SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1246
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ, ૧૧૬૭ ૧૧૫૮મા પૃષ્ઠમાં સૂચવ્યા મુજબ સાન્તર સિદ્ધને વિરહ-કાલ જઘન્યથી એક સમય છે. એ ધ્યાનમાં રાખવાથી તેમજ ઉપર્યુક્ત ઉલ્લેખને પ્રાયિક સમજવાથી એ ઉલ્લેખ નીભી શકે; બાકી તે કઈ નહિ ને કોઈ જીવ છ મહિને તે જરૂર જ મોક્ષે જાય છે એ ઉલલેખ વધારે ઉચિત ગણાય. આથી કરીને ૩૯ મા પૃષ્ઠની નીચે મુજબની– “સંસારમાંથી છ મુક્તિપુરીએ જતા હોવાથી સંસારી જીની સંખ્યા પ્રતિસમય ઘટતી જાય છે.” –નવમી પંક્તિમાંથી “ પ્રતિસમય’ શબ્દ કાઢી નાંખવું જોઈએ. પૃ ૧૯ પં. ૩૧ જાતિભવ્યની વ્યાખ્યામાં “એ જ અવ્યવહાર–રાશિમાંથી કઈ કાળે બહાર જ આવતા નથી. જે બહાર આવે તે મુક્ત થવા માટેની સામગ્રી તેમને મળે જ અને તેઓ મુક્ત બને જ.” આ પ્રમાણે ઉમેરે કરવાની જે સૂચના કરવામાં આવી છે તે સંબંધમાં મારે વિશેષ કહેવા જેવું નથી. પ્ર. ૬, પં. ૧૩ “આઠ પ્રદેશ સર્વથા શુદ્ધ છે' એને બદલે “આઠ રુચક પ્રદેશે સર્વથા શુદ્ધ છે? એવી સ્પષ્ટતા ખાતર કરાતી સૂચના સામે મારો વાંધો નથી, પ્ર. પ્ર. ૭૪, ૫. ૪ “આપ સમ્યગદર્શન કેને કહે છે અને સમ્યગ્દષ્ટિ કેને કહો છો?” ઉ. છાક્રમસ્થિક સમ્યકત્વ તે “સમ્યગ્દર્શન” છે અને કેવલિત સમ્યકત્વ એ “સમ્યગ્દષ્ટિ છે. આ અર્થ–ભેદ કઈ પણ વેતાંબરીય આગમમાં કે દિગંબરીય પ્રાચીન ગ્રંથોમાં મારા જેવામાં આવ્યો નથી. સૌથી પ્રથમ તત્વાર્થ (અ. ૧, સૂ. ૮)ના ભાષ્ય (પ્ર. ૬૪)માં જ એની પ્રરૂપણા નજરે પડે છે. ત્યાં કહ્યું છે કે– “અલ્લાદ-સઘદૃષ્ટિસનો થા પ્રતિચિવ તિ? 9अपायसद्व्यतया सम्यग्दर्शनम् । अपाय:-आभिनिबोधिकम् , तद्योगात् सम्यग्दर्शनम्। तत् केवलिनो नास्ति । तस्मात् म केवली सम्यग्दर्शनी, સમ્યગ્દષ્ટિતુ મવતિ . ” પ્ર. પૃ ૭૪, પં. ૭-૮ “ક્ષાયિક સમ્યકત્વવાળા છદ્મસ્થ (અસવજ્ઞ)ની સમ્યગ્દષ્ટિ સાદિ સાંત છે. આનું કારણ શું ? એને સાંત શી અપેક્ષાએ કહે છે ? “સમ્યગ્દષ્ટિનું ક્ષેત્ર તે સમસ્ત લેક જેટલું છે ” એ શું અપેક્ષાએ લખેલ છે? તમે ક્ષયોપશમ સમકિતને સમ્યગદર્શન કહે છે એ આપના લખાણને ભાવ છે, કારણ કે તેમાં સત્તામાં દશનમેહનીય છે પણ ક્ષાયિકમાં સત્તામાં નથી. વળી તે ગુણ આવ્યા પછી જ નથી તે તેને સાદિ સાંત કેમ લખેલ છે ?” ઉ. તત્વાર્થ (અ. ૧, સૂ. ૭)ની ટીકા (પૃ. ૫૯)માં સૂચવાયું છે કે છત્મસ્થનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy