SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ કરે જીવ-અધિકાર [ પ્રથમ સમ્યકત્વના કાર્યરૂપ શ્રદ્ધાનમાં તેના કારણરૂપ સમ્યકત્વને ઉપચાર કરીને તેને ( શ્રદ્ધાનને ) સમ્યકત્વ” કહેવામાં આવે છે. વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ સમ્યક્ત્વનું શું લક્ષણ કળે છે, તે માટે તત્ત્વાર્થાધિરના આવ અધ્યાયનું નિન્સ-લિખિત " तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् " –દ્વિતીય સૂત્ર વિચારીએ. આમાંથી એ ભાવાર્થ નીકળે છે કે તત્ત્વાર્થમાં શ્રદ્ધાન અથવા તત્ત્વ વડે (નિશ્ચયથી) અર્થનું શ્રદ્ધાન તે “સમ્યગદર્શન છે. જે પદાર્થો જે અવસ્થામાં જે રૂપે રહેલા છે તે રૂપે તેને જાણવા તે “તત્ત્વ” કહેવાય છે અને તેને તે રૂપે નિશ્ચય કરે તે “અર્થ” જાણો. આ બન્નેના સમુચ્ચય સ્વરૂપને “તત્ત્વાર્થ ” શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે. તાત્પર્ય એ નીકળે કે જે પદાર્થ જે રૂપે અવસ્થિત છે, તે પદાર્થને તે રીતે નિશ્ચય કરવામાં તત્ત્વાર્થ સંજ્ઞા ફળીભૂત થાય છે. સાથે સાથે શ્રીહેમચન્દ્રાચાર્યું જે સમ્યકત્વનું લક્ષણ બાંધ્યું છે તે તરફ ઉડતી નજર વારે રેચત્તવૃદ્ધિ-શુ જ પુરતામતિ | ધર્મ જ ધર્મથી શુET, ઘામિguતે | ૨ " –ચોગશાસ્ત્ર, દ્વિતીય પ્રકાશ અર્થાત (યથાર્થ ) દેવને વિષે દેવબુદ્ધિ, ગુરૂમાં ગુરૂબુદ્ધિ અને ધર્મમાં ધમ–બુદ્ધિ તે “સમ્યકત્વ કહેવાય છે. એટલે કે જે દેવ, ગુરૂ, ધર્મ એવાં નામને લાયક હોય, તેમાં જ તે પ્રકારની બુદ્ધિ રાખવી તે “સમ્યકત્વ છે. આ લક્ષણ દ્વારા ટૂંકમાં પણ યથાર્થ રીતે સમ્યગ્દર્શનનું દિગ્દર્શન થઈ શકે છે, વાતે આ લક્ષણ અત્ર વિચાર્યું છે. સમ્યગ્દર્શનનું સ્વરૂપ વિશેષ ફુટ રીતે સમજાય તેટલા માટે એના પ્રતિપક્ષી મિથ્યા-દર્શન ને વિચાર કરે આવશ્યક જણાય છે. જેવું જે વસ્તુનું સ્વરૂપ મિથ્યાદર્શનનો અર્થ ન હોય, તે રૂપે તે વસ્તુનું શ્રદ્ધાન અથવા તે પરત્વે વિપરીત અભિનિવેશ તે “મિથ્યાદશન” કહેવાય છે. જેમ સમ્યગદર્શન યાને યથાર્થ શ્રદ્ધાન સર્વ પ્રકારનાં દુઃખનાં બીજને ભસ્મીભૂત કરી આત્માને ઉન્નતિના શિખર ઉપર ચઢાવવામાં અગ્ર ભાગ ભજવે છે, તેમ મિથ્યાદશન યાને અયથાર્થ શ્રદ્ધાન સર્વ સુખના બીજને દગ્ધ કરી આત્માને અવનતિના ખાડામાં ઢકેલી મૂકવામાં પિતાનું જોર અજમાવે છે. શ્રદ્ધાન– જૈન દર્શનમાં શ્રદ્ધાનને આખા દર્શનના અધિકરણરૂપે ચિતરવામાં આવ્યું છે. જગતના ૧ આ લક્ષણ સાધનરૂપ છે, જ્યારે તવાધિનું આ પૃષ્ઠમાં આપેલું લક્ષણ સાધ્યરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy