________________
ઉલ્લાસ 1 આહંત દર્શન દીપિકા.
૧૮૧ - સ્થિતિવાત–
જ્ઞાનાવરણીયાદિ જે કર્મો ઘણા કાળ સુધી ભેગવવા લાયક સ્થિતિવાળા બાંધ્યાં હોય, તે કર્મોની સ્થિતિને અપવતના કરણ દ્વારા ઓછી કરવી–ડા કાળમાં કર્મો ભગવાઈ જાય તેમ કરવું તે “સ્થિતિ–ઘાત” છે. (જુઓ પૃ. ૮૭-૮૮) આ કાર્ય અપૂર્વકરણવર્તી જીવ અપૂર્વ રીતે કરે છે એટલે તદંશે આ કરણનું નામ સાર્થક છે.
આ સ્થિતિ-ઘાતના સ્વરૂપ ઉપર કમ્મરના ઉપશમના કરણની નિમ્ન–લિખિત ગાથા દિવ્ય પ્રકાશ પાડે છે --
“ , રંપરું ઘર સંવતન મા.
ठिइकंडगमणुभागं, गणंतभागा मुहुत्तंतो ॥ १३ ॥ " અર્થાત સીધી લીટીરૂપ સત્તામાં રહેલી અંતઃકટાકેટિ સાગરેપમ પ્રમાણની સ્થિતિના ઉપરના ભાગમાંથી વધારેમાં વધારે સેંકડો સાગરેપમ પ્રમાણ અને ઓછામાં ઓછા પાપમના
અસંખ્યય ભાગ જેટલા સ્થિતિ–ખંડને ઉકેરે છે એટલે કે તે ભાગમાં રહેલા ઉપર્યુક્ત પ્રમાણની સ્થિતિવાળાં કર્મ-દલિને ત્યાંથી ઉઠાવે છે અને તેમ કરીને જે સ્થિતિ નીચે ખંડિત થવાની નથી તેમાં એટલે કે જેમાં રહેલ દલિકે અનુભવાતાં નથી તે સ્થિતિમાં તેને પ્રક્ષેપે છે–ગોઠવે છે. આ પ્રમાણેની સ્થિતિ ખંડને ઉશ્કેરવાની ક્રિયા અંતમુહૂર્તમાં પૂરી થાય છે. ત્યાર બાદ ફરીથી પ્રથમ સ્થિતિ–ખંડની અનન્તર રહેલા જઘન્ય વા ઉત્કૃષ્ટ સ્થિતિ–ખંડને અંતમુહૂર્તમાં ઉમેરે છે અને પૂર્વની જેમ દલિકેન પ્રક્ષેપ કરે છે. એ પ્રમાણે અપૂર્વકરણ દરમ્યાન હજાર સ્થિતિખંડનાં દલિકે ઉઠાવી લઈ નીચેની સ્થિતિમાં દાખલ કરાય છે. આથી કરીને અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલી સ્થિતિ–સત્તા હોય છે, તેથી તેના અન્ય સમયે સંખેય ગુણ હીન સ્થિતિ–સત્તા થાય છે. અર્થાત તેટલા પ્રમાણ સ્થિતિવાળાં દૃલિકો તે ભાગમાંથી ખાલી થાય છે.
રસ–ઘાત--
આ સંબંધમાં કમ્મરના ઉપશમના કરણની નિમ્ન–લિખિત ગાથામાં કહ્યું છે કે –
૧ આનું તેમજ અન્ય કોઈ હકીકતનું) ફરીથી પ્રરૂપણ કરતી વેળા સિંહાવલોકન ન્યાયનું અવલંબન લઈ તેની કંઇ વિશેષતા સમજાવવા પ્રયાસ કરાય છે એમ સમજવું.
ર આ પ્રમાણે પંચસંગ્રહમાં પણ છે, પરંતુ કશ્મની શ્રીયશોવિજયગણિકત ટીકા (પત્રાંક ૧૮૨)માં “ સંખેય 'ને ઉલ્લેખ છે.
૩ છાયા
उदधिपृथक्त्वोत्कर्षमितरं पल्यस्य असङख्येयभागम् । स्थितिकण्डकमनुभागानन्तभागान् मुहूर्तान्तः ॥ १३ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org