SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા કરતાં જીવને જે સમયે સંસારરૂપી કેદખાનામાંથી છૂટવાને માટે એક પુલ પરાવત જેટલે કાળ બાકી રહે છે, ત્યારે બાહ્ય આડંબરવાળા વિવિધ ધર્મોને હેય ગણી ધમવન કાળ વીતરાગે દર્શાવેલા માર્ગને આશ્રય લેવાની તેને ઉત્કંઠા થાય છે. આ કાળને “ધર્મ–ચૌવન-કાળ' કહેવામાં આવે છે. આ ધર્મયૌવન કાળમાં જ મોક્ષે જનારા જીવને કળ્યાદિ કારણને અનુસાર તથા ભવ્યત્વ-દશાને પરિપાક થવાથી એ પરિણામ ઉદભવે છે કે જેના બળથી-જે કરણથી તે આયુષ્ય કર્મ સિવાયનાં બાકીનાં જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મોની અતિશય દીર્ધ સ્થિતિ અન્તઃકેટકેટિ સાગરેપમ એટલે પાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કોડાકડી સાગરોપમ જેટલી શેષ રહે છે. આ કરણને “યથાપ્રવૃત્તિકરણ” કહેવામાં આવે છે. સ્થિતિ-ઘાત અને કૃતનાશ તથા અકૃતાગમના દોષનું નિવારણ– અત્ર કેઈ શંકા કરે કે જે જીવે જે કમની જેટલી સ્થિતિ બાંધેલી હોય, તેટલા કાળ સુધી તે જીવે તેને ભેગવવી જ જોઈએ. આમ હોવા છતાં અતમુહર્ત પ્રમાણ અધ્યવસાયના સમૂહરૂપ યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ્યારે એ દીર્ઘ સ્થિતિના નાશની વાત નિવેદન કરવામાં આવે છે, તે એ વાત કેમ સંભવી શકે ? વળી જે તે સંભવે છે, તે બાંધેલ સ્થિતિ સુધી કમ નહિ ભેગવવું પડતું હોવાથી “કૃતનાશ” અને ઓછી સ્થિતિનું કર્મ ન બાંધવા છતાં તે અલ્પ સમયમાં ભગવાઈ જાય છે એથી “અકૃતાગમ” એમ બે દોષે શું ઉપસ્થિત થતા નથી ? આના સમાધાના નિવેદન કરવાનું કે પ્રથમ તે આ પ્રશ્ન જ અસ્થાને છે. કેમકે યથાપ્રવૃત્તિકરણ દ્વારા દીર્ઘ સ્થિતિને કંઈ કૃત્રિમ નાશ થતો નથી. જેટલી સ્થિતિ બાંધવામાં આવી હોય તેને અમુક ભાગ સ્વાભાવિક રીતે વ્યતીત થતાં જેટલી સ્થિતિ રહે, તે સ્થિતિ બાંધેલી સ્થિતિ કરતાં ઓછી થઈ છે એમ જરૂર કહેવાય; પરંતુ તેથી આ સ્થિતિને પ્રયત્નજન્ય નાશ થયો છે એમ ન જ કહેવાય. જ્યાં સુધી આ નાશ ન થાય, ત્યાં સુધી કૃતનાશાદિ દેને માટે અવકાશ કયાંથી સંભવી શકે ? ખરી રીતે આવા દેનું ઉત્થાન સ્થિતિ-ઘાત પરત્વે સંભવે છે, કેમકે સ્થિતિ-- ઘાતને અર્થ એ છે કે જેટલી સ્થિતિ બાંધેલી હોય, તેમાં સ્વાભાસ્થિતિઘાતને અર્થ વિક રીતે વખત જતાં તે જેટલી ઓછી થાય એટલે જ તેમાં ઘટાડે થાય છે એમ નથી, કિન્તુ તે ઉપરાંત 'અપવર્તન કરણ ૧ આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરે૫મની છે એટલે એની સ્થિતિ તે સદા અન્તઃ"કોટકેટિ સાગરોપમની હેવાથી અત્ર તેનું વજન કરવામાં આવ્યું છે. ૨ આ હકીક્ત અપવર્તનીય આયુષ્યને પણ લાગુ પડે છે. આ આયુષ્યનું સ્વરૂપ આ ઉલ્લાસમાં વિચારવામાં આવશે. ૩ ‘કરણ' એ જીવના વય-વિશવનું નામ છે. આવાં કરણે આઠ છે – (૧ ) બંધનકરણ, (૨ ) સંક્રમણ-કરણ, (૩) ઉના -કરણ, (૪) અપવર્તના-કરણ, (૫) ઉદીરણ-કરણ, (૬) ઉપશમ-કરણ, (૭) નિધત્તિકરણ, અને (૮) નિકાચના-કરણ. આ આઠેનું સ્વરૂપ કમ્મપયડીમાં બહુ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. પ્રસ્તુતમાં આપણે અપવર્તન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy