________________
છવ–અધિકાર.
[ પ્રથમ (પ્રથમ છે કે અંતિમ હો એ બને તો આત્માની ઉન્નતિનાં સાધક છે. તેમાં પણ અપૂર્વકરણ યથાપ્રવૃત્તિકરણથી ચડિયાતું છે. એનું કારણ એની વિશિષ્ટતા વિચારતાં સમજાશે.
યથાપ્રવૃત્તિકરણમાં સ્થિતિ–ઘાત, રસ–ઘાત કે ગુણ-શ્રેણિના પ્રવર્તન માટે સ્થાન નથી, પરંતુ એમાં કેટલીક વિશુદ્ધિઓ માટે સ્થાન છે. આ પૂર્વપ્રવૃત્તને પ્રાપ્ત થયેલ છવ "દ્વિસ્થાનક (બે ઠાણીઆ) રસવાળાં અશુભ કર્મોને અને ચતુઃસ્થાનક (ચાર ઠાણીઆ) શુભ
. ૧ યથાપ્રવૃત્તિકરણ દ્વારા દીર્ધ સ્થિતિવાળાં કર્મોની અંતઃકટોકેટિ સાગરોપમની સ્થિતિ કરાય છે એટલે અલબત પૂર્વોકત-સ્થિતિને હાસ થાય છે તે ઓછી થાય છે, પરંતુ તેને વાસ્તવિક રીતે સ્થિતિ-વાત એવું નામ અપાય નહિ, એ વાતને પૃ૦ ૮૭-૮૮ તથા સ્થિતિ-ઘાતનું સ્વરૂપ (જુઓ પૃ૦ ૧૦૧) સમર્થન કરે છે.
૨-૩ આ માટે જુઓ પૃ૦ ૧૦૧-૧૦૨.
જ પૂર્વ પૂર્વ સમયની વિશુદ્ધિથી ઉત્તરોત્તર સમયની અનંત ગુણી વિશુદ્ધિ દર્શાવનાર બે પુરુષની વિવક્ષા માટે જુઓ કમ્પની ટીકા ( પત્રાંક ૧૬-૧૬૩ ).
૫ આ હકીકત રસની તરતમાતાને અધીન છે. શુભ કર્મોનો રસ ક્ષીર, ખાંડ, શેરડી, દરાખ વગેરેની જેમ માટે હોય છે, જ્યારે અશુભ કર્મોને રસ ઘાતકી. લીંબડે ઇત્યાદિની જેમ કડવું હોય છે. કમપ્રકૃતિની ટીકા ( પત્રાંક ૬૩ )માં ટાંચણરૂપે આપેલી નિમ્ન-લિખિત ગાથામાં કહ્યું પણ છે કે
" घोसाडई निंबुवमो असुभाण; सुभाण खीरखंडुप मो" [ ઘriાત-નિયમોશુમાનાક, જુમાનાં ક્ષીર-gvcvમ: ]
ધારે કે આપણી પાસે એક શેર લીંબડાને રસ છે. એમાં જે કડવાશ રહેલી હોય, તેને સ્વાભાવિક યાને એક સ્થાનક (એક પ્રાણીઓ ) રસ કહેવામાં આવે છે. આ રસને ઉકાળી તેને અડધે ભાગ ( એક દ્વિતીયાંશ ) બળી જાય એટલે એટલે અડધે શેર બાકી રાખીએ તે તે રસ પહેલાં કરતાં વધારે કડવો ( કટુતર ) બનેલો કહેવાય એ નિઃસર્જે છે. આ અડધા શેર રસમાં શેર રસ જેટલી કડવાશ હોવાથી એટલે આની કડવાશ પ્રથમ કરતાં બમણી હોવાથી તે કિસ્થાનક યાને બે ઠાણુઓ રસ કહેવાય. જો શેર રસને ઉકાળીને તેના બે ભાગ જેટલો તેને એ છે બનાવીએ અર્થાત ત્રીજે ભાગે (એક તૃતીયાંશ) તે બાકી રહે તેમ કરીએ તો તે રસ દ્રિસ્થાનક રસ કરતાં પણ વધારે કહે છે યાને પ્રથમની અપેક્ષાએ કર્તમ છે. આ એક તુતીયાંશ રસમાં સ્વાભાવિક રસ કરતાં ત્રણ ગણી કડવાશ રહેલી હોવાથી તેને ત્રિસ્થાનક યાને ત્રણ ટાણીએ રસ કહેવાય. એવી રીતે જે શેર રસને ઉકાળીને તેના ત્રણ ભાગ જેટલે રસ બાળી નાંખી ચેથે ભાગે ( એક ચતુર્થેશ ) યાને (૧) પાશેર બાકી રહે તેમ કરીએ તે તે રસ ત્રિસ્થાનક કરતાં પણ વધારે કડવો છે. પ્રથમની અપેક્ષાએ એ અતિકતમ છે; આ પાશેર રસમાં શેર રસ જેટલી કડવાશ હોવાથી એટલે કે પ્રથમની અપેક્ષાએ તેમાં ચાર ગુણી કડવાશ હોવાથી તે ચતુઃસ્થાનક યાને ચાર ઠાણીઓ રસ કહેવાય છે.
આ પ્રમાણે જેમ લીંબડાની કડવાશ વધારી શકાય છે તેમ તેને ઓછી–મન્દ પણ કરી શકાય છે. જેમકે એક શેર લીંબડાના રસમાં એક શેર પાણી રેડીએ તે આ બશેરના મિશ્રણમાં પહેલા જેટલી કડવાશ રહેલી હોવાથી એકંદર રીતે તેની કડવાશ અડધી થયેલી ગણાય. એવી રીતે જે બશેર પાણી રેડીએ તે તેની કડવાશ ત્રીજે ભાગે રહેશે. એવી રીતે ત્રણ શેર પાણી રેડીએ તે કડવાશ એથે ભાગે રહેશે. આમ તે રસ મન્દ, માતર, મન્દતમ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org