________________
ઉલ્લાસ ]
આત દન દીપિકા
૧૨૯
વળી એ વાત પણ ભૂલી ન જવી જોઇએ કે શ્રીકૃષ્ણ પ્રમુખને જે ક્રોધ, લાભ હતા તે જોકે અનન્તાનુમન્ત્રી હતા નહિ અર્થાત્ તે અપ્રત્યાખ્યાન વગેરે કષાયરૂપ હતા, છતાં અધ્યવ સાયની મલિનતાની તીવ્રતાને લઇને તે અનન્તાનુબન્ધીરૂપે તેમનામાં પરણત થયા હતા અને તેથી તેા આવા મહાનુભાવેાને પણ નરકના અતિથિ બનવુ' પડયુ હતુ.
સર્વગાદિની વ્યાખ્યા
સ ંવેગ, નિર્વેદ, અનુકમ્પા અને આસ્તિય એ ચારેના સ્વરૂપનું પૂર્વોક્ત ભાષ્યની નિમ્ન— લિખિત ગાથા દ્વારા દિગ્દર્શન થાય છેઃ
“સંવેગો મોર્વમરૂં, નિશ્ચેો સવિત્તયા ટ્રોફ ।
दुत्थिविसया उदया, अस्थिक्कं तत्तविसयं ति || ६ || "
અર્થાત્ સવેગ એટલે મોક્ષની ઈચ્છા; નિવેદ એટલે સંસારથી વૈરાગ્ય; યા તે દુ:ખી સંબ’ધી ( અનુકમ્પા ); અને આસ્તિક્ય તે તત્ત્વ ( સત્પદાર્થ ) સબંધી ( શ્રદ્ધા ) છે. આ ચારેની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય છેઃ—
જે અભીષ્ટ સંચેગ પછી વિયાગ થવાના જ હાય, તે સંચાગ એકાન્તે સુખકારી ગણાય ? જ્યાં દિન અને રાત્રિની માફક અથવા તડકા અને છાંયડાની જેમ સુખ-દુઃખ કરતાં રહેતાં હાયજ્યાં સ્થાયી સુખને અભાવ હાય, તે સંસારનાં સુખે તે વાસ્તવિક રીતે સુખ કહેવાય ? જે સુખ પરના આધારે પ્રાપ્ત થતું હતુ–પરની અપેક્ષા રાખતુ હતુ., તે સુખ ખરી રીતે સુખ મનાય ? આ પ્રશ્નોના ઉત્તરેથી સમજી શકાય છે કે આ સંસારમાં જે સુખને સંભવ છે તે ક્ષણભંગુર, સાન્ત, પરાશ્રયિ, પુદ્ગલજન્ય સુખ છે એટલે કે તે વસ્તુતઃ દુઃખરૂપ જ છે. સચા સુખનું તે આ દુનિયામાં સ્વપ્નું પણ નથી. આ તે દેહ ઉપર ગુમડાં કે ફેલ્લા થતાં તેની વેદનાથી વ્યાકુળ બનેલા પ્રાણી તે ફૂટી જતાં ‘હાસ ' એવા ઉદ્ગાર કાઢી જે સુખ માને, તેવું સુખ આ સંસારમાં છે. યથાર્થ સુખ તે મેક્ષમાં જ છે, એ સુખ અનત, અવ્યાબાધ, અવિનાશી આત્મિક છે. આવા નિઃસીમ સુખની અભિલાષા તે સવેગ ’ છે. આના અધિકારીઓને
૧ છાયા
संवेगो मोक्षमतिः निर्वेदो भवरिकता भवति । दुःखितविषया तु दया आस्तिक्यं तत्तविषयमिति ॥
૨ આથી કાષ્ઠને શંકા થાય કે સ્વાસ્તિક્યનો અર્થ તે યથા શ્રદ્દાન થાય છે, તે તે જ સમ્યક્ત્વ થયુ. એટલે આસ્તિક્ય એ સમ્યક્ત્વનું લિંગ કેમ કહી શકાય ? અભેદ વસ્તુમાં લિંગી (સાધ્યું) અને લિંગ ( સાધન )ની કલ્પના કેવી રીતે સમુચિત ગણાય ! આનું સમાધાન એ છે કે સમ્યક્ત્વનું લક્ષણુ તપાસતાં જોઇ શકાય છે તેમ એ આત્માને એક પ્રકારને શુભ પરિણામ છે અને આસ્તિયશ્રદ્ધાન તેા તેનું કાય છે. શ્રદ્ધાનને જે સમ્યક્ત્વ કહેવામાં આવે છે તે ઔપચારિક છે–એ તે કાર્યમાં કારણના ઉપચારને ઉદ્દેશીને છે.
17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org