SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અમ-વચને રખાયું છે, તે સકારણ છે. આની સાત વિભાગે પા પ્રત્યેક વિભાગ માટે અધિકાર એવી સંજ્ઞા જવામાં આવી છે. એનું કદ ક્રાઉન ડિશપત્રી છે અને એનું કલેવર ૧૬૬ પૃષનું છે. અંતમાં પ્રશસ્તિનાં ૨, લક્ષિતશબ્દાનુક્રમણિકાનાં ૩૬ અને શુદ્ધિપત્રકનાં ૮ પૃષ્ઠ નજરે પડે છે. આ પ્રમાણેનું એનું બહિરંગ સ્વરૂપ છે. અંતરંગ સ્વરૂપને વિચાર કરતાં ખાસ કરીને વિદ્યાવારિધિ વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃત તત્વાર્થાધિગમસૂત્ર અને તેની સુપ્રસિદ્ધ શ્વેતાંબરીય અને દિગંબરીય વૃત્તિઓને આધારે એ જાયેલું છે. એની શૈલી લાક્ષણિક છે. લગભગ પ્રત્યેક પારિભાષિક શબ્દનું સ્વરૂપ લક્ષણ દ્વારા અત્ર દર્શાવાયું છે. મુખ્યત્વે કરીને આ લક્ષણો જ ગ્રંથને માટે ભાગ શકે છે અને પ્રાય એને જ આ સંસ્કરણમાં સમાવેશ કરાયો છે. આમાંથી કેટલાંક લક્ષણે અવતરણરૂપે શ્રીયુત મેતીલાલ લાધાજી દ્વારા પ્રસિદ્ધ થયેલ તત્ત્વાર્થાધિગમસૂત્રનાં ટિપૂણેમાં નજરે પડે છે. એ લક્ષણે લક્ષણના લક્ષણને અનુસરે છે કે નહિ, એ શાસ્ત્રસંગત છે કે નહિ, એ વસ્તુના નિરૂપણ ઉપર પ્રકાશ પાડી શકે છે કે નહિ ઈત્યાદિ સબંધી વિશેષ ઊહાપોહ કરવા માટે ખાસ જરૂર જણાતી નથી.' કેટલીક વાર એક જ પદાર્થ આશ્રીને બે કે તેથી પણ વધારે લક્ષણ પણ અપાયાં છે. આમ કરવામાં ગ્રંથકારને હેતુ કઈ પણ રીતે અભ્યાસીને સહાયક થઈ પડવાને હોય એમ જણાય છે. આ સંસ્કરણમાં આપેલાં બધાં લક્ષણે મૂળ ગ્રંથને જ અનુસરતાં નથી; કેમકે છપાતી વેળા પણ કેઈક કેઈક વાર ગ્રંથકારને હાથે તે પૈકી કેટલાંકની બાબતમાં પરિવર્તન થયું છે. આ ગ્રંથકારનું જીવનચરિત્ર સંપૂર્ણ રીતે અન્ન ન આલેખતાં કેવળ એમની સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓની નેંધ લેવી દુરસ્ત સમજાય છે, કેમકે તેમની જન્મભૂમિ, તેમને જન્મસમય તેમનાં માતપિતા, તેમને શૈશવકાળ ઇત્યાદિ હકીકતેની મને અંગત માહિતી નથી, તેના જિજ્ઞાસુએ તે આ ગ્રંથમાં હવે પછી આપવામાં આવનાર ચરિત્ર તરફ દષ્ટિપાત કર, ભાષા રચના-વર્ષ મુકણ-વર્ષ ગ્રંથનું નામ ૧ સપ્તભંગીપ્રદીપ ૨ શક્તિવાદટિપ્પણ ૧૯૩૩ ગુજરાતી સંસ્કૃત ૧૯૭૭ અમુદ્રિત ૧ પ્રથાનાં નામકરણ પ્રાયઃ આકસ્મિક હોતાં નથી. મોટે ભાગે એમ કહી શકાય કે પૂર્વ કાલીન અને સમકાલીન વિદ્વાનોની ભાવનામાંથી તેમજ સાહિત્યના નામકરણના પ્રવાહમાંથી પ્રેરણું મેળવીને સંથકારો પોતાની કતિના નામની યોજના કરે છે. પ્રસ્તુત ગ્રંથકારે ન્યાયતીર્થ ન્યાયાચાર્ય મહામહેપાધ્યાય વાચક શ્રીયશોવિજયની વિવિધ કૃતિઓને અંતે “પ્રદીપ” પદ જોઈ આ નામ પસંદ કયુ" હેય એમ સમજાય છે. ૨ દિશામાં કેટલોક પ્રયાસ મેં કર્યો છે અને તેમ કરતી વેળા જે સૂત્ર પદ કે વાક્યની એ છાયા જ છે તેનો તે તે સ્થાનમાં મેં પ્રાયઃ નિર્દેશ કર્યો છે. ૩-૪ અત્ર આપવામાં આવતાં તમામ વર્ષ વિક્રમ સંવતરૂપ સમજવાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy