SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-અધિકાર. [ પ્રથમ ઉપર ઘાસ નાંખી તેને કપડા વડે ઢાંકી રાખીએ, તે શું તે જલદી પાકી ન જાય? આવી રીતે અનિકાચિત અને કેટલીક વાર નિકાચિત કર્મો પણ અધ્યવસાયના પ્રતાપે અલ્પ કાળમાં ભગવાઈ જાય એવાં બનાવી શકાય છે. એમાં કઈ જાતના વિરોધને માટે સ્થાન નથી. આથી કરીને તે અબાધાકાળના જઘન્ય-ઉત્કૃષ્ટ ભેદ તથા ઉદયાવલિમાં આવતાં કર્મો પરત્વે નિષેક અને ગુણરચના ઘટી શકે છે. આ હકીકતને ઝુટ કરવી અને વશ્યક નહિ ગણાય એમ માની આ સંબંધમાં કેટલુંક વિવેચન ઉમેરવામાં આવે છે. પ્રજ્ઞાપનાવૃત્તિમાં (૧) પ્રદેશ--કર્મ-અનુભવ અને (૨) વિપાક-કર્મ-અનુભવ એમ બે પ્રકારને “કર્માનુભાવ દર્શાવેલ છે. તેમાં પ્રદેશન-કમની અપેક્ષાએ દરેક કર્મ અવશ્ય જોગવવું પડે છે, જ્યારે રસથી કર્મને અનુભવ થાયે ખરે અને નપણું થાય. એટલે કે કમને રસ અનુભવાય અને કેઈને ન અનુભવાય. જેમ શેરીમાં રહેલો રસ સૂર્યના તાપથી સૂકાઈ જાય છતાં ત્યાં કૃતનાશ અને અકૃતાગમ માટે સ્થાન નથી, તેમ રિથતિ પણ રસાધીન હોવાથી રસમાં અપવતના થતાં રિથતિમાં પણ અપવતના થાય એ સ્વાભાવિક છે. વિશેષમાં અનેક છાએ તુલ્ય સ્થિતિવાળું કર્મ બાંધ્યું હોય છતાં તેના અનુભવ-- કાલમાં ફરક પડે તે તેમાં કંઈ નવાઈ નથી. કેમકે, દાખલા તરીકે ભૂલેશ્વરથી ચપાટી જવા નીકવેલા સર્વે મનુષ્ય સમકાલે જ ત્યાં જઈ પહોંચે એવો કંઈ નિયમ છે? શું એ વાત પ્રત્યેક મનુષ્યની ગતિના વેગને અધીન નથી? એવી જ રીતે એક જ વર્ગમાં દાખલ થયેલા સર્વે વિદ્યાર્થીઓ સમકાલે જ અમુક પાઠ તૈયાર કરી શકે કે અમુક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે એવી કેઈ રાજાજ્ઞા છે ? શું આ હકીકત બુદ્ધિની તરતમાતાને અધીન નથી? ૧ જે કર્મોની જેટલા કડાકેડી સાગરોપમની સ્થિતિ હોય છે તેટલા સે વર્ષોને તેને “ અબાધા કાળ' યાને “અનુદય કાળ' જાણ. આ કાળ દરમ્યાન તે તે કર્મ છવને સ્વ ઉદય વડે બાધા-હાનિ કરી શકતું નથી. એથી એને “ અબાધા કાળ' કહેવામાં આવે છે. બાકીને કાળ કે જે દરમ્યાન પ્રદેશદય કે વિપાકેદય હોય છે, તે “ અનુભવ-કાલ ” યાને “નિષેક-કાલ ” કહેવાય છે. અત્ર પ્રદેશેાદય અને વિપાકેદય એટલે શું તે નિવેદન કરવું આવશ્યક સમજાય છે. કેટલાક એમ માનવાની ભૂલ કરે છે કે જે પ્રકૃતિમાંથી રસ સર્વથા જતો રહ્યો હોય તે પ્રકૃતિના પ્રદેશ માત્રને ઉદય તે “ પ્રદેશોદય ' છે અને જે રસવાળી પ્રકૃતિને રસ ઉદયમાં આવે છે તે પ્રકૃતિને “ વિપાકોદય ' છે. આ માન્યતા ભ્રાન્ત હોવાનું કારણ એ છે કે સ્તિબુક-સંક્રમરૂપે એટલે પ્રદેશોદયરૂપે ઉદયમાં આવેલી પ્રકૃતિમાં રસ જરૂર હોય છે, પરંતુ તેને તીવ્ર રસ પરપ્રકૃતિરૂપે પરિણમેલું હોવાથી સ્વપ્રકૃતિરૂપેસ્વવિપાકરૂપે ઉદયમાં આવી શકતા નથી. આ પ્રમાણે વિવક્ષિત પ્રકૃતિના પ્રદેશે સ્વવિપાકરૂપે ઉદયમાં નહિ આવેલા હોવાથી પરંતુ પરવિપાકરૂપે ઉદયમાં આવેલા હોવાથી તે “પ્રદેશદય” જ કહેવાય. જેમ દૂધ દહીં વગેરે રૂપે પરિણમે, તે તે પરિણામમાં દુષ્પને પ્રદેશાનુભવ છે અને દહીં વગેરેમાં તેને રસાનુભવ છે. ૨. કર્મના ઉદય વખતે તેનાં દલિકની જે રચના હોય તે “ નિષેક ” કહેવાય છે. ૩ ગુણરચના એટલે ગુણાકારે રચના. જુઓ ગુણ-અણિનું સ્વરૂપ.. ૪ આ વાતને લક્ષ્યમાં રાખીને “ સવરપેર મારામ” ઇત્યાદિ ઉલ્લેખ અસ્તિત્વમાં આવ્યા જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy