________________
૧૪
અગ્રવચન
અવસર મને પ્રાપ્ત થશે તે તે વેળા જે એની ખાસ આવશ્યકતા જણાશે તે આ સેવક પિતાનાથી બનતું કરવા ચૂકશે નહિ એવી આશા રખાય છે.
દશનશાસ્ત્ર એ અદ્ભુત રત્નાકર છે. એના અનેકવિધ ગમ અને લંગરૂપ તરંગેના આઘાતમાં એકાદ દશનનાં તત્ત્વ તણખલાંની માફક ક્યાંક ક્યાંક છૂટાછવાયાં તરતાં હોય તે તમામને એકત્રિત કરવાનું પણ મારામાં સામર્થ્ય નથી તે સમસ્ત દશનેનાં સવગીય તને હસ્તગત કરવાની તે વાત જ શી કરવી? પ્રસ્તુત ગ્રંથમાં સમગ્ર પર્વોત્ય દર્શનેનું સર્વાગીય નિરૂપણ બની શક્યું નથી. વળી પાશ્ચાત્ય દાર્શનિક તો પણ ઊડાહિ કર બાકી રહી ગયો છે. અર્થાત જૈન દર્શન સ બંધી અને ષડદન પરત્વેના એક એક મહત્વના મુદ્દાની જોડમાં એક બીજું મહત્વનું પ્રકરણ પરિશિષ્ટરૂપે પણ છેવટે ઉમેરાવું જોઈતું હતું તેમાં પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની રૂપરેખા પર્વાત્ય દાર્શનિક તના સમન્વય પૂર્વક આલેખાવી જોઈતી હતી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો zlozaica (Aristotle ), nael ( Plato ), aius ( Stoic ) aranc 392 (Zeno), આપણે ત્યાંના મધ્યયુગની પેઠે શાબ્દિક જાળ ગૂંથનાર મધ્યયુગવર્તી સ્કૂલમેન (Schoolmen), નવ યુગને પ્રારંભ કરનાર બેકન ( Bacon ), આચાર્ય શ્રી રામાનુજની માફક વિશિષ્ટાદ્વૈતી સ્પાયનેઝા (Spinoza ), તદનંતર કેવલાદ્વૈતી મેલેબ્રાંચે ( Malebranche), આત્મવાદી ડેકાટ (Descartes), પછી પિઝિટિવિઝમ્ (Positivizm ) ના સંસ્થાપક કે ( Comte ), ત્યાર બાદ જનહિતવાદિત્યના પુરસ્કર્તા જોન હુઅર્ટ મિલ ( John Stuart
Mill), સુખવાદી હેશિયસ ( Helvetius) અને તેની ઉપર પોતાના કાયદાનું તત્ત્વજ્ઞાન રજુ કરનાર બૅથમ ( Bentham), નીતિ અને ધર્મનું લગ્ન કરાવી આપનાર ઉદાર અને ધર્મશીલ ડે. માટિને ( Martineau), તદ્દન નજીકની એટલી ઓગણીસમી શતાબ્દીની લગભગ પૂર્ણાહુતિના સમયે ચમકનાર ભૌતિક શાસ્ત્રમાંના મેરુમણિ સ્પેન્સર (Spencer ), ત્યાર બાદ જમન ( German) જગમાંના, આર્યાવર્તના શ્રીશંકરાચાર્યના અવતારરૂપ ગણાતા મેંટ (Kant), તદનંતર એમના જ તત્ત્વજ્ઞાનનું સ્પષ્ટીકરણ કરનાર તેમજ નવયુગના ફેરફાર પ્રમાણે ઈતિહાસનું ઉત્કૃષ્ટ તત્ત્વજ્ઞાન કથનાર ફિટે (Fighte), શેલિંગ ( Schelling ), વીસમી સદીમાંના મહાતત્ત્વજ્ઞાની ઍલે ( Bradley ) અને કાન્સ (France) નિવાસી બગસન ( Bergson )-આ બધાનાં મંતવ્યના નિર્દેશ પૂર્વકનું થોડામાં અને માર્મિક રીતે સહેલી ભાષામાં પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન વિષયક પ્રકરણ રચાવું જોઈતું હતું.
આ તે મારા વિવેચનમાં મને જે દષ્ટિએ ન્યૂનતા જણાઈ છે તેને ઉલ્લેખ થયો. હવે મૂળ ગ્રંથ જૈનતરપ્રદીપને ઉદ્દેશીને થડે વિચાર કરીશું. એ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચાયેલ છે. ઈ. સ. ૧૯૧૮માં એ છપાઈને પ્રથમ બહાર પડ્યા. મુખપૃષ્ઠ પછી (હાલ સ્વર્ગસ્થ પરંતુ તે સમયે વિદ્યમાન) શ્રીવિજયધર્મસૂરિની પ્રતિકૃતિ, ગ્રન્થકારે ઉત્સદગાર દ્વારા તેમને કરેલ સમર્પણ અને ત્યાર પછી બે પાનાંની પ્રસ્તાવના બાદ મૂળ ગ્રંથને પ્રારંભ થાય છે. આનું નામ નતવપ્રદીપ
૧-૨ આ બેના મેં તૈયાર કરેલા ગુજરાતી અનુવાદ માટે જુઓ પૃ. ૧૧-૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org