________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. અવગાહના-ક્ષેત્રથી અસંખ્યય ગુણ છે. વૃદ્ધ-વાદ પ્રમાણે આ ખડ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર જેટલો છે. આ પ્રમાણેના સરખા ખડોથી પૂર્વોક્ત કુ ભરે. આમાંથી પ્રતિસમય એકેક ખડ બહાર કાઢતાં જેટલા કાળે તે કુ ખાલી થાય, તે કાળને ‘સૂક્ષમ-ઉદ્ધાર-પલ્યોપમ * કહેવામાં આવે છે. આ કાળમાં સંખ્યય વર્ષ-કેટિને સમાવેશ થાય છે.
બાદર-ઉદ્ધાર-પપમ માટેના કેશાથી ભરેલા કુવામાંથી એકેક કેશાગ્ર પ્રતિસમય નહિ બહાર કાઢતાં દર સો વર્ષે બહાર કાઢવામાં જેટલે વખત વીતી જાય, તેને “બાદર–અદ્ધા-- પલ્યોપમ ” કહેવામાં આવે છે ( આમાં સંખ્યય વર્ષ-કોટિનો અન્તર્ભાવ છે). એવી રીતે સૂક્ષ્મ-ઉદ્ધાર-પપમ માટેના (કેશાગ્રના) ખડેથી ભરેલા કુવામાંથી એકેક ખણ્ડ સો સો વર્ષે બહાર કાઢી કુવાને તદન ખાલી કરતાં એટલે કાળ વ્યતીત થાય, તેને “ સૂક્ષ્મ-અદ્ધાપાપમ” કહેવામાં આવે છે,
બાદર-ઉદ્ધાર પલ્યોપમના કેશાથી જેટલા આકાશ-પ્રદેશ સ્પર્શાવેલા છે, તે પ્રદેશો પૈકી પ્રત્યેકનું એકેક સમયે અપહરણ કરતાં જેટલો કાળ લાગે, તે બાદર-ક્ષેત્ર-પોપમ” જાણ. આ કાળ દરમ્યાન અસંખ્યય ઉત્સર્પિણી--અવસર્પિણીઓ પસાર થઈ જાય છે.
સૂક્ષમ-ઉદ્ધાર-પલ્યોપમના બડોથી જે આકાશ-પ્રદેશોને સ્પર્શ થયો હોય તેમજ જેને “ન થયે હોય તે પૈકી 'પણ પ્રત્યેક પ્રદેશનું સમયે સમયે અપહરણ કરતાં સર્વે પ્રદેશનું
૧ અનુગદ્વાર ( ગા. ૧૦૮, પત્રાંક ૧૮૦ )માં કહ્યું પણ છે કે
" तत्थ । एगमेगे वालग्गे असंखेजाई खंडाई किन्जद, ते णं वालग्गा दिट्ठीओ. गाहणाओ असंखेज इभागमेत्ता सुहुमम्स पणगजी रस्त सरीरोगाहणाउ असंखेजगुगा "
[ तत्र एकैकस्य वालाग्रस्य असख्येयानि खण्डानि क्रियन्ते, तानि वालाग्राणि दृष्ट्यवगाहनतः असङ्ख्येयभागमात्राणि सूक्ष्मस्य पनकजीवस्य शरीरावगाहनाया असलयेयTrઉન ]
૨ જુઓ અનુયોગની શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકા. આના ઉલ્લેખ માટે જુઓ પ્રવચનની વૃત્તિ ( પત્રાંક ૩૦૨ ).
કે દશ કડાકડી સૂમ-અદ્ધા-સાગરોપમ મળીને એક ‘ઉત્સર્પિણી” કે એક “અવસર્પિણી થાય છે.
૪ ખૂબ ઠાંસી ઠાંસીને ભરેલા કેશાગ્રોથી કઈ નભ:-પ્રદેશ સ્પર્શ બાકી રહી જાય, એ વાત યુકિત- સંગત છે; કેમકે આ કેશાગ્રોને ખડે કરતાં પણ નભ:પ્રદેશ અત્યંત સુકમ છે. આ વાત ધ્યાનમાં આવે તેથી એક દૃષ્ટાન્ત વિચારીશું. કેળાં ( કૂષ્માણ્ડ થી ભરેલા વાસણમાં બીજોરાં ( માતૃલિંગ ) માઈ શકે છે. વળી તેમાં બિલું (બિલ્વ )નો સમાવેશ થઈ શકે છે. આમાં પણ વળી આમળાં ( આમલક), તેમાં બેર, વળી તેમાં ચણા એમ એકેકથી નાની નાની વસ્તુઓ મવડાવી શકાય છે.
૫ “ આથી ઉભેધાંગુલથી પ્રમિત યોજન જેટલા આયામ, વિકમભ અને ઊંડાઈવાળા પદ્યમાં જેટલા આકાશ-પ્રદેશ છે તે પૈકી ' એમ અર્થ કરી શકાય છે, છતાં જે ઉપર પ્રમાણે નિરૂપણ કરવામાં આવ્યું છે તે દષ્ટિવાદને અનુસાર છે એમ શાસ્ત્રકાર કર્થ છે,
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org