SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ—અધિકાર. ૧૩૨ ત્રણ લિંગા— કાઇ ચતુર, ચિંતાથી રહિત, નીરોગી અને સુખી યુવક સુરૂપ અને સુલક્ષણ પત્ની સાથે પાંચે ઇન્દ્રિચેાના વિષય-સુખ ભાગવતા થકા દિવ્ય ગીત જેટલા રાગથી—જેટલી આસક્તિથી– તાલાવેલીથી સાંભળે તેવી અભિલાષા જિનેાક્ત શ્રુતનું શ્રવણ કરવા માટે રાખવી તે પ્રથમ લિંગ છે. [ પ્રથમ જેને કકડીને ભૂખ લાગી હાય-જે પૂરેપૂરા ક્ષુધાતુર બન્યા હોય એવા વિપ્ર વિકટ વન ઓળંગી રહેતાં મનેાહર ઘેખરને જોતાં તેનું ભક્ષણ કરવા જેમ તલપાપડ થઇ રહે તેવી ધ-શ્રવણ કરવા માટેની ઉત્કટ ઉત્કંઠા રાખવી તે દ્વિતીય લિંગ છે. જેમ વિદ્યાસાધક વિદ્યા સાધવામાં એકચિત્ત રહે–જરાએ આળસ કે પ્રમાદને આશ્રય આપે નહિ, તેમ સુગુરૂનું વેચાવૃત્ત્વ કરવામાં તેમની સેવા અજાવવામાં તત્પર રહેવુ તે તૃતીય લિંગ છે. દશ વિનય ( ૧ ) ખાર ગુણેાથી અલંકૃત એવા તીથ કરને, (૨) આઠ ગુણાથી વિભૂષિત સિદ્ધના, (૩) જિનસદેશ જિન-પ્રતિમાના, (૪) આચારાદિ આગમ (શ્રુત)ને, (૫) સાધુના ક્ષાન્તિ આદિ દશવિધ ધના, (૯) શ્રમણ-વર્ગના, (૭) છત્રીસ ગુણાથી મણ્ડિત આચાય ના, (૮) ૨૫ ગુણાથી યુક્ત એવા ઉપાધ્યાયના, (૯) ચતુર્વિધ સંઘને અને (૧૦) સમ્યક્ત્વીનો વિનય એ દેશવિધ વિનય છે. ત્રણ પ્રકારની શુદ્ધિ— . સમ્યક્ત્વને જે નિર્મળ બનાવે તે ‘ શુદ્ધિ ’ કહેવાય, સર્વજ્ઞ પરમેશ્વરે જે પ્રવચનની પ્રરૂપણા કરી છે—જે તત્ત્વો પ્રકાશ્યાં છે તે જ તેમજ તે તત્ત્વોને જેમણે સ્વીકાર્યા છે તે જીવો જ આ સ’સારમાં સારરૂપ છે, બાકી બધુ અસાર છે એવી મતિ તે ‘ માનસિક શુદ્ધિ ' છે. સુર અને અસુરો વડે અર્ચિત એવા શ્રીઅરિહંત ( તીર્થંકર)ની ભક્તિ કરવાથી જે કાર્ય સિદ્ધ ન થયુ, તે અન્ય કેાઇ દેવ-દાનવથી કેમ થઇ શકે એવા જે ઉદ્ગાર કાઢવા તે ‘ વાચિક શુદ્ધિ' છે. Jain Education International દેહને અનેક પ્રકારે છેદે, ભેદે, વિદ્યાર્, વેદના ઉપજાવે તે બધું સહન કરવુ, પરંતુ અન્ય સરાગી દેવાને વન્દન નહિ જ કરવુ’-વીતરાગ દેવને જ મરતક નમાવવું તે ‘કાયિક શદ્ધિ' છે. પાંચ દૂષણા k સમ્યકત્વને જે દૂષિત કરે તે ‘ દૂષણ ’ કહેવાય ( આને અતિચાર પણ કહેવામાં આવે છે ). આવાં દૂષણા પાંચ છેઃ ( ૧ ) શકા, ( ૨ ) કાંક્ષા, (૩) વિચિકિત્સા, ( ૪ ) મિશ્રાદ્રષ્ટિની પ્રશંસા અને ( ૫ ) મિથ્યાર્દષ્ટિનો પરિચય. જિનેશ્વરપ્રણીત પદાર્થાને વિષે સંશય રાખવા તે અને ( ૨ ) સર્વ શંકા, જીવ સ હું પૅશંકા ’ છે, આ શંકાના એ પ્રકારે છેઃ-( ૧ ) દેશ-શંકા ૧ અત્ર રાંકાને સમ્યફળ વિષયક સ્ખલના ગણવામાં આવે છે તે વ્યવહારનય અનુસાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy