________________
૧૭૭"
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. સમગ્ર કે અસમગ્ર પદાર્થો વિષચક હોવાથી તે દ્રવ્ય અને ગુણ આશ્રીને છે, જ્યારે વિચિકિત્સા
કિયા અને ફળ વિષયક છે. અથવા આ કથન જે ગળે ન ઉતરતું વિચિકિત્સાનું અન્ય હોય તે વિચિકિત્સાનું સ્વરૂપ અન્ય રીતે આલેખીશું. જેમકે સ્વરૂપ વિચિકિત્સા એટલે સદાચાર, સાધુતાની નિન્દા. દાખલા તરીકે આ
મુનિવરે પ્રસ્વેદ (પરસેવા)થી લિપ્ત દેહવાળા છે, તેથી તેમના શરીરમાંથી દુર્ગધ મારે છે. વાસ્તે જે આ મહાનુભાવે પ્રાસુક જળથી સ્નાન કરતા હોય તે તેમાં શું દેષ છે? આ વિચાર “વિચિકિત્સા છે. મિથ્યાદષ્ટિની પ્રશંસા
જે લેકે વીતરાગ માર્ગથી વિપરીત પ્રરૂપણ કરતા હોય અર્થાત જેઓ મિથ્યાષ્ટિ હોય તેમની પ્રશંસા કરવાથી સમ્યકત્વ કલંકિત થાય છે. કેઈ મિથ્યાદષ્ટિને રાજ્ય તરફથી માન મળ્યું હોય કે તેણે કપ્રિયતા સંપાદન કરી હોય અથવા તેને વિદ્વત્તા વરી હોય તે પણ તેની પ્રશંસા ન કરવી, કેમકે તેમ કરવાથી મિથ્યાત્વરૂપ વિષને પુષ્ટિ મળે છે. મિથ્યાદષ્ટિને પરિચય
મિથ્યાષ્ટિઓ સાથે નિવાસ કરવાથી પરસ્પર વાર્તાલાપ દ્વારા જે પરિચય થાય તે સમ્યક્ત્વને લાંછન લગાડનાર છે, કેમકે તેમની પ્રક્રિયાના દર્શન અને શ્રવણથી સમ્યક્ત્વ દૂષિત થવા સંભવ છે. અલબત આ કથન જે જી નકલી અને સાચા માલને ભેદ સમજી શકે તેમ નથી તેવાને ઉશીને એટલે કે બાળ જી પરત્વે છે. બાળ જીવો તત્ત્વાભાસને એક વાર તત્વરૂપે સ્વીકારે અને વખત જતાં તેમનામાં આ કુસંસ્કાર દઢ થઈ જાય, તો ભવિષ્યમાં તેમને સમજાવી તેમાં પરિવર્તન કરાવવાનું કામ તેમના હિતેચ્છુઓને અતિદુષ્કર થઈ પડે. બાકી જેમની પાસે વિવેક-ચક્ષુ છે, જે સિદ્ધાન્ત અને સુસિદ્ધાન્તને ભેદ પારખી શકે છે, તેને મિથ્યાત્વને પરિચય કે કુદર્શન ચાને ઉન્માર્ગનું અવલોકન હાનિકારક નથી. બલ્ક આથી તે તે સુદર્શન-સન્માર્ગની ખરી કીંમત આંકી શકે છે. આ વાત આચારાંગ સૂત્રની ટીકામાં તેના કર્તા શ્રીશીલાંકાચાયૅ નિમ્નલિખિત પદ્ય દ્વારા નિર્દેશી છે --
ફાવતુ કુશાત્રાળાં, વૈરવિવા-જાતન્ન-વૌજ્ઞાનામા ___ येषां दुर्विहितत्वाद, भगवत्यनुरज्यते चेतः ॥ १॥" અર્થાત વૈશેષિક, ષષ્ઠીતત્વ અને બૌદ્ધ એ કુશાસ્ત્રોનું કલ્યાણ થજો કે જેની કુરચનાથી (મારે) મન પ્રભુમાં આસક્ત બને છે.
૧ અત્ર વાડનું દષ્ટાન્ત ઉપયોગી થઈ પડશે. એ તે સુવિદિત વાત છે કે નાનાં કુમળાં ઝાડાને વાડની જરૂર હોય છે, પરંતુ પ્રૌઢ વૃક્ષને એવી વાડની કશી આવશ્યકતા નથી. બાળજીવને જે પ્રતિબંધ કરવામાં આવે છે તેનું કારણ એ છે કે સંસારમાં સયુક્તિની જેમ કે એથી પણ વધારે અંશમાં કુયુક્તિને સુકાળ છે અને તેથી અતિમન્દતાને લઈને બાળીને તેમાં ફસાઈ જવાને માટે વિશેષ અવકાશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org