________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. - વળી એ કંઇ અકાટય નિયમ નથી કે જે કમ જેવી રીતે બાંધ્યું હોય તેવી જ રીતે તે ભેગવવું જોઈએ. જે એમ જ હોય તે અશુભ કર્મોને નાશ કરવા માટે જાયેલાં તપ, જપ, જિન-પૂજા વગેરે શુભ અનુષ્ઠાને વ્યર્થ જશે. વિશેષમાં તદ્દભવક્ષગામી જીવને પણ પૂર્વ કર્મો વિપાકેદયરૂપે ભેગવતાં નવીન કમને બંધ થશે અને તેમ થતાં તે મુક્ત થઈ શકશે નહિ. આથી કડાકે સાગરેપમે જેટલી દીર્ઘ સ્થિતિવાળું કર્મ પણ નીરસપણે પ્રદેશથી ભગવાય છે એમ માનવું ઉચિત સમજાય છે. આ વાતને ધ્યાનમાં લેતાં એમ કહી શકાય તેમ છે કે અંતિમ ભવમાં સર્વ કર્મોને ક્ષય થઈ શકે છે.
આશા રહે છે કે આ ટુંક વિવેચનનું મનન કરનારાને તે સ્થિતિ-- અપવતનામાં કે રસ-- અપવતનામાં એટલે કે સ્થિતિ અને રસના ઉપકમમાં કૃતનાશ કે અકુતાગમ દેષ માટે અપાશે પણું સ્થાન નથી એમ સ્પષ્ટ સમજાયું હશે. યથાપ્રવૃત્તિકરણનું પ્રજન
કે વસ્ત્રની ઉપર ઘી કે તેલને ડાઘ પડ્યો હોય અને તેના ઉપર ધૂળ ચોંટી ગઈ હોય, તે તે ડાઘ બરાબર દેખાતું નથી, પરંતુ જે ધૂળને દૂર કરવામાં આવે છે તે ડાઘ નજરે પડે તેવી રીતે આત્મારૂપ વસ્ત્રમાં રાગ-દ્વેષની નિબિડ ગાંઠ (ગ્રથિ)રૂપ ડાઘ પડે છે; એ ડાઘ સ્પષ્ટ રીતે જોઈ શકાય તે માટે તેને આછાદિત કરનારી કર્મોની દીર્ઘ સ્થિતિરૂપ ધૂળ દૂર કરવી જોઈએ. આ કાર્ય કરવાનું બળ યથાપ્રવૃત્તિકરણમાં છે. એ અધ્યવસાયની મદદથી કમરસ્થિતિને લાઘવ કરી આત્મા અન્તઃસ્થાન–પ્રન્થિ-સ્થાન નિહાળી શકે છે. યથાપ્રવૃત્તિકરણનું સ્વરૂપ
યથાપ્રવૃત્તિને સામાન્ય અર્થ એ છે કે આત્માની અનાદિ કાળથી કમ ખપાવવાની જેવી પ્રવૃત્તિ ચાલી આવે છે તેવી ને તેવી પ્રવૃત્તિ. જોકે આ પ્રમાણે આત્માની અનાદિની ચાલ કાયમ છે, છતાં કારણ-પરિપાકને લઈને-'ધાન્યના પ્યાલાના દષ્ટાન્ત અનુસાર-નદી-પાષાણુ ન્યાય પ્રમાણે
૧ ધારો કે આપણી પાસે ધાન્યને એક પલ્ય ( પ્યાલો ) છે. આમાંથી પ્રતિદિન જેટલું ધાન્ય કુટુંબ-કબીલાના નિર્વાહ માટે કાઢવામાં આવે તેના પ્રમાણમાં ઓછું ધાન્ય છે તેમાં નંખાય, તે સમય જતાં–અમુક કાળ વીત્યા બાદ તે પલ્ય ધાન્ય વિનાને નહિ થઇ જાય ત્યારૂ ? તેવી રીતે પ્રસ્તુતમાં કર્મ એ ધાન્ય છે અને આત્મ–પ્રદેશ એ પડ્યું છે. અનાભોગ–અકામ નિર્જર દ્વારા આમાંથી ઘણાં કર્મને ખપાવતે અને તેના પ્રમાણમાં ન્યૂન નવીન કમેને બાંધતો જતો જીવ કાલાંતરે પ્રબ્ધિ-પ્રદેશ સમીપ ન આવી પહોંચે ? શું એ કર્મોની સ્થિતિ ઘટાડી ન શકે ?
૨ ધારે કે એક પર્વત છે અને તેમાંથી એક નદી વહી રહી છે. આ પર્વતની નીચે એક પત્થર રહેલો છે; તે આને પ્રવાહમાં તણાય છે. તો એ બનવા જોગ છે કે આમ તેમ અથડાઈ ઘસાતાં ઘસાતાં તે પત્થર ગોળ અને સુંવાળા બની જાય. તેમ પ્રસ્તુતમાં જીવે તે પત્થર છે, ચતુર્ગતિરૂપ સંસાર તે જલ-પ્રવાહ છે. તેમાં તણુત છવરૂપી પાંપણ અનાભોગરૂપ ઘર્ષણ વડે ધર્મ-પ્રવૃત્તિરૂપ યોગ્ય ઘાટમાં આવે-યથાયોગ્ય સંગે મળતાં કષાયની મંદતાના ગે કર્મ-સ્થિતિને લાઘવ કરે તે શું અસંભવિત ઘટના છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org