________________
અગ્રવચન (Foreword)
ઈ. સ. ૧૯૧૮ માં હું એમ.એ. ( M. A. )ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયે અને એ વર્ષમાં વિસન્ત પાઠશાળા ( Wilson College')માં ગણિતના અધ્યાપક તરીકે જોડાયે, એથી મને જૈન સાહિત્યને અભ્યાસ કરવા માટે યથેષ્ઠ સમય મળવા લાગ્યો. એને સદુપયોગ થાય તે માટે મારે વિશેષ રાહ જોવી ન પી. ઈ. સ. ૧૯૨૦ માં શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ પિતાના વિનીત અને વિચક્ષણ શિષ્યમંડળ સાથે “મેહમયી નગરીમાં પધાર્યા. તેમની મારા ઉપર કૃપાદ્રષ્ટિ થતાં મને સવાર સાંઝ અભ્યાસ કરવાની અનુકૂળતા મળી. આનું એક પરિણામ એ આવ્યું કે ન્યાયવિશારદ ન્યાયતીર્થ ઉપાધ્યાય શ્રીમંગલવિજય પાસેથી હું જૈનતરપ્રદીપનું અધ્યયન કરી શકે. તેઓ આ નગરી છોડી ગયા તે પૂર્વ મેં જૈનતત્ત્વદીપનું ભાષાંતર તૈયાર કરી તેમને બતાવ્યું હતું. સમય જતાં મારું વાચન ક્ષેત્ર વિશાળ થતાં મેં પ્રસંગે પાત્ત વિવેચન તૈયાર કરવા માંડ્યું. મુદ્રણાલયમાં છપાતી વેળા પણ પ્રાયઃ ઉમેરે કરવાની તક જવા દીધી નથી. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે મારી મુદ્રણાલય-પુસ્તિકાનું ઉપાધ્યાયજીને હાથે સર્વાગે નિરીક્ષણ થયાને સુગ મળ્યા બાદ જ આ આહંતદશનદીપિકા નામને ગ્રંથ છાપવા અપાયે નથી. પરંતુ એ ઉમેરવું જોઈએ કે પ્રથમ વેળાના ધન-પત્ર તેમજ પ્રાયઃ દ્વિતીય વેળાનાં શેધન-પત્ર પણ તેમની નજર હેઠળથી પસાર થતાં હતાં અને કેટલીક વાર તો તેઓ તેમાં અમૂલ્ય ફેરફારો સૂચવતા હતા. આને બળે તેટલે લાભ લઈ ત્રીજી વારના શોધન-પત્રમાં ગ્ય પરિવર્તન કરી તે છપાવવા મેં રજા આપી છે.
. આ ગ્રંથ કેવળ જૈનતત્તપ્રદીપનું ભાષાંતર નથી તેમજ એ એનું સામાન્ય સ્પષ્ટીકરણ પણ નથી, પરંતુ એ એનું વિસ્તૃત વિવેચન છે. કેટલાક જટિલ વિષય વિષે પણ અત્ર યથામતિ ઊહાપોહ કરાય છે. જૈન દર્શનના સારા અભ્યાસી તરીકે ગણાતી વ્યક્તિને પણ આમાંથી કંઈક નવું જાણવાનું મળી રહેશે એ મારો નમ્ર અભિપ્રાય છે. અત્ર આલેખાયેલા વિષયો ઉપરાંત ઘણુના વિવરણ માટે અત્ર અવકાશ છે; દ્રવ્યાનુગ સંબંધી હજી અનેક દિશાઓમાંથી પ્રકાશ પાડી શકાય તેમ છે. ખાસ કરીને પ્રજ્ઞાપના અને વિવાહપ્રજ્ઞપ્તિના પ્રાપ્ત અભ્યાસી આમાં ઘણી વસ્તુઓની ન્યૂનતા જોઈ શકશે, પરંતુ એ સમગ્ર હકીકતને સમાવેશ કરવા જતાં ગ્રંથનું કલેવર વધી જવાના ભયને તેમજ તેને લીધે વધનાર ખર્ચને પહોંચી વળવાની મુશ્કેલીને પણ બાજુ ઉપર રાખીએ તે પણ એ ગ્રંથ જે કક્ષાના વિદ્યાર્થીઓ માટે જાય છે તેના ક્ષેત્રની બહારને એ ગ્રંથ થઈ જાય એવી પ્રતીતિ થતી હોવાથી તેમજ ખાસ કરીને એવા અગમ્ય પ્રદેશમાં ઉડ્ડયન કરવા માટે આવશ્યક શક્તિ અને પરિસ્થિતિ નહિ હોવાથી આ વાત અત્ર પડતી મૂકવામાં આવી છે. છતાં આ ગ્રંથની દ્વિતીય આવૃત્તિ પ્રસિદ્ધ કરવાને અપૂર્વ
૧ આથી એક સરખી શૈલી ન રહી હોય તે તે બનવાજોગ છે. પરંતુ પૂર્વાપર અનુસંધાન જળવાઈ રહે તે બદલ મેં બનતી કાળજી રાખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org