________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા
૧૫
દલિકોને જ્યારે સંપૂર્ણ અનુભવી રહે છે અને સાથે સાથે દ્વિતીય સ્થિતિનાં દલિકને જેમ રાખ અગ્નિને ઢાંકી રાખે તેમ એટલે કે ભારેલા અગ્નિની જેમ ઉદયમાં ન જ આવે--અંતમુહૂર્ત સુધી તે ભેગવવાં ન જ પડે એવી રીતે દબાવી રાખે છે, ત્યારે અંતરકરણના પ્રથમ સમયે અતિશય આનંદજનક પશામક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે અને તેને અપૂર્વ આનન્દ અન્તરકરણના ચરમ સમય સુધી તો એટલે કે અન્તમુહૂર્ત કાળ પર્યત જીવ લઈ શકે છે.
અત્રે એ ધ્યાનમાં રાખવું કે આ પથમિક સમ્યકત્વ દરમ્યાન ચાર અનન્તાનુબન્ધી કષાય અને સમ્યકત્વ-મેહનીય, મિશ્ર-મેહનીય અને મિથ્યાત્વ–મેહનીય એ દર્શન–ત્રિકને એટલે કે આ સાત પ્રકૃતિઓ પૈકી એકેને પ્રદેશદય કે રસોદય પણ હેત નથી. આ કારણને લીધે તે આને “અપીગલિક સમ્યકત્વ” કહેલું છે. વળી એ જ હેતુથી પશમિક સમ્યકત્વને શાચિક સમ્યક્ત્વની જેમ “આત્મિક-સમ્યકત્વ” કહેવામાં આવે છે. સમ્યક્ત્વની પ્રાપ્તિથી આનન્દ–
આપણે ઉપર જોઈ ગયા તેમ અન્તરકરણના પ્રથમ સમયમાં મિથ્યાત્વ-મેહનીયને અલ્પાંશે પણ ઉદય નહિ હોવાને લીધે અને અતિદીર્ઘ સ્થિતિવાળાં તાદશ કમને અધ્યવસાયના બળથી દબાવી રાખેલાં હોવાથી–રાગ દ્વેષને ઉપશમાવેલાં હોવાથી અનાદિ મિથ્યાદષ્ટિ જીવ પિતાની સંસારની રખડપટ્ટી દરમ્યાન સૌથી પ્રથમ ઓપશમિક સમ્યક્ત્વ પામે છે. આ સમ્યકત્વને પ્રાદુર્ભાવ થતાં આત્માને જે આહૂલાદ થાય છે તે અવર્ણનીય છે, છતાં તેનું સ્થળ સ્વરૂપ પણ સમજાય તેટલા માટે શાસ્ત્રકારે કેટલાંક ઉદાહરણ આપે છે. જેમકે, ભર ઉનાળાની મેસમમાં ખરે બપોરે
સૂર્યના પ્રખર તાપથી પીડિત થયેલા અને નિર્જળ વનમાં અથડાતા આન-દસૂચક ઉદાહરણે વટેમાર્ગુને ઝાડની છાયારૂપ શીતળ સ્થાન નજરે દેખાતાં
કેટલે આનંદ થાય તેમાં પણ વળી જો આ વટેમાર્ગુને આવા શીતળ સ્થળમાં આરામ લેવાને સુગ મળે એટલું જ નહિ, પરંતુ ત્યાં આવીને કઈ એને ઠંડું પાણી પીવા આપે અને તેના આખા શરીરે ચન્દનને લેપ કરે તે તેના આનન્દમાં કંઇ ન્યૂનતા રહે ખરી ? એવી રીતે અનાદિકાલિક સંસારરૂપ ગ્રીષ્મ ઋતુમાં જન્મ-મરણાદિરૂપ નિર્જળ વનમાં કષાયરૂપ તાપથી તપ્ત થયેલા અને તૃષ્ણારૂપ તૃષાથી પીડિત એવા ભવ્ય જીવરૂપ વટેમાગુને અન્ડરકરણરૂપ શીતળ છાયા દષ્ટિગોચર થાય, ત્યારે તે તે તરફ હર્ષપૂર્વક દેડે એમાં શી નવાઈ? અને ત્યાં જતાં જ- અન્તરકરણરૂપ સ્થાનમાં પ્રવેશ કરતાં જ ચંદનથી પણ અનેક ગુણી
૧ કહેવાની મતલબ એ છે કે જેમ વનમાં દાવાનલ લાગે હોય અને તે દાવાનલ પ્રસરતાં પ્રસરતાં જ્યારે ઉષર-ભૂમિમાં આવે ત્યારે તે આપોઆપ એલવાઈ જાય–શાંત પડી જાય, તેમ પ્રસ્તુતમાં મિથ્યાત્વ-વેદનરૂપ દાવાનલ પણ અન્ડરકરણરૂપ ઉષર-ભૂમિને પ્રાપ્ત થતાં શમી જાય છે. અર્થાત પશમિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.
૨ રસ સહિત પ્રદેશને ઉદય તે “ રદય' કહેવાય છે. આને “ વિપાકેદય” પણ કહેવામાં આવે છે.
૩ આ કર્મ-કન્યકારોને અભિપ્રાય છે. આ સંબંધમાં સૈદ્ધાતિને જૂદ મત છે. જુઓ પૃ૦ ૧૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org