SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1252
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૧૭૩ આ તેમજ બીજી પણ મુદ્રણાલયને લગતી બાબતમાં મુદ્રણાલયના અધિપતિનું મેં અનેક વાર સવિનય ધ્યાન ખેંચ્યું હતું, છતાં તે તરફ પૂરતું લય અપાયું નથી એની ખેદ પૂર્વક અત્રે નોંધ લેવી પડે છે. પ્ર. પૃ. ૩૩૪, પૃ. ૨૨ “દેશવાતિ ની વ્યાખ્યા લખી છે તે બરાબર નથી. મારા સમજવા પ્રમાણે આત્માના જ્ઞાનાદિ ગુણેને દેશથી ઘાત કરે તેવા સ્પર્ધકે “દેશઘાતિ” કહેવાય. “દેશવિરતિ (ગૃહસ્થમ) ના” ને બદલે “દેશથી” એમ સુધારી લેવું જોઈએ. પ્ર. પૃ. ૩૩૮, પં. ૭, ૧૦ “તિયચેના સંબંધમાં ઉપશમ સમકિત જન્મ પછી ચારથી આઠ દિવસ સુધીમાં સંભવી શકે છે એમ લખ્યું છે એટલે શું ત્યાર પછી આખા ભવમાં તે સમકિત ન થાય? આ તે જન્મ પછી વહેલામાં વહેલું થવાનો સમય છે.” મનુષ્ય માટે લખ્યું છે તેમાં પણ જમ્યા પછી વહેલામાં વહેલું આઠ વર્ષે થાય એમ જોઈએ.” જલદીમાં જલદી સમ્યકત્વની ક્યારે પ્રાપ્તિ થાય તેને અંગે ઉપયુક્ત નિર્દેશ છે. એટલે સ્પષ્ટતા કરવા માટે બંને સ્થળે “વહેલામાં વહેલું” એમ ઉમરેવું પ્રસ્તુત સમજાય છે. ક, પૃ. ૩૩૮, પં. ૧૩ “દેવતાઓને સમકિત પામવાના કારણમાં પીડા નારકની જેમ કારણ તરીકે ગણું છે તે શી રીતે હેય? ” આને સપ્રમાણ ઉત્તર આપવાનું મારી પાસે અત્યારે સાધન નથી. વિશેષમાં ઉપર્યુક્ત ત્રણ કારણથી જાતિસ્મરણ જ્ઞાન, ઉપદેશ અને તીર્થકરની મૂર્તિનું દર્શન સૂચિત છે. આવી પરિસ્થિતિમાં “પીડા ને ઉલેખ જ ક્યાં છે કે જેને અંગે ઉત્તર આપ રહે? જે દેવોને પીડા જ ન હોય એમ પ્રશ્નકાર સૂચવતા હોય તે તે તેમની સ્કૂલના છે, કેમકે દેવગતિમાં પણ અસાતવેદનીય સંભવે છે. આની ભગવતી (શ. ૧, ઉ. ૨)ની નિમ્નલિખિત પંક્તિ સાક્ષી પૂરે છે-- "वाणमंतर-जोतिस-वेमाणिआ जहा असुरकुमारा, नवरं वेयणाए पन्नणाणत्तं-मायिमिच्छादिट्ठीउववन्नगा य अप्पवेयणतरा, अमायिसम्मदिट्ठीउववनगा य महावेयगातरागा भाणियव्वा, जोतिस-वेमानिया ।" પ્ર. પૃ. ૩૩૮, પં. ૧૫ “ટ્વિવેચકવાસીને મરણ અને ઉપદેશ બે કારણુ લખ્યા છે તે તેને ઉપદેશ કારણ શી રીતે હોય?” ઉ. હાલમાં ઉત્તર આપવા માટે સાધન હરતગત નથી. એટલે એ વાત વાચકે વિચારી લેવી. પૃ. ૩૪૦, ૫, ૫ “વાચકને સંતેષ પમાડવાની શક્તિ” લખેલ છે. ત્યા યાચકને ઇચ્છિત આપવા નડે સંતેષ પમાડવાની શક્તિ એમ જોઈએ. 6. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy