________________
છવઅધિકાર
[ પ્રથમ અપહરણ કરવામાં જેટલી વાર લાગે, તેને સૂક્ષ્મ-ક્ષેત્ર-
પપમ” સમજ. આ પૂર્વોક્ત કાળ કરતાં અસંખ્યય ગુણ છે.
( આ પ્રમાણે આપણે વિવિધ જાતના પલ્યોપમને વિચાર કર્યો. આ પ્રત્યેક પ્રકારના ૫૫મને દશ કડાકીએ ગુણતાં જે જવાબ આવે, તે તે જાતના સાગરે પમનું માપ છે. અર્થાત્ દશ કડાકડી બાદર-ઉદ્વાર પાપમને બાદર-ઉદ્ધાર-સાગરેપમ થાય ઇત્યાદિ. સૂક્ષ્મ ત્રણ પ્રકારના સાગરેપમેનાં પ્રયોજન
ત્રિવિધ બાદર સાગરોપમની વ્યાખ્યા તે સૂક્ષ્મ સાગરોપમના સ્વરૂપની સમજુતી માટે છે, જ્યારે સૂર્મ-ઉદ્ધાર-સાગરોપમાદિનું ખાસ પ્રયોજન છે. જેમકે અઢી સૂમ-ઉદ્ધાર-સાગરેપમ યાને ૨૫ કડાકેડી સૂક્ષમ-પલ્યોપમના જેટલા સમયે છે, તેટલી સંખ્યા ૧તિયંગ-લેકના દ્વીપ-સમુદ્રની છે. સૂક્ષ્મ-અદ્ધા--સાગરેપમ નારક, તિર્યંચ વગેરે જેની કમ-સ્થિતિ, કાય-- સ્થિતિ અને ભવ-સ્થિતિનું માપ દર્શાવવામાં કામ લાગે છે. પૃથ્વીકાયાદિ જેની સંખ્યાનું નિરૂપણ કરવામાં સૂકમ--ક્ષેત્ર સાગરેપમને ખપ પડે છે. પ્રસ્તુતમાં આપણે જેનું કામ છે તે તે
સૂક્ષ્મ-અદ્ધા--સાગરોપમ છે, કેમકે ૭૭મા પૃષ્ઠમાં કમની જે સ્થિતિની હકીકત દર્શાવી છે, તેમાં આનું જ કામ છે. આથી કદાચ પાઠક--મહાશયને એમ ભાસે કે હવે અનિવૃત્તિકરણના સ્વરૂપના દર્શન માટે વિલંબ નહિ થાય, પરંતુ વસ્તુસ્થિતિ તેમ નથી. હજી પુદગલ-પરાવર્તની પ્રરૂપણારૂપી તરંગિણી તરી જવાની બાકી રહે છે. એટલે એનું સ્વરૂપ યથામતિ આલેખીશું. પુદ્ગલ-પરાવર્ત–
અનન્ત ઉત્સર્પિણી–અવસર્પિણ મળે ત્યારે એક “પુદગલ-પરાવત થાય. ભૂતકાળમાં એવા અનન્ત પસાર થઈ ગયા અને અને ભવિષ્યમાં પણ એથી અનન્ત ગુણ પસાર થશે.
* ૧ આનું સ્વરૂપ આગળ ઉપર વિચારવામાં આવનાર છે. સામાન્ય રીતે આને મત્યં–લેક તરીકે ઓળખાવી શકાય. જુઓ બહષભ૦નું મારું સ્પષ્ટીકરણ (પૃ૫ ).
ર બીજા કામમાં ન ઉત્પન્ન થતાં એકના એક કાર્યમાં ફરી ફરીને ઉત્પન્ન થવામાં જેટલે વખત વીતી જાય તેને “કાય-સ્થિતિ' કહેવામાં આવે છે.
૩ આનું બીજું નામ આયુષ્ય છે.
જ ભગવતી, વિવાહપ્રાપ્તિ, વ્યાખ્ય પ્રાપ્તિ ઇત્યાદિ નામથી ઓળખાતા પાંચમા અંગમાં તો છે માનવા તીવgામ સમાધિ ” એ સૂત્રમાં અનાગત કાળ અતીત કાળથી એક સમય અધિક કહ્યો છે, જ્યારે અત્ર તે અનન્ત ગુણે કહેવામાં આવ્યા છે તે કેવી રીતે સંગત છે એમ સહજ પ્રશ્ન ઉદભવે. આનું સમાધાન એ છે કે અનાગત કાળને અન્ત નથી તેમજ અતીત કાળની આદિ નથી. આ પ્રમાણે એ બંને અનન્ત હોવાથી સમાન છે. પરંતુ એ બેની વચ્ચે પ્રભુને પ્રશ્ન–સમય છે. તે સમયને વિનાશ નહિ થઈ ગયેલ હોવાથી તેની અતીત કાળમાં ગણના થઈ શકે નહિ. ભવિષ્યત કાળના અવિનાશરૂપ ધર્મ સાથે એની સમાનતા હોવાથી એને અનાગત કાળમાં અન્તર્ભાવ કરી શકાય છે. આ રીતે વિચારતાં ભગવતીને ઉલેખ યુક્તિ-યુક્ત જણાય છે. હવે જે ઉલ્લેખ સાથે એને વિરોધ આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org