SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, ૫ (ભલે તે પછી વ્યતિક્રમ પૂર્વક હાય) જેટલા કાળ વીતી જાય, તે ' હું આદર--કાલ-પુદ્ગલ-પરાવત ’ કહેવાય છે, પરંતુ પ્રથમ સમયે મર્યા પછી તે જીવ પાછે જ્યારે તદનન્તર દ્વિતીય સમયમાં મરે ત્યારે જ તે દ્વિતીય સમય ગણાય અને વચ્ચેના જે સમયેામાં તેનું મરણ થયુ હાય તે સમયેા ગણત્રીમાં ન લેવાય, એવી રીતે ક્રમસર મરણવિષયક સમયેા જ ગણતાં સમગ્ર સમયાના વારા આવી જતાં જેટલા કાળ વહી જાય, તેને · સૂક્ષ્મ-કાલ-પુદ્ગલ-પરાવત ’ કહેવામાં આવે છે. આ વાત વિસ્તારથી વિચારીશું, ધારેશ કે કેઇ જીવ આ અવસર્પિણીના પ્રથમ સમયમાં મરણ પામ્યા. ત્યાર પછી અવણીના ત્રીજા સમયમાં તેનું મરણુ ન થયું તે। . આ અવસપ ણીને બાકીના સમગ્ર કાળ તેમજ સંપૂર્ણ ઉત્સર્પિણીના કાળ એટલે કે વીસ કડાકોડી સાગરોપમમાં એક સમય ન્યૂન એટલા કાળ પછી જયારે અવસર્પિણી આવે ત્યારે ગણનામાં કામ લાગે એવા દ્વિતીય સમય આવે છે. આ દ્વિતીય સમયમાં તેનું મરણુ થાય તે તે લેખે ગણાય; નહિ તે ફરીથી અન્ય અવસર્પિણી માટે રાહ જોવાની બાકી રહે છે. એમ કરતાં દ્વિતીય સમયમાં મરણ થાય, ત્યાર પછી અવસર્પિણીના તૃતીય સમયમાં તેનું મરણ થવુ જોઇએ. આમ જો દ્વિતીય સમય પછી તરત જ તેનું તૃતીય સમયમાં મૃત્યુ ન થાય તે વળી અન્ય અવસર્પિણી આવે ત્યાં સુધીમાં જે કોઇ પણ સમયમાં તેનું મરણ થયેલુ હાય તે ગણાય તેમ નથી, પરંતુ જ્યારે અવસર્પિણીના તૃતીય સમયમાં જ તેને દેહ પડે ત્યારે જ તે સમય કામમાં લઇ શકાય. આવી રીતે અવસર્પિણીના અગણિત સમયેામાં ક્રમશઃ મરણ થતાં કેટલા બધા કાળ વ્યતીત થઇ જાય એ તે વિચક્ષણ જન એની મેળે વિચારી લેશે. ભાવ–પુદ્ગલ-પરાવત નું સ્વરૂપ- અસંખ્યેય લેાકાકાશના પ્રદેશ જેટલા અનુભાગ-અન્યનાં સ્થાન છે. આ સ્થાનના નિષ્ણા દક કષાયના ઉચરૂપ અધ્યવસાયે છે એટલે તેની સંખ્યા પણુ એટલી જ છે. આ અધ્યવસાયેામાં મન્ત્રતા-તીવ્રતાની અપેક્ષાએ તરતમતા રહેલી છે. આ પૈકી અત્યંત મન્ત્ર એવા અધ્યવસાય પૂર્વક કેઇ જીવ મરે, ત્યાર પછી એનાથી જરા આછા મન્દ અધ્યવસાયે મરે, આ પ્રમાણે મરણુ થાય તે પૂર્વે બીજા કોઇ અધ્યવસાય પૂર્વક તેનું મરણ થયુ હોય તે તે અધ્યવસાયાને પણ ગણુત્રીમાં લેવામાં આવે અને એવી રીતે સમરત અધ્યવસાયે પૂર્વક મરણુ થઇ રહેવામાં જેટલા વખત વીતી જાય, તેને ‘ આદર-ભાવ-પુદ્ગલ-પરાવત ’ કહેવામાં આવે છે, પરંતુ જયાં અધ્યવસાયની તરતમતા લક્ષ્યમાં રાખીને અર્થાત્ એક અધ્યવસાય પૂર્વકના મરણ પછી તદ્દનન્તર અધ્યવસાય પૂર્ણાંક જ જો મરણ થાય (ભલે તેમ થાય તે પૂર્વે બીજા કોઇ અધ્યવસાય પૂર્વક મરણ થયું હોય તે તેની નોંધ ન લેવાય) તે જ તે અધ્યવસાય ગણત્રીમાં લેવાય; એવી રીતે વિચારતાં જેટલે કાળ વ્યતીત થાય, તેને ‘ સૂક્ષ્મ-ભાવ-પુદ્ગલ-પરાવત ‘ કહેવામાં આવે છે, આ ગ્રન્થકારકૂત સમ્યક્ત્વપ્રદીપ (પૃ૦ ૧૩ )માં કહ્યું છે તેમ અત્ર એ ઉમેરવું અના ૧ કોઇ અન્ય ગ્રન્થમાં આવા ઉલ્લેખ મારા જોવામાં આવ્યે નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy