SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ છવ-અધિકાર [ પ્રથમ રૂચિ. અર્થાત જેમ જળના એક પ્રદેશમાં રહેલું તેલનું બિન્દુ સમગ્ર જળનું આક્રમણ કરે છે તેમ એક દેશમાં ઉત્પન્ન થયેલી રૂચિ શેષ અનેક તમાં રૂચિરૂપ બને. જેમ એક બીજ અનેક બીજેને ઉત્પન્ન કરે છે, તેમ કોઈ એક પદને વિશે ઉદ્દભવેલી રૂચિ અન્ય પદોમાં પણ રૂચિરૂપ બને છે. (૬) અધિગમ-રૂચિ એટલે આચારાદિ અંગે, ઔપપાતિકાદિ ઉપાંગે, ઉત્તરધ્યયનાદિ પ્રકીર્ણ વગેરે આગને અર્થ જાણ્યા બાદ તેને વિષે રૂચિ. (૭) વિસ્તાર-રૂચિ એટલે ધર્માસ્તિકાયાદિ સમગ્ર દ્રવ્યો અને તેના પર્યાયને યથાએગ્ય પ્રત્યક્ષાદિ પ્રમાણે તેમજ નગમાદિ ન વડે બંધ થવાથી ઉત્પન થતી રૂચિ. આ અતિશય નિર્મળ રૂચિ છે. (૮) કિયા-રૂચિ એટલે સમુચિત સંયમનાં અનુષ્ઠાનને વિષે રૂચિ-જ્ઞાનાદિ આચારના અનુષ્ઠાન કરવાની રૂચિ. (૯) સંક્ષેપ-રૂચિ એટલે જેને પરદર્શન માત્રનું જ્ઞાન નથી તેમજ જે જિન-વચનથી પણ પરિચિત નથી અર્થાત જેણે કઈ પણ પદાર્થનું વિસ્તૃત જ્ઞાન મેળવ્યું નથી એવાની રૂચિ. દાખલા તરીકે ઉપશમાદિ ત્રણ પદ વડે તત્વ-રૂચિને પામનાર ચિલાતીપુત્ર. (૧) ધમ-રૂચિ એટલે ધર્માસ્તિકાયાદિના ધર્મો અથવા જિનેન્દ્રપ્રરૂપિત શ્રતના ધર્મોને કે ચારિત્રના ધર્મોને વિષે રૂચિ. અર્થાત ધર્માસ્તિકાયાદિના ગતિ-સ્વભાવાદિને તથા અંગપ્રવિણ આગમમાં વર્ણવેલા મૃત-ધર્મને તથા સામાયિકાદિ ચારિત્ર-ધમને તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલાં છે એમ જાણી તેને વિષે શ્રદ્ધા રાખવી તે સમ્યક્ત્વનાં સમાદિ પાંચ લિગો (લક્ષણે – આપણે ૬૯ માં તથા ૭૧ માં પૃષ્ઠમાં જે સમ્યકત્વનાં લક્ષણે વિચારી ગયા તે પૈકી કેટલાકમાં સમાદિ લિંગ-લક્ષણે વિષે નિશ કરવામાં આવ્યો છે. આથી તેની થી પણ રૂપરેખા જાણવાની અભિલાષા થાય એ સ્વાભાવિક છે. આને તૃપ્ત કરવા માટે પ્રથમ તે ચગશાસના દ્વિતીય પ્રકાશમાંના નિમ્ન-લિખિત પદ્ય દ્વારા લિંગોનાં ન મે જોઈ લઈએ. “ જાન-હા-નિર્દેશ-STH-ડરતવરાળે. અક્ષર જ્ઞમિક સભ્ય, નરવકુવ િ ૨૬ .” અર્થાત (૧) શમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકમ્પ અને (૫) આસ્તિકતાનાં લક્ષણે રૂપ પાંચ લક્ષણોથી રૂદ્ધ રીતે સમ્યક્ત્વ ઓળખાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યક્તિમાં આ પાંચ લક્ષણે-લિંગને સદભાવ હોય, તે ૧ આ દશ ભેદો પૈકી કેટલાકને નિસર્ગ-રૂચિ અને ઉપદેશ–ચિમાં અથવા અધિગમ-રૂચિમાં અન્તભવ થઈ શકે તેમ છે, પરંતુ બાળ જીવોને ઉદ્દેશીને આ પ્રમાણે ભેદ પાડવામાં આવ્યા છે. જુઓ પ્રવચનની વૃત્તિ ( પત્રાંક ૨૮૪ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy