SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫૦ મેક્ષ-અધિકાર. [ સપ્ત પૂર્વ પ્રોગરૂપ હેતુ સમજાવતાં ભગવતી (શ, ૭, . ૧ )માં નિર્દેશાયું છે કે જેમ કે એક ધનુષ્યથી છુટેલા બાણની ગતિ કે પ્રતિબંધ નહિ નડે તે લયના સંમુખ પ્રવર્તે છે તેમ પૂર્વ પ્રગથી કર્મથી મુક્ત જીવની ગતિ છે. સંગના અભાવરૂપ હેતુ– ઘણી કાળી માટીના અત્યંત લેપથી બહુ લેપાયેલું હોઈ ભારે બનેલું તુંબડું જળમાં નંખાતા તે તળિયે જઈ બેસે છે, પરંતુ જળથી એના લેપે ભીના થઇ ધીરે ધીરે ધેવાઈ જાય અને આ પ્રમાણે માટીના સંગને અભાવ થાય એટલે એ તુંબડું તરત જ પાણીની સપાટી ઉપર તરી આવે છે તેમ ઊર્ધ્વ ગતિના સ્વભાવવાળે જીવ પણ આઠ પ્રકારના કર્મ રૂપ માટી વડે લેપાયેલે હાઈ ભવ-સમુદ્રમાં ડુબેલે રહે છે, અને સંસારમાં રો પચ્યો રહી તે નીચે તીર છે કે ઊંચે જાય છે, પરંતુ સમ્યગ્દર્શનરૂપ જળ વડે તેને કમરૂપ લેપ ભીને બની ક્ષીણ થાય છે ત્યારે તે લેકાંત સુધી ઊંચે જાય છે. લેકાંતથી આગળ તે કેમ જ નથી એ કઈ પ્રશ્ન ઊઠાવે તે તેને ઉત્તર એ છે કે ગતિમાં સહાયક એવા ધર્માસ્તિકાયને ત્યાં અભાવ છે. જેમ પાણીમાં નાંખેલું તુંબડું લેપથી મુક્ત થતાં નીચું કે તીર ન જતાં સીધી ઉપર ગતિ કરે છે અને આગળ જળ ન હોઈ એની સપાટી ઉપર સ્થિર થઈ જાય છે તેમ મુક્ત જીવ પણ લેકાંતે આવી સ્થિર થાય છે. આ હકીકત ભગવતીસૂત્ર (શ. ૭,ઉ. ૧)માં નીચે મુજબ સૂચવાઈ છે – જેમ કે એક પુરુષ છિદ્ર વિનાના, નહિ ભાંગેલા સુકા તુંબડાને ક્રમ પૂર્વક અત્યંત સંસ્કાર કરીને તેને ડાભ અને કુશ વડે વટે અને ત્યાર પછી તેને માટીના આઠ લેપ વડે લપે, લીંપીને તાપમાં સુકવે અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તાગ વિનાના અને તરી ન શકાય તેવા પુરુષ–પ્રમાણથી વધારે ઊંડા જળમાં તેને નાંખે તે એ તુંબડું માટીના આઠ લેપ વડે ગુરુ થયેલું હોવાથી–ભારે થવાથી અને અધિક વજનવાળું હોવાથી જળના ઉપરના તળિયાને છે નીચે પૃથ્વીને તળિયે જઈ બેસે, પરંતુ તે માટીના આઠ લેપને નાશ થાય ત્યારે તે તુંબડું પૃથ્વીના તળિયાને ત્યજીને જળના ઉપર આવીને રહે તેમ નિઃસંગતાથી, નીરાગતાથી અને ગતિના પરિણામથી કમ રહિત જીવની ગતિ છે. બન્યના ઉછેદરૂપ હેતુ-- જેમ દેરડા વડે ગાઢ બંધાયેલ અને કચકવિદલ વડે ઘડેલા દેરડાના બન્ધનો ઉચ્છેદ થતાં ઊર્ધ્વ ગમન જેવાય છે તેમ મુક્ત જીવ માટે સમજવું. અથવા બીજીકેશ, ફળ કે ફલીનું બંધન મળી ગયા બાઢ ગાઢ સૂર્યનાં કિરણરૂપ તાપથી શેષાતાં પરિણતિ-કાલને વિષે આ ૧ પુદગલની જેમ જીવ સ્વભાવથી જ ગતિશીલ છે; પરંતુ પુદગલનો અભાવ નીચે જવાનો છે, જ્યારે જીવન ઊંચે જવાને છે. જીવ ઊંચે ન જતાં નીચે કે તીર છે જાય કે ગતિ ન કરે એ બધે પ્રતાપ પ્રતિબંધક દ્રવ્યરૂ૫ કર્મના સંગને યાને બંધનને છે. આ કર્મને સંગ છુટો-એના બંધનમાંથી એ મા થયો એટલે કે પ્રતિબંધક ન રહેવાથી એના સ્વભાવ અનુસાર એ સીધો ચે જ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy