ વિના યથેષ્ટ પ્રમાણમાં મહામૂલ્યવાળાં મણિ, મિતી, સોનું વગેરે દ્રવ્ય મળી શકે નહિ, તેમ સમ્યકત્વરૂપ નિધાન વિના ચારિત્ર ધર્મરૂપ દ્રવ્ય મળે નહિ અથવા જેમ તીજોરી વિના રત્નનું ચોથી રક્ષણ થવું કઠિણ છે તેમ સમ્યકત્વરૂપ તીજોરી વિના મૂળ અને ઉત્તર ગુણો રૂપ રત્નનું અનંત ભવેથી તાકી રહેલા રાગ-દ્વેષરૂપ ચારથી રક્ષણ થવું મુશ્કેલ છે. આ પ્રમાણે સમ્યત્વનું ધર્મના નિધાનરૂપે ધ્યાન ધરવું તે છઠ્ઠી ભાવના છે. છ સ્થાનક
(૧) જીવ છે, (૨) જીવ નિત્ય છે, (૩) જીવ કર્મને કર્તા છે, (૪) જીવ કર્મને જોતા છે, (૫) જીવન નિર્વાણ (મોક્ષ) છે અને (૬) મેક્ષને ઉપાય છે એ છ સ્થાનકે છે.
આ પ્રમાણે સમ્યક્ત્વનાં ૬૭ લક્ષણોને યથામતિ વિચાર કર્યો, પરંતુ અત્રે એ પ્રશ્ન ઉદભવે છે કે આ પૈકી આસ્તિકળ્યાદિ લક્ષણોની જે જીવમાં પ્રતીતિ થતી હોય, જે જીવને . સર્વરે કથેલાં તત્ત્વ ઉપર રાગ હોય તે જીવને વ્યવહારથી સમ્યકત્વ છે કે નિશ્ચયથી ?
૧ આથી નાસ્તિક-મતને પરિવાર સમજો.
૨ જે પૂર્વ અને અપર ક્ષણના ત્રુટિતના અનુસંધાનરૂપ જ્ઞાનક્ષણો જ માની આત્માને બૌદ્ધોની જેમ નિત્ય નહિ માનવામાં આવે. તે એકનો બન્ધ થતાં અન્યની મુક્તિ, અન્યને ભૂખ અપને તૃપ્તિ, એકને અનુભવ તે અપરને સ્મૃતિ, એ પ્રમાણે અતિપ્રસંગ પ્રાપ્ત થાય છે.
૩ આ કપિલ-મતનું નિરસન છે. અત્ર કેઇ એમ શંકા કરે કે જ્યારે જીવ સ્વયં કર્મ કરે છે, તે સુખાભિલાષી હોઈ જીવ કેમ દુ:ખદાયી કર્મો કરે છે? આને ઉત્તર એ છે કે વ્યાધિથી નિવૃત્ત થવા ઇચ્છતો રોગી અપથ્ય ખાવાથી રોગ વધશે પણ ઘટશે નહિ એમ જાણતા હોવા છતાં અપયનું સેવન કરે છે, તેમ જીવ પણ મિથ્યાત્વાદિથી પરાસ્ત થતાં ભાન ભૂલી દુઃખદ કર્મો કરે છે.
૪ રાગ, દ્વેષ, મદ, મેહ, જન્મ, જરા, રોગાદિ દુઃખના ક્ષયરૂપ અવસ્થા-વિશેષ તે નિવાણ' થાને મોક્ષ' છે. આને પ્રાપ્ત થયેલા છ લોકના અગ્ર ભાગે વસે છે. આથી કરીને નિમ્ન-લિખિત પદ્ય દ્વારા સૂચિત માન્યતાવાળા બૌદ્ધોના મતનું નિરાકરણ સૂચવાય છે:
" दीपो यथा निर्वतिम युपेतो, नेवाधनि गच्छति नान्तरिक्षम् । दिशं न काश्चित् विदिशं न काश्चित , स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥१॥ जीवस्तथा नितिमभ्युपेतो, नैवावनि गच्छति नान्तरिक्षम् ।
fહ ન રાગ્નિ વિવિશ કાશ્ચિત, રાક્ષાત્ વત્રનેતિ જ્ઞાત્તિમ રા” એટલે કે દીવાનું બુઝાઈ જવા જેવું અભાવ–સ્વરૂપ નિર્વાણનું છે અર્થાત પ્રદીપની જેમ જીવન દવસ તે નિર્વાણ છે એમ જે બૌદ્ધો કહે છે તે અસંગત છે. કેમકે પ્રદીપનું દષ્ટાનત સિદ્ધ થતું નથી. કારણ કે પ્રદીપને અત્યન્તિક વિનાશ થતું નથી, પરંતુ પાવક–
પુલો તેજસ્વી રૂપ ત્યજીને તામસ રૂપને પામે છે. દીવ લાઈ જતાં તરત જ તામસ પુલોને વિકાર અનુભવાય છે. એવી રીતે જીવ પણ કર્મ રહિત થતાં કેવળ અમૂર્ત સ્વરૂપી બને છે-અન્ય પરિણામને પામે છે. આને જેન દષ્ટિએ “નિર્વાણ” કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org